Wednesday, July 20, 2011

હવે હદ થઇ થોભો !!!!!

૧૯.૦૭.૨૦૧૧
આજે કિરણ ભાઈ ની ફેઈસ બુક પર ભગવાન ની યાતના પોસ્ટ વાંચી,

મને હવે હદ થઇ થોભો !!!!!  ની  યાદ આવી ગઈ.........પ્રસ્તુત છે........
 .
                              jagat's speech....my script.....in his school days....



                                હવે હદ થઇ થોભો !!!!!
માનનિય નિર્ણાયક ગણ,અને ઉપસ્થિત મહાનુભાવો ,વિધાર્થી મિત્રો,
સૂરજ ઉગે છે બીતો બીતો ,પવન વહે છે રોતો રોતો,
શેરી શેરી શોણિત ભીની, કેટલી આંખો અશ્રુ ભીની ,
માણસનું આ બખડજંતર,...................................................હવે હદ થઇ થોભો .......
....તો સુજ્ઞ શ્રોતાજનો આપ સમજી જ ગયા હશો કે હું આજે ક્યા વિષય પર બોલવામાગું છું .
ગોધરા હત્યાકાંડ અને ત્યાર પછી નાં બનાવો થી કોઈ પણ વિચારશીલ માનવીનું મસ્તક શરમ થી ઝુકી જાય છે. શું આપણે ત્યાં સદબુદ્ધિ ની ખોટ પડી છે ?એક નિર્દોષ ની હત્યા એ ધર્મ ની હત્યા છે.
જહાં સુમતિ તહાં સંપતિ નાના,જહાં કુમતિ તહાં વિપત્તિ નિદાના.આટલું આછું હોય તેમ અસામાજિક તત્વો ની વકીલાત કરનારા સ્યુડો સેક્યુલારીસ્ટ નાં ધાડા ગુજરાત માં ઉતરી પડ્યા અને પરિસ્થિતિ ને થાળે પાડવાને બદલે તેમાં હવા ભરી પરિસ્થિતિ વધારે બગાડી દીધી.
ગરવી ગુજરાત પર અમાનુષી દ્રષ્ટિ કરનારાઓ , ................. હવે હદ થઇ થોભો........
ભ્રષ્ટાચાર તો આજે શિષ્ટાચાર બની ગયો છે.આઝાદી પછી આપણા દેશ માં કૌભાંડો ની જે પરંપરા સર્જાઈ છે તેનો જોટો વિશ્વ માં કયાંય પણ મળવો મુશ્કેલ છે. ભ્રષ્ટાચાર દેશ ની રગે રગ માં વ્યાપી ગયો છે . પરિસ્થિતિ એવી છે કે સાચા માણસ પોતાની સચ્ચાઈ છોડવી પડે એવી કટોકટી માં આપણે જીવી રહ્યા છીએ.પ્રમાણિક માણસ ને  પ્રમાણિકતા જાળવી રાખવા માં મુશ્કેલી પડે એવી  પરિસ્થિતિ સર્જનારા  ભ્રષ્ટાચારીઓ,.........................................હવે હદ થઇ થોભો ...........  
યુદ્ધ કરતાંય દુષ્કાળ ભયંકર બાબત છે ગુજરાત નાં અને દેશ નાં વિકાસ માટે નર્મદા યોજના ખુબજ  જરૂરી છે. જો આ યોજના સમયસર પૂરી નહી થાય તો ગુજરાત નાં ગામો માં  ઇથોપિયા સર્જાઈ જશે. પર્યાવરણ નાં નામે આ યોજના નો વિરોધ કરનારા કહેવાતા પર્યાવરણવાદીઓ,  .....................................................................................................હવે હદ થઇ થોભો ........... 
 વિકાસ નો હંમેશા વિરોધ કરનારા,૨૧ મી સદી ની ક્રાંતિકારી શોધ કોમ્પુટર ને શ્રાપ કહેનારા વડિલો,...................................................................................હવે હદ થઇ થોભો .......
લગ્ન પાછળ આંખ મીંચીને ખર્ચો કરનારા ધનવાનો ની મને દયા આવે છે. .તેઓં માં જરા જેટલી પણ વિચાર શક્તિ હોત તો તેણે પોતાનો પ્રભાવ પાડવાની બીજી કોઈ વ્યાજબી રીત અપનાવી હોત .આવી વિચાર કરવાની અશક્તિ થી પીડાતા હે ગરીબ ધનવાનો, ...................હવે હદ થઇ થોભો .......
આપણે ત્યાં આજે ઠેર ઠેર દહેજ નાં ખપ્પર માં અનેક સ્ત્રી ઓં આત્મહત્યા કરે છે.આ દૂષણ ને પોષનારા દહેજ પ્રેમી પતિઓં,..................................................હવે હદ થઇ થોભો .....
ચર્ચા તો સુંદર થાય છે કે ,.....ભાર વિનાનું ભણતર”.....પરંતુ બાળકો પર નો બોજ તો દિનબદિન વધતો જ  જાય છે. વાણી વિલાસ કરનારા હે કેળવણી કરો, .....હવે હદ થઇ થોભો .
પોતાનાં વિચારો સંતાનો પર ઠોકી બેસાડનારા વાલીઓં હંમેશા ઈચ્છે છે કે, મારું સંતાન એન્જીનીયર કે ડોક્ટર જ થાય .જો બધાજ વાલીઓં આ રીતે વિચારશે તો દેશ ને ટાગોર કે વિવેકાનંદ જેવા વિદ્વાનો કે જ્ઞાનીઓં ક્યાં થી મળશે?  વિધાર્થી ઓં હવે મુંઝાઇ ગયા છે.તેમના પર દબાણ કરનારા  હે વાલીઓં ...................................................હવે હદ થઇ થોભો        
શ્રદ્ધા માણસ ને તારે છે ,અશ્રદ્ધા  માણસ ને મારે છે ,પરંતુ અંધશ્રદ્ધા ડૂબાડે છે .પ્રજાને અંધશ્રદ્ધા માં ડૂબતી રાખી ધર્મને ને નામે ધિક્કાર ફેલાવનારા હે મહંતો,મૌલવીઓં , પાદરીઓં,...
............................................................................................હવે હદ થઇ થોભો .      

