૨૨.૦૩.૨૦૧૨
આજે વિશ્વ પાણી બચાવો દિવસ...:" Save water, water will save you!!!
પ્રસ્તુત છે એક વ્યક્તવ્ય..... jagat's speech....my script.....in his school days....
“પાણી પાણી ઝંખે લોક....”
એક કવિ એ સરસ કહ્યું છે-
“ખારા જળ નો દરીઓ ભરીયો,મીઠા જળ નો લોટો,
તરસ્યાને તો દરિયા થી યે લોટો લાગે મોટો....”
મીઠા જળ નું ટીપું માનવ સંસ્કૃતિ નું આરંભ બિંદુ છે દુનિયાની મહાન સંસ્કૃતિ સિંધુ કે નાઇલ ને કિનારે જ પાંગરી શકે ,ભૂમધ્ય,કે અરબ સાગર ને કિનારે નહી .માણસ જયારે મરતો હોય ત્યારે પાણી નો ગ્લાસ કેટલા રૂપિયા નો પડે છે? તે પ્રશ્ન અસ્થાને છે.એક વાર અબ્રાહમ લીકન નાં ઘરે મિત્રો આવી ચડ્યા .લિંકન નાં ઘર માં ગરીબી ની ગરીમા હતી,અને ફકીરી ની રોશની હતી.મિત્રોને પાણી નાં ગ્લાસ ધરતી વખતે લિંકને કહ્યું –
“દોસ્તો ,આજે તમને હું જગત નું શ્રેષ્ઠ પીણું ધરી રહ્યો છું.”
લિંકન નાં આ શબ્દો આજે સૌરાષ્ટ્રઅને રાજસ્થાન નાં તરસ્યાં ગામો માં ફરી વળ્યા છે.આ ગામો માં રોજ ભગવાન પાણી નું ટેન્કર બની ને પહોચેછે.જો નદીઓ માં શરાબ વહેતો હોત તો માણસે પાણી નો નશો કર્યો હોત.સરદાર સરોવર બંધ પાછળ કેટલો ખર્ચ થશે,તે નથી જોવાનું.નર્મદા નાં જળ મહેસાણા નાં સમી તાલુકા માં પહોચશે ત્યારે તરસ ને કારણે તરફડી ને મારી જતાં પક્ષીઓ,પશુઓ,અને માનવો ને જીવન દાન પ્રાપ્ત થશે.,જયારે હરી નાં લોચનિયાં હર્ષ થી આસું ભીના હશે.જોકે ઈશ્વરે બનાવેલ સૃષ્ટિ નાં જીવો પાણી નાં ટીપાં-ટીપાં માટે તરફડે છે,ત્યારે ભગવાન ની આંખો માંથી આંસુ જ વહેતા હશે, પરંતુ તે આસું દુઃખ નાં હશે. સરદાર સરોવર નું સ્વપ્ન સિદ્ધ થશે ત્યારે ચોધાર આસું એ રડતા ઈશ્વર ઈશ્વર આંખ માં જે અશ્રું નીકળશે તે હર્ષ નાં હશે.ઇશ્વર ને પણ થશે ,તેણે કરેલ માનવ સર્જન એ તેની કોઈ ભૂલ નાં હતી .હું તો માનું છું કે- તરસ્યાની તરસ છિપાવવી તેજ મોટામાં મોટી ઈબાદત છે.ઈશ્વર ની ભક્તિ છે.
