Saturday, October 30, 2010

अन्तर

૨૯.૧૦.૨૦૧૦


अन्तर

इतनी विशाल दुनिया में,हर जगह कुछ –न –कुछ अन्तर है I
व्यकित में अन्तर है I वस्तु में अन्तर है I दृष्ट्रि में अन्तर है, सृष्टि में अन्तर है I
लेकिन कई चीजें ऐसी भी है,जिनमे अन्तर होते हुए भी अन्तर नहीं है I गंधहीन फूल और कागजी फूल में क्या अन्तर है? ----दोनों में ही सुगंध का अभाव है I सुखी नदी और रेगिस्तान में काया अन्तर है?---–प्यास बुझाने में दोनों ही बेकार है I धोखेबाज दोस्त और दुश्मन में क्या अन्तर है ? दोनों खतरनाक है I तीखा बान और तीखी वाणी में क्या अन्तर है? –दोनों नुकसान पहुचाते है I कमजोर और कायर में क्या अन्तर है?-- दोनों ही मुश्किलों से डरते है I
तो अन्तर भले सारी दुनिया में हो,पर हमारे अन्तर्मन में कोई भी अन्तर नहीं होना चाहिए I
२(अभिताभ का खजाना... ....से)

Thursday, October 28, 2010

ज्ञान की पहचान

२७.१०.२०१०


ज्ञान की पहचान
यह जरुरी नहीं की उतम वस्तु प्राप्त करने के लिए,सिर्फ गुरु या ज्ञानी या उतम व्यक्ति के पास ही जाया जाय I यह भी जरुरी नहीं की अच्छी वस्तु सिर्फ अच्छी जगह ही प्राप्त हो Iगुण या ज्ञान प्राप्त करने के लिए तो कहा गया है कि:
उतम विद्या लीजिए,जदपि नीच पै होय,
परौ अपावन ठौर में,कंचन तजत न कोई .
उतम विद्या यदि किसी अयोग्य या नीच व्यक्ति से भी मिले,तो भी उसे लेने में संकोच नहीं करना चाहिए I. परौ अपावन ठौर में -----गन्दगी में भी पड़ा हुआ ,हुआ,कंचन तजत न कोई.----सोने को कोई तजता नहीं है I उसे उठाने के लिए तैयार रहता है I जो गुणी है,वह गुणी ही रहेगा,भले ही वह किसी अयोग्य जगह पर ही क्यों न हो I हिरा काले पत्थरों के बिच पाया जाता है, कमल कीचड़ में भी खिलते है, और कांटेवाली झाडियों पर गुलाब के फूल लगतें है I जहां गुण होंगे,उस जगह का महत्व अपने आप बढ़ जायेगा I भले ही वह कितना ही गन्दा स्थान क्यों न हो I.
१ (अभिताभ का खजाना... ....से)

Tuesday, October 26, 2010

મહાનાયક અમિતાભ બચ્ચન ની બ્લોગ પોસ્ટ સાભાર.........

૨૫.૧૦.૨૦૧૦.


આજે મહાનાયક અમિતાભ બચ્ચન ની બ્લોગ પોસ્ટ સાભાર.........



Sopaan , New Delhi Oct 22/23 , 2010 Fri/Sat 1 : 12 PM

A sense of great pride. The President of India presenting award for Best Actor for ‘PAA’. Eyes moist as the audience gives a standing ovation. Which in formal functions is an abnormality. The president whispers to me “ I have seen your film and loved it”. I give an embarrassed laugh. Abhishek and Balki and Arundhati going up on stage for their respective awards. Crowds and media paying scant respect to decorum and protocol, surround and mob within these very august precincts of Vigyan Bhavan.It has rained very heavily as we enter. And then stops by the time we finish. An omen again !

But really .. a wonderful moment for the family – Jaya, Aishwarya, Niky and Shweta all in the audience, cheering and applauding and feeling pride and passion for the moment.

Later all collecting at Shweta’s elegantly decorated home for dinner – Vidhu Vinod Chopra, Raju Hirani, Balki, Arundhati, Rakeysh Mehra, Venki, Rana, Swanand and the irrepressible Suhel Seth … a lovely evening with the kids and samdhis Ritu and Rajan … music repeats of ‘Guzarish’ and ‘Action Replay’, which grows on us gradually. Sanjay Leela Bhansali has composed the music for Guzarish and its soothing and nostalgic and beginning to grow on us all … takes a while. The other Action Replay is lusty and hot and grooving and all seem to move along with it. Jaya surprisingly gives it a thumbs up, which has to be said is rather unusual … she does not normally do that …

Felt a sense of pride and happiness to see Abhishek walk up to the President for his award as producer for PAA.