હે પ્રભુ તારી કસોટી કરવાની રીત સારી નથી હોતી ,
કે તારા જ  માણસો ની દશા સારી નથી હોતી.......
  હે પરમાત્મા , કસોટી કરવાની ,..............................................હવે હદ થઇ થોભો.
આ વિષય પર તો એક વ્યાખ્યાન માળા જેટલું બોલી શકાય કે  પી.એચ. ડી. માટે નો મહાનિબંધ લખી શકાય  પરંતુ સમય ની મર્યાદા મને કહે છે ,હે વકતા,........હવે હદ થઇ થોભો.
ધન્યવાદ.......
જગત અવાશિયા ,ધોરણ ૧૦,એ
 સ્વ મનોહર નાડકર્ણી મેમોરીયલ આંતર શાળા વ્રકૃત્વ સ્પર્ધા ,
 લીટલ ફ્લાવર એજ્યુકેશન ટસ્ટ ,
પ્રથમ વિજેતા
તા. ૦૮.૦૮.૨૦૦૨
રનીંગ શીલ્ડ તથા વ્યક્તિગત શીલ્ડ
કુલ સ્પર્ધક -૩૮

આ સ્પર્ધા નાં અન્ય વિષયો :
ગરવી ગુજરાત પર અમાનુષી દ્રષ્ટિ  કોની?  
વિધાર્થી ઓં મુંઝાય છે ,વાલીઓં નાં દબાણ થી .
કોમ્પુટર શ્રાપ કે આશીર્વાદ ?
        
             

Friday, July 15, 2011

હું અને મારા શિક્ષક

                ૧૪.૦૭.૨૦૧૧
                     આજે ગુરૂપુર્ણીમાં ના અવસરે ..........હું અને મારા શિક્ષક.........