નર્મદા યોજના સમયસર પુરી થઇ ગઈ હોત તો તો સૌરાષ્ટ અને કચ્છ ની પરિસ્થિતિ આટલી દારૂણ કે દાહક નાં હોત.દુનિયા નાં બધાજ દેશો માં મોટા-મોટા બંધો બંધાય છે.જાપાન અને નોર્વે માં તો મોટા બંધો ઘણાં જ છે. અરે,રશિયા માં તો નદી નાં પ્રવાહ ને જુદી દિશા માં વાળી તરસ્યાને પાણી પોહોચાડવામાં આવ્યું છે.ઈજીપ્ત માં નાઇલ નદી પર વિરાટ આશ્વન બંધ બંધાયો ત્યારે ઘણાજ ગામો ડૂબ્યાંઅને પૂરાતન મદિરો ખસેડાયા..આજે ઈજીપ્ત માં ચારે બાજુ હરિયાળ ખેતરો જોવા મળે છે.સૌરાષ્ટ્ર ની લીલુડી ધરતી આજે રણ પ્રદેશ માં ફેરવાઈ રહી છે.સૌરાષ્ટ્ર નાં ગામો માં આજે છે તેવી પાણી ની તંગી ઈજીપ્ત નાં રણ પ્રદેશ માં પણ નથી.જો નર્મદા બંધ નહિ બંધાય તો આવનારા વર્ષોમાં સૌરાષ્ટ્ર નાં ગામો માં “ઇથોપિયા” સર્જાઈ જશે.”ઈથિયોપિયા” માં નાઇલ વહે છે પરંતુ ત્યાં બંધ નથી તેથી ત્યાં કાયમી દુકાળ રહે છે.પર્યાવરણ ને નામે નર્મદા યોજના નો વિરોધ કરવો એ માનવ જાત સામે નું એક પાપ છે.નર્મદા યોજના નો વિરોધ કરનારાઓ નું મનોવિજ્ઞાન વિચિત્ર છે.યુદ્ધ કરતાંય દુકાળ ભયંકર બાબત છે.સરદાર સરોવર બંધ તો હવે યુદ્ધ ના ધોરણે નહિ પરતું દુકાળ ના ધોરણે બંધાવો જોઈએ.યુદ્ધ માં માણસ ને મારવો પડે છે.દુકાળ માં માસા અપોઅપ મરે છે.કોર્ટ માં અટવાતી નર્મદા યોજના માં સૌરાષ્ટ્ર-કચ્છ ની મૂંગી ગયો-ભેંસો જુબાની ના આપી શકે ભૂકે-તરસે એ મોત ને ભેટે એ એની જુબાની છે.તરસે મરતી પ્રજા ને ન્યાય આપવાનો અર્થ એ જા કે તેમને પાણી પહોંચાડવું. તરસી પ્રજા પાણી ના પ્યાલ માં પરમેશ્વર ને જુએ છે. હું તો માનું છું કે- એક ચેક ડેમ બાંધવો એજ સાચો સહસ્ત્રચંડી યજ્ઞ છે.ગામના સ્ત્રી-પુરુષો શ્રમ યજ્ઞ કરી ચેક ડેમ બાંધે છે ત્યારે ત્યાં સાક્ષાત વિષ્ણુ હાજર હોવાનાજ...,કારણ કે....... “યજ્ઞો વૈ વિષ્ણુ...”અને વિષ્ણુ હોય ત્યાં લક્ષમીજી હોવાનાજ .વરસાદ નું એક –એક ટીપું કીમતી છે.હવે જળ ક્રાંતિ કરવાનો સમય આવી ગયો છે.આપણે ત્યાં વોટર મેનેજમેન્ટ નો સદંતર અભાવ છે.દુનિયાનો સૌથી વધારે વરસાદ ચેરાપુંજી-આસામ માં પડે છે.પરંતુ ત્યાં પણ પાણી ની અછત હોય છે.આપણે ક્યાં જઇ રહ્યા છીએ?જરા આંખ ખોલીને ઇઝરાયેલ જેવ ટચુકડા દેશ સામે જોઈએ.આ રણ પ્રદેશ હરિયાળો ,લીલોછમ બની રહ્યો છે...આપણી સંવેદના મારી પરવારી છે કે શું?હવે વધારે મોડું થાય તે પહેલાંઆપણે જાગીએ ,અને પાણી નો બગાડ અટકાવીએ ,વરસાદ ના સમુદ્ર માં વહી જતાં પાણી ને જમીન માં ઉતારીએ.અને “રસહીન” ઘરા થતાં અટકાવીએ.
હું તો આજ આ અષાઢી બીજ ના દિને નિમિત્તે એકજ પ્રાર્થના કરું છું કે-
“ હેં મેઘદૂત તું સૌરાષ્ટ્ર ભણી વળ,રાજસ્તાન ભણી વળ,ત્યાંનાં તરસ્યા લોકો તારા આગમન ની કાગડોળે પ્રતિક્ષા કરી રહ્યાં છે...”
ધન્યવાદ
જગત અવાશિયા
પ્રાર્થના સભા માં અષાઢી બીજે
આપેલ વ્યક્તવ્ય.....તારીખ:-૦૪.૦૭.૨૦૦૦
ધોરણ ૮ –એ.
વાત્સલ્ય...!!
Wednesday, March 21, 2012
Sunday, February 26, 2012
૨૭.૦૨.૨૦૧૨.......
આજે
મારા પિતરાઈ બંધુ/મિત્ર / સહ અધ્યાયી .........ભાઈ શ્રી ધીરેન--- લાડમાં છેલભાઈ ને
નિવૃત્તિ ની શુભકામનાઓ સહ........એક અહેવાલ ..............