But before that the entire morning media and media and media … till you are bursting with having to give responses to the same questions again and again.

Its actually a wonderful exercise for an actor, on how differently he is able to give the same reply in 5 different ways !!!

Tomorrow its back to Mumbai and straight on to the set and KBC.

Thank you India for this national recognition. Give me the strength to work diligently towards achieving what we set out to do in life ….

I am exhausted and tired and over interviewed !

Love to all

Amitabh Bachchan

Sunday, October 24, 2010

ફ્નેડો .....જગત નાં બ્લોગ વિચાર જગત માંથી સાભાર......

૨૩.૧૦.૨૦૧૦


આજે સનેડો નહી પરંતુ ફ્નેડો .....જગત નાં બ્લોગ વિચાર જગત માંથી સાભાર......

સનેડો એ ગુજરાતી લોકસંગીત નો એક ભાગ છે. સનેડો નૃત્ય કરતાં કરતાં ડાકલીના તાલે ગવાય છે. આ નૃત્ય સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં પરંપરાગત પ્રચલિત છે. સને ૨૦૦૪-૨૦૦૫ની સાલમાં મણીરાજ બારોટ નામના કલાકાર થકી સનેડો આખા ગુજરાત રાજ્યમાં અત્યંત લોકપ્રિય થયો. ગુજરાતની જનતા વરઘોડો,ગરબા જેવા પ્રસંગોમાં સનેડાના તાલે નાચી ધૂમ મચાવતા જોવા મળે છે.

(Source: http://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87%E0%AA%A1%E0%AB%8B)

સનેડા પર થી પ્રેરણા લઇ

સનેડો નહી, પરંતુ “ફન”(fun) નો ફનેડો રજૂ કરું છું :


                          











  

ફોટો : યુનાઇટેડ વે ઓફ બરોડા – ગરબા ગ્રાઉન્ડ,વડોદરા)

એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,

કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,

કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!

કે તૈણ માહ પે’લા થી જ હરખાતા,

ને પાછા “પાસ” લેવા મૂકતા દોટ,

નવ દિ’ હારું નેવું દિ’ પે’લે થી હજતા-ધજતા, લાલ ફનેડો…!

એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,

કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,

કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!

કે ‘બાઈ’કુ ને મોટર લઇ ઓમતેમ ફરતા,

ને પાછા મેદાન પર ટોઈમ પર પોં ‘ચતા,

ટોળકી બનાઈ ને ઘૂસ મોરતા, લાલ ફનેડો… !

એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,

કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,

કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!

કે દોંડિયા ને બદલે ઓયલો મોબાઈલ ફેરવતા,

ને દોઢિયા ની હારે “ડિસ્કો ગરબાયે” હલાવતા,

મન મૂકી મોજમાં ઓમ તેમ ઘૂમતા , લાલ ફનેડો…!

એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,

કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો

કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!

કે ધીમા તાલ મા ત્રણ તાલી ખરી,

ને ‘મુંબઈની ગોડી’મા સફર પણ ભલી,

પણ મારો ’ફનેડો’ તો બારે માસ , લાલ ફનેડો…!

એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,

કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,

કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!

કે ગરબા પછી, બર્ગર-પિત્ઝા ને સેન્ડવિચ ઝાપટતા,

ને ભાઈબંધ-સખીયુ સાથે હરુભરુ પણ થાતા,

છેલ્લા દિ’ એ ફરી વાટ જોતા નવરાતની , લાલ ફનેડો…!

એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,

કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,

કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!

- જગત અવાશિયા

Friday, October 22, 2010

કવિ શ્રી વિપિન પરીખ…

૨૧.૧૦.૨૦૧૦
કવિ શ્રી વિપિન પરીખ… ૮૦ વર્ષની વયે .૧૭.૧૦.૨૦૧૦ ના રોજ મુંબઈમાં અવસાન પામ્યા. શ્રદ્ધાંજલિ સહ .......આજે તેમના વિષે ..........
ભગવાન પણ ભોંઠા પડે.