   
         હું અને મારા શિક્ષક
Top of Form
Bottom of Form
                                                              - જગત અવાશિયા
હું એટલે કોણ ? હું એટલે હું જ . કવિ 'મીનપિયાસી' એ સુંદર કહ્યું છે :

"
પરમેશ્વર તો પહેલું પૂછશે,
કોઈનું સુખ દુઃખ પૂછ્યું 'તુ ?
દર્દ ભરેલી આ દુનિયા માં ,
કોઈનું આંસુ લૂછ્યું ' તુ ?
કબૂતરોનું ઘૂ...ઘૂ...ઘૂ ...,
ઉંદર-ચકલા ચૂ..ચૂ...ચૂ..,
છ્છુન્દરો નું છૂ...છૂ...છૂ...,
ભમરા ગૂંજે ગૂ...ગૂ...ગૂ...,
આ કુંજન માં શી કક્કાવારી ?
હું કુદરત ને પૂછું છું,
ઘુવડ સમા ઘૂઘવાટ કરતો,
માનવ ગરજે હું...હું....હું...! "

તો હું એટલે આ ઘુવડ સમો ઘૂઘવાટ કરતો હું અને અંગ્રેજી નો " I " અને  "I is always capital ".
અને મારા શિક્ષકો એટલે કોણ ? મારા આ હું ને ઓગાળનાર અને હું માંથી મને એક આદર્શ વિદ્યાર્થી - વ્યક્તિ બનવાનો પથ સૂચવનાર વિરલ વ્યક્તિઓ.

મારા શિક્ષકો એટલે તે મહાનુભાવો કે જેમણે મને ભાન કરાવ્યું કે - "I know that I know nothing "

તારીખ પાંચમી સપ્ટેમ્બર આપણે સર્વે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન નાં જન્મદિવસ ને "શિક્ષકદિન" તરીકે ઉજવીએ છીએ. ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે - "હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ છું ."

આમ તો શિક્ષકરૂપી આ વિશાળતા તેમજ ગહનતા ને શબ્દોના સીમાડામાં બાંધવાનો પ્રયાસ એ જ સાગર ને ગાગર માં સમાવવા જેવી વાત થઇ.મારા શિક્ષકો માટે હૃદય -સાગર ના ઊંડાણ માં જે લાગણી અનુભવું છું , તે લાગણી પૂરેપૂરી આંસુ કે સ્પર્શ દ્વારા પણ વ્યક્ત થઇ ન શકે.આ સમયે જે કઈ મન:સ્થિતિ અક્ષરો સ્વરૂપે આકાર લે તે બહુ બહુ તો લાગણી નો અનુવાદ હોઈ શકે.કોઈ વ્યક્તિને સમજવા શબ્દો ચાલે,પરંતુ શિક્ષક જેવી વિભૂતિ ને અનુભૂતિ દ્વારા જ સમજી શકાય.
આપણા જીવનમાં ઈશ્વરથી પણ વધુ વંદનીય જો કોઈ હોય તો તે આપના શિક્ષકો જ છે.આ સંદર્ભ માં કબીરજી એ સુંદર વાત કરી છે :

"
गुरु गोविन्द दोनों खड़े,किसको लागू पाय ? 
बलिहारी गुरु आपकी , गोविन्द दियो बताय !"