Modi’s key media advisor Avashia quits
HCL Laptops @ 0% Interest HCLStore.in/Call-to-2nd Gen Intel® Core™
HCL ME Laptops in 6 Easy EMI - Shop Now Pay Later!Ads by Google
Chief Minister Narendra Modi’s key media advisor
and the brain behind his many publicity projects, Dhiren Avashia, quit on
Wednesday after nine years in the job. Avashia, 64, had joined the state’s
Information Department as director, electronic media — a post created for him —
in 2003.
A former journalist and director of Educational
Media Research Center at Gujarat University, Avashia was appointed essentially
to manage the national electronic media — where he had good contacts — which
was seen as hostile to Modi.
Though Avashia said he quit “to pursue my post
retirement plans only”, his sudden resignation in the crucial election year is
still a matter of speculation in state’s power corridors.
“There is no other reasons. My contract ended
three months before and I requested the Chief Minister to relieve me from my
duties so he agreed. I am planning to do my on consultancy job and spare more
time for writing on my choice of subjects,” Avashia said. People in the know,
who did not want to be identified, said he planned to join a leading vernacular
daily as editorial advisor.
Sources in the Chief Minister’s Office said
Avashia left because there wasn’t much for him to do. “There was a limited job
for him left as head of electronic media division as most of as most of the
electronic and national media management of CM has been outsourced to private
agencies. The post is likely to be discontinued,” the source said.
Wednesday, February 22, 2012
૨૩.૦૨.૨૦૧૨ ..........આજે.......
Destiny……નિયતી.........
|
Sunday, February 19, 2012
૧૩.૦૯.૨૦૧૦
આજે ચાર્લી ચેપલીન નાં ત્રણ સંવેદના સભર વાક્યો...........સંકલિત
Charlie Chaplin's 3 Heart touching Statements
Nothing is permanent in this world, not even our troubles. . . . !
The most wasted day in life, the day in which, we have not laughed.
I like walking in the rain, becoz nobody can see my tears.
આજે ચાર્લી ચેપલીન નાં ત્રણ સંવેદના સભર વાક્યો...........સંકલિત
Charlie Chaplin's 3 Heart touching Statements
Nothing is permanent in this world, not even our troubles. . . . !
The most wasted day in life, the day in which, we have not laughed.
I like walking in the rain, becoz nobody can see my tears.
૨૦.૦૨.૨૦૧૨
આજે મહાશિવરાત્રી .........રામ
નવમી,જન્માષ્ટમી,મહાવીર જયંતી વિ .જન્મ દિવસ છે.શિવજી જન્મ,મૃત્યુ થી પર છે.મારા
ખ્યાલ પ્રમાણે શિવરાત્રી એ દેવાધીદેવ
શિવજી અને મા પાર્વતી નો લગ્ન નો દિવસ છે. સુષ્ટિ ના સર્જનહાર મહાદેવ ને લગ્નદિવસ
ની શુભેછાઓ પાઠવવાની પણ આપણી પાત્રતા કેટલી?
પરંતુ આ પવિત્ર દિવસે ભોળાનાથ ને વંદન કરી ને જરૂર ધન્યતા અનુભવીએ.કહેવાય છે કે શિવરાત્રી
નું વ્રત કરનાર ને સુખી લગ્નજીવન અને પ્રસન્ન દામ્પત્ય જીવન નું વરદાન છે.
હે
શિવ !
મારાં ત્રણ પાપ બદલ
મને ક્ષમા કરજો.
હું તીર્થયાત્રા માટે કાશી આવ્યો ત્યારે
ભૂલી ગયો કે તમે સર્વવ્યાપી છો !
હું સતત તમારો વિચાર કરું છું, કારણ કે
હું ભૂલી જાઉં છું કે તમે તો વિચારોથી પર છો !
હું તમને પ્રાર્થના કરું છું ત્યારે ભૂલી જાઉં છું
કે તમે તો શબ્દોથી પર છો !
મારાં ત્રણ પાપ બદલ
મને ક્ષમા કરજો.
હું તીર્થયાત્રા માટે કાશી આવ્યો ત્યારે
ભૂલી ગયો કે તમે સર્વવ્યાપી છો !
હું સતત તમારો વિચાર કરું છું, કારણ કે
હું ભૂલી જાઉં છું કે તમે તો વિચારોથી પર છો !
હું તમને પ્રાર્થના કરું છું ત્યારે ભૂલી જાઉં છું
કે તમે તો શબ્દોથી પર છો !
-આદિ
શંકરાચાર્ય
Subscribe to:
Posts (Atom)