માંગવાનું કહે છે તો માંગી રહું છું આ પ્રભુ!


દઈ દે મન એવું કે માંગે એ કશું નહી ! -----વિપિન પરીખ

વિપિન પરીખ આમ તો સામાજિક સભાનતાનાં કવિ છે. રોજીંદી ઘટનાઓ માંથી એ કાવ્યો કરી શકે છે. એમની કવિતા નો બીજો પણ એક મિજાજ છે. અને તે આંતર- નિરિક્ષણ.એક ક્ષણ કલ્પના કરો કે ખુદ ઈશ્વર આવીને કહે માંગ માંગ,માંગે તે આપું! આપણી ભીતર છુપાયેલો સાત જનમ નો લોભ વિરાટ ભિક્ષાપાત્ર લઇ ને ઉભો રહેશે .ઈશ્વેર આપતાં થાકે ,પણ આપણે લેતાન થાકીએ. એટલું લાલચુ છે આપણું મન.આપણે ચિરયાચક છીએ.આપણને પણ ખબર નાં પડે એમ આપણે કાકલુદી કરતાં હોઈએ છીએ. અને કરગરતા હોઈએ છીએ. વાતો ખુમારી અને સ્વમાન ની કરતાં હોઈએ છીએ.બાહ્ય

અને આંતરિક દરિદ્રતા સાથે જીવીએ છીએ. પરંતુ કેટલાય બગીચાઓ ની પાછળ રણનાં રણ છુપાયેલાં હોય છે. જાણી મરણ સુધી ગંધ આવતી નથી.
અહીં કવિએ ઉત્તમ વાત કરી છે .ખુદ ભગવાન પણ ભોંઠા પડે એવી વાત છે એ તો ઈશ્વર ને એટલુંજ કહે છે કે આપવું જ હોય તો એવું મન આપ ,જે કશુંય ન માંગે.મન સનાતન માંગણ છે. પણ. તદન નિસ્પૃહ મન જવી કોઈ મિરાત કે અમીરાત નથી .વિપિન પરીખે એક હાઇકૂ પણ લખ્યું છે....

મંદિર બહાર

ભિક્ષુક,ભીતર હું,

ફર્ક કેટલો?
મંદિર ની અંદર જનારાઓ પણ ભિખારી છે. પણ મંદિર બહાર ઊભેલો ભિખારી ભિખારી છે ને ભિખારી દેખાય છે આપણે દેખાતા નથી એટલું જ .
                                                                                                   .....સુરેશ દલાલ .

Wednesday, October 20, 2010

પાંડુરંગ શાસ્ત્રી આઠવલે

૧૯.૧૦.૨૦૧૦




આજે સ્વાધ્યાય ક્રાંતિ નાં પ્રણેતા પુ. દાદા નો જન્મ દીવસ .....બ્લોગ વિચાર જગત માંથી સાભાર.............પૂજ્ય દાદા ... પાંડુરંગ શાસ્ત્રી આઠવલે

પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (ઓક્ટોબર ૧૯, ૧૯૨૦ - ઓક્ટોબર ૨૫, ૨૦૦૩) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ પ્રદેશમાં રોહા નામનાં ગામમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા અને પિતા વૈજનાથ આઠવલે (શાસ્ત્રી) તથા માતા પાર્વતી આઠવલેનાં પાંચ સંતાનો પૈકીના એક હતા, જેઓ "શાસ્ત્રી" તેમ જ "દાદાજી" તરીકે પણ ઓળખાય છે.

પાંડુરંગ શાસ્ત્રી પોતે હિન્દુ ધર્મના શાસ્ત્રોના પ્રખર વિદ્વાન હતા. તેમણે હિન્દુ ધર્મના મહાગ્રંથ ગીતાનાં જ્ઞાનને સરળ શૈલીમાં સમજાવી સામાન્ય લોકો સુધી પહોચાડવાનો પુરુષાર્થ આદર્યો હતો. એના પરિણામ સ્વરૂપ સ્વાધ્યાય પરિવારની સ્થાપના થઇ, જેમાં આજે લાખો લોકો હોંશે હોંશે સક્રિયપણે જોડાયેલા છે. આ પરિવારમાં વિદ્વાનોથી માંડી સામાન્ય માનવી જોવા મળે છે. પાંડુરંગ શાસ્ત્રીજીની સરળ શૈલીએ બાળકો, યુવાનો, વયસ્કો એમ આબાલવૃધ્ધ બધાને પરિવારમાં એકસૂત્રે સાંકળી લીધા છે.