એક ચાઇનીઝ કહેવત છે.
"
જો તમારે એક વર્ષનું આયોજન કરવું હોય તો અનાજ વાવો,
જો તમારે દસ વર્હનું આયોજન કરવું હોય તો વૃક્ષ વાવો ,
જો તમારે સો વર્ષનું આયોજન કરવું હોય તો બાળકને કેળવણી આપો "

તો આ કેળવણી-શિક્ષણ આપવાનું કામ કોણ કરે છે ? આપણા શિક્ષકો જ.
આપણા માતાપિતા આપણને જન્મ જરૂર આપે છે,પરતું જે રીતે શિલ્પકાર પથ્થર ને ટીપી ટીપીને સુંદર શિલ્પ બનાવે છે,હીરાઘસુ હીરાને ઘસી ઘસી ને પાસાદાર અને ચમકતા બનાવે છે  તે જ રીતે આપણા શિક્ષકો આપણા જીવન ઘડતરનું ભગીરથ કાર્ય કરે છે.કોઈપણ વ્યક્તિ જીવનમાં સફળતા મેળવે કે ઉચ્ચતમ શિખરો સર કરે ત્યારે તેની પાછળ તેના શિક્ષક નો સિંહફાળો હોય છે.

કોઈપણ રાષ્ટ્રના વિકાસ અને રક્ષણ માટે શિક્ષક અને સૈનિક અંગો છે. જે રાષ્ટ્રના શિક્ષક નબળા હોય તે રાષ્ટ્ર ક્યારેય વિકાસ સાધી ન શકે. તેવી જ રીતે જે રાષ્ટ્રના  સૈનિક નબળા હોય તે રાષ્ટ્ર ક્યારેય શાંતિથી ઉંઘી ન શકે અને એ નાતે શિક્ષક એ તંદુરસ્ત સમાજ નિર્માણ માટે નું પાયાનું પરિબળ છે.

મારા સ્વાનુભવો ને આધારે કહું તો પાપા પગલી માંડતી મારી જીવનયાત્રા માં મારા શિક્ષકો ની પ્રેરણા અને પ્રોત્સાહન ખૂબ જ મળ્યા છે.

મશહૂર  તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈન સાહેબ ને થોડા વર્ષો પહેલા એક પત્રકારે પૂછેલ કે તમો તો લગભગ વિદેશમાં જ તબલા નું પ્રશિક્ષણ આપો છો.તમને ભારત અને વિદેશ માં શો તફાવત જણાય છે ?
ત્યારે તેમને જવાબ આપેલ કે મારા ભલે વિદેશ ના શિષ્યો વધારે હોય,પરંતુ ભારત માં જે ગુરુ-શિષ્ય પરંપરા છે તે વિદેશોમાં ક્યાય નથી અને તેથી જ હું વિદેશોમાં એક સાચો - સારો શિક્ષક નથી બની શકતો.

અફસોસની વાત એ છે કે આપણે પશ્ચિમની સંસ્કૃતિ ના આંધળા અનુકરણમાં ગુરુ-શિષ્ય પરંપરા ની અવગણના કરીએ છીએ અને કદાચ તેથી જ સમાજ માં શિક્ષકો નું મૂલ્ય ઓછું અંકાય છે.


ઝડપી પરિવર્તનનાં આ યુગમાં જયારે બધું ઝડપથી બદલાઈ રહ્યું છે ત્યારે શિક્ષણવ્યવસ્થા અને શિક્ષકો ચોક્કસ બદલાયા છે.આશ્રમ માં ઝાડ નીચે બેસી જ્ઞાન ના પાઠ ભણાવતા શિક્ષક બ્લેક બોર્ડ અને  ચોક સ્ટીક વાપરતા થયા અને તેથી પણ વધુ આગળ  વધી "મલ્ટીમીડિયા " અને લેટેસ્ટ ટેકનોલોજી નો તેમણે સહારો લીધો. ગુરુ દ્રોણ થી લઇ ને આજના મોડર્ન યુગ ના મેડમો અને સરો ને હૃદયપૂર્વક વંદન અને શિક્ષકદિન નિમિતે આપને સર્વે સંકલ્પ કરીએ કે આપણે સાચા અર્થમાં શિક્ષકો ને ઓળખીએ અને "ગુરુ દેવો ભવ:" નો મંત્ર ચરિતાર્થ કરીએ .

-
જગત  અવાશિયા 
તા. ૦૫-૦૯-૧૯૯૯
(
શાળાકાળ દરમિયાન આપેલ વ્યક્તવ્ય)