પાંડુરંગ શાસ્ત્રીજીને રેમન મેગસેસે એવોર્ડ (Ramon Magsaysay Award), ટેમ્પલટન પુરસ્કાર (Templeton Prize for Progress in Religion, મહાત્મા ગાંધી પુરસ્કાર, લોકમાન્ય ટિળક પુરસ્કાર, પદ્મ વિભૂષણ, એવા વિવિધ પુરસ્કારો એનાયત થયા છે. એમનો જન્મદિવસ સ્વાધ્યાય પરિવાર દ્વારા જગતભરમાં મનુષ્ય ગૌરવ દિન અથવા માનવ ગરિમા દિન તરીકે ઉજવવામાં આવે છે
(Source:http://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AB%81%E0%AA%B0%E0%AA%82%E0%AA%97_%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80_%E0%AA%86%E0%AA%A0%E0%AA%B5%E0%AA%B2%E0%AB%87)
આજે ૧૯ ઓક્ટોબર પરમ પૂજ્ય દાદા નાં જન્મદિન (“મનુષ્ય ગૌરવ દિન” અથવા “માનવ ગરિમા દિન”) નિમિત્તે આદરપૂર્વક અને વંદનપૂર્વક, ભૂતકાળ મેં રજૂ કરેલા વ્યક્તવ્યનાં અંશો પ્રસ્તૂત કરું છું :

“प्रभु हमारे साथ है, क्यों बने हम दीन ? हमारा दिन, मनुष्य गौरव दिन !!”
મારા સ્વાધ્યાયી વડીલો તથા મિત્રો,

આજે હું આપની સમક્ષ એક ધ્રુષ્ટતા કરવા માગું છું.રજકણ સૂરજ થવાનો કે સૂરજને આંબવાનો પ્રયત્ન કરે તેવો જ આ એક બાલિસ પ્રયાસ છે.ક્યાં સૂર્ય જેવા ઝગમગતા તેજપુંજ દાદા અને ક્યાં તેમનાં વિષે બોલનારો આ રજકણરૂપી બાળક હું ? પરંતુ ખુદ સૂર્ય પર પ્રકાશ પાડવાની મારી આ ચેષ્ટાને આપ ‘બાળહઠ’ ગણી ક્ષમ્ય ગણશો.

મરાઠીમા મોટાભાઈને ‘દાદા’ કહે છે.એ સૌના મોટા ભાઈ જેવા લાગે છે અને દાદા જેવા વયોવૃદ્ધ તો ક્યારેય લાગતા નથી.સફેદ વસ્ત્રો, કબીરની ડાઘાડૂઘ વગરની ચાદર જેવા દ્રઢ સંકલ્પથી ઘડાયો હોય તેવો સશક્ત દેહ છે.ચશ્માં પાછળ દેખાયા કરતી સ્નેહાર્દ આંખો અને મંદિરમા ધજાની જેમ વારેવારે વાતચીતમા ફરકતું હાસ્ય તેઓની ખૂબી છે.

સમાજ સંત તરીકે સ્વીકારે એટલે તેમણે ભગવા નથી ધારણ કર્યા કે નથી પોતાના શિષ્યવૃંદ પાસે ભગવા પહેરાવ્યા.દુનિયાનાં આધ્યાત્મિક પુરુષોની પરદેશમા એક પરિષદ હતી.સૌ પોતપોતાનો પરિચય આપવાના હતા.પાંડુરંગ શાસ્ત્રીજીનો વારો આવ્યો ત્યારે તેમણે કહ્યું કે – “Self Introduction is not our culture”.

તેમણે ગામેગામ મંદિર બાંધવાની પ્રવૃત્તિ કરી છે પરંતુ કેવળ પૈસાથી બંધાય તે મંદિર નથી હોતું.તેઓ ગામ નાં દરેક માણસને મંદિરનાં બાંધકામમા સાંકળે છે.દરેકને લાગે કે આ મંદિર અમારું છે.આ રીતે લોકો મા આત્મીયતા કેળવાય.કોઈ ગામમાં લીલુંછમ મંદિર હોય તો અવશ્ય જાણજો કે તેની પાછળ દાદાનો જ હાથ હોય.પાંડુરંગ શાસ્ત્રીજીએ તેમના યોગેશ્વર કૃષિ, વૃક્ષમંદિર, અમૃતાલય, શ્રીદર્શનમ્, હીરા મંદિર, મત્સ્યગંધા, ગોરસ ઇત્યાદિ સેંકડો કાર્યક્રમો દ્વારા મનુષ્ય ઉત્થાનની પ્રવૃત્તિઓ કરી છે.

ભાવનગરમા એક મંદિરનાં ઉદઘાટન પ્રસંગે તેઓએ મુસલમાનો ને પણ આમંત્રણ આપ્યા.ત્યાંનાં મુસલમાનો ને પણ નવાઈ લાગી.હિંદુઓને ત્યાં લગ્નનાં તેમણે આમંત્રણ મળતા હતાં.પરંતુ ધાર્મિક વિધિનું આ પહેલું જ આમંત્રણ હતું.દાદાએ કહ્યું – “અલ્લા અને ઈશ્વર જુદા હોય તો એ લોકો જ લડતા હોત અને મુસલમાનનાં અલ્લા કે હિંદુઓનાં ઈશ્વર એકબીજાની વસ્તી પર વરસાદ જ ન વરસાવતા હોત.”

તેમનાં મંદિરમા પણ સાદાઈનું ધોરણ એ સૌથી મહત્વની વસ્તુ.એક ઉત્સાહી ભાઈએ મંદિરમાં આરસ વાપરવાનું સૂચન કર્યું.ત્યારે દાદા કહે “આરસ ફાઈવ સ્ટાર હોટલની બાથરૂમમા વપરાય છે.શું આપણે ભગવાન ને એ સ્તર પર મૂકવા છે ?”

માછીમારોની દુનિયામા તેમણે જબરદસ્ત પરિવર્તન આણ્યું છે અને તેઓને વ્યસનમુક્ત કર્યા છે.દાદા જન્મે મરાઠી હોવા છતાં ગુજરાતી ભાષા પર તેમનું પ્રભત્વ અદભૂત છે.તેઓ હંમેશા કર્મપ્રેરિત વચનો આપે છે.દાદા કહેતા કે "આજની પ્રચલિત ભકિત શાસ્ત્રોકત નથી. કારણ કે પરમાત્મા જે સાઘ્ય છે તેને લોકોએ પોતાની ભૌતિક આવશ્યકતાઓ પૂરી પાડવાનું અથવા તો ભીતિથી તેમનું રક્ષણ કરવાનું એક સાધન બનાવી દીધા છે." દાદા બાળકો – યુવાનોને વિકાસલક્ષી પ્રવૃત્તિમા સક્રિય કરી રહ્યા છે.તેઓએ અનેક માણસો ને કર્મયોગ મા જોડ્યા છે.તેઓ એ ‘ડિવાઈન બ્રધરહૂડ અંડર ધી ફાધરહૂડ ઓફ ગોડ’ની ભાવના લોકોમા જાગૃત કરી.દેશ અને પરદેશમા દાદાનાં લાખો અને કરોડો ચાહકો છે.તેમની વૃતિ અને પ્રવૃત્તિમા ગીતાનાં અધ્યાયનો રણકાર છે.તેઓ આ યુગનાં ‘યુગપુરુષ’ છે.

“કૃષ્ણમ વંદે જગદગુરૂ”

જય યોગેશ્વર

તા. ૨૧/૮/૧૯૯૯


બાળ-સ્વાધ્યાય કેન્દ્ર, વડોદરા ખાતે આપેલ વ્યક્તવ્ય


જગત અવાશિયા

Friday, October 15, 2010

દમાદમ મસ્ત કલંદર

૧૫.૧૦.૨૦૧૦



આજે દમાદમ મસ્ત કલંદર .........આ સુફી ગીત આપણે સૌ એ ઘણીવાર સંભાળ્યું છે ,પરંતુ તેનો અર્થ સમજ્યા વગર ........આજે તેનાં અર્થ સહીત.....(સંકલિત)


દમાદમ મસ્તકલંદર


ओ हो हो…..


ओ लाल मेरी पत रखियो बला झुले लालण


सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर


दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर


दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर


चार चराग तेरे, बर्ण हमेशा - 3


पंजवा में बारण, आइ बला झुले लालण


सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर


दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर


दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर


हिंद सिंद पीरा तेरी नौबत बाजे - 3


नाल वजे घडियाल बला झुले लालण


सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर


दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर


दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर


ओ हो… ओ हो हो…. ओ…..


हर दम पीरा तेरी खैर होवे - 3


नाम-ए-अली बेडा पार लगा झुले लालण


सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर


दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर


दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर


ओ लाल मेरी पत रखियो बला झुले लालण


सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर


दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर


दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर






ओ लाल मेरी पत रखियो बला झुले लालण


सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर

ઝુલે લાલ (सिंदरी दा - સિંધના રતન રાવ લુહાણા) અને શહેવાનના (सेवण दा) દરબાર શાહબાઝ કલન્દર તમે હંમેશાં મારી લાજ રાખજો (રક્ષા કરજો)


(શાહબાઝ કલન્દર - પિર ઉસમાન શાહને નામે પણ ઓળખાય છે)


चार चराग तेरे, बर्ण हमेशा - 3


पंजवा में बारण, आइ बला झुले लालण


તમારી દરગાહ પર હંમેશા ચાર ચિરાગ પ્રગટાવેલા હોય છે


પાંચમો મેં પ્રગટાવ્યો છે (बारण - બાળવું)


Meaning:


(O lord of Sindh, Jhulelal, and Sire of Shewan


The red robed God-intoxicated Qalandar, glory unto you!


May I always have your benign protection


Your shrine is always lighted with four lamps


And here I come to light a fifth lamp in your honor


Let your heroic name ring out in Hind & Sindh


Let the gong ring loud for your glory


O Lord, may you prevail everytime, everywhere


In the name of Ali, I pray to you to help my boat cross


(the river of life) in safety)


નીચે અર્થ


આ વિષય પર વધારે


ઝુલે લાલ હિંદુ હતા અને શાહબાઝ કલન્દર મુસ્લિમ. આ ભજનમાં બન્નેના ગુણગાન ગવાય છે.


ઇતિહાસ ઘણો લાંબો છે અને એ બધું web ઉપર સહેલાઈથી મળી શકે તેમ છે.


हिंद सिंद पीरा तेरी नौबत बाजे - 3


नाल वजे घडियाल बला झुले लालण


હિંદ અને સિંધમાં (હાલનું અફઘાનિસ્તાન) તમારા નામનો ડંકો વાગે છે,


તમારું નામ ચારેબાજુ બુલંદીથી ગાજી ઉઠે


हर दम पीरा तेरी खैर होवे - 3


नाम-ए-अली बेडा पार लगा झुले लालण


કાયમ તમારી કૃપા રહે


અલીના નામે મારો બેડો પાર થાય (ભવસાગર)


(सिंदरी दा - સિંધના


सेवण दा - શહેવાનના)


FootNote: નંબર શબ્દ આધુનિક સમયમાં ઉમેરાયેલો છે, અસલી કવ્વાલીમાં તો ફક્ત अली दम दम दे अंदर છે


નેટ પરથી સંકલિત

Wednesday, October 13, 2010

વાંચો અને વિચારો ....સંકલિત

૧૨.૧૦.૨૦૧૦ (આસો સુદ ...૫ )


આજે વાંચો અને વિચારો ....સંકલિત

जीवनमे कामयाब होनेके लीये ३ Factory लगाईए


• दिमागमे Ice factory


• झुबांपे Sugar factory


• दिलमे Love factory


फीर life होगी Satisfactory

एक दिन सागरने नदि से पुछा कबतक मिलती रहोगी मुज खारे जल से


हंस के नदिने कहा जब तक तुझमे मीठाश न आ जाए तब तक


Thats “RELATIONSHIP”.

दोस्ताना अंदाझमे मुझसे कीसीने पुछा “तुम सबको इ मेल भेजते हो, तुम्हे क्या मीलता है?”


मैने हंसकर कहा लेना देना तो व्यापार है जो देकर भी कुछ ना मागे वोही तो प्यार है.

1 tree makes 1 Lakh matchsticks.


But 1 matchstick can burn 1 Lakh trees.


Similarly 1 negative thought or doubt can burn thousands off dreams….


Be Positive Always !!!

चहेरे की हसी से हर गम छुपाओ, बहुत कु छ बोलो पर कछ ना बताओ


खुद ना रुठो पर रुठें को मनाओ, ये राझ है जिंदगी का बस जीते ही जाओ



वाह प्रभु क्या लीला है तेरी


चुहे बील्लीसे डरते है,


बील्ली कुत्तेसे डरती है,


कुत्ता आदमी सी डरता है,


आदमी बीबीसे डरता है


और बीबी चुहे से डरती है

Sunday, October 10, 2010

ગરબો.........

૧૦.૧૦.૨૦૧૦

આજે મા નો એક ગરબો.........


માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે


સજી સોળ રે શણગાર, મેલી દીવડા કેરી હાર,


માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે ..


ગાગરની લઈ માંડવી માથે ઘુમતી મોરી માત


ચુંદલડીમાં ચંદ છે સાથે રૂપલે મઢી રાત


જોગમાયાને સંગ દરિયો નીતરે ઉમંગ


તમે જોગનીયો સંગ


કે માએ પાથર્યો પ્રકાશ ચૌદ લોકમાં રે..


માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે ..


ચારે જુગના ચૂડલા મારો સોળે કળાનો વાન


અંબાના અણસારા વિના હાલે નહીં પાન


માના રૂપના નહીં જોડ એને રમવાના છે કોડ


માની ગરબા કેરી કોર


કે માએ ગરબો ચગાવ્યો ચાતર ચોકમાં રે..


માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે ..



Friday, October 8, 2010

વિશ્વંભરી ............મા ની સ્તુતિ

૦૮.૧૦.૨૦૧૦

આજે નવલી નવરાત્રી નાં પ્રથમ દિવસે "મા" ની સ્તુતિ



વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,


વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;


દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો


મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 1


ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ,


સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની;


ભાસે ભયંકર વળી મનના ઉતાપો,


મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 2


આ રંકને ઉગરવા નથી કોઇ આરો,


જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો,


ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,


મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 3


મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,


આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,


કોને કહું કઠિન યુગ તણો બળાપો,


મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 4


હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,


આડંબરે અતિ ઘણો મદથી બકેલો,


દોષો થકી દુષિતના કરી માફ પાપો,


મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 5


ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું,


હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,


શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,


મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 6


રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી,


આ જિંદગી થઇ મને અતિશે અકારી,


દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,


મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 7


ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો,


બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,


શક્તિ ન માપ ગણવા અગણિત માપો,


મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 8


પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,


ખોટો ખરો ભગવતી પણ હું તમારો,


જાડ્યાંધકાર કરી દૂર સુબુદ્ધિ આપો,


મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 9


શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,


તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,


વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો,


મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 10


શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,


રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,


સદભક્ત સેવકતણા પરિતાપ ચાંપો,


મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 11


અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાનિ,


ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,


સંસારના સકળ રોગ સમૂળ કાપો,


મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 12











જીવનના સાત પગલા........સંકલિતઃ

૦૭.૧૦.૨૦૧૦
આજે જીવનના સાત પગલા


(૧) જન્મ….એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે…..

(૨)બચપણ....મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે, જે ડુબી શક્યો તે તરી ગયો છે….

(૩) ત રુણાવસ્થા....કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે. મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે.તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ…અને અનેક નવી મૂંઝવણો….

(૪) યુવાવસ્થા....બંધ આંખોનું એ આંધળુ સાહસ છે… તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની ઉમ્મીદો ..અને કુરબાન થવાની આશા છે.

(૫) પ્રૌઢાવસ્થા ....ખુદને માટે કશુ ન વિચારતા… બીજા માટે કરી છુટવાની ખુશી છે. કુટુંબ માટે કંઇ કરી છુટવાની જીજીવિશા છે.

(૬) ઘડપણ....;વિતેલા જીવનના સરવાળા બાદબાકી છે, જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે…

(૭) મરણ....જીદગીની કિતાબના પાના ખુલ્લા થશે…નાડીએ નાડીએ કર્મ તૂટશે.. પાપ-પૂણ્યનો મર્મ ખુલશે…ધર્મ-કર્મનો હિસાબ થશે… સ્વર્ગ-નરકનો માર્ગ થશે…. પોતાનાનો પ્યાર છુટશે……… અને… સાત પગલા પુરા થશે…..માટે..

સાત પગલાની....પાણી પહેલા પાળ બાંધો….

(૧) જીદગીને કોઇપણ જાતની શરત વગર પ્રેમ કરો.

(૨) તમે નહી ખર્ચેલા નાણાના તમે ચોકીદાર છો,

માલીક નથી!

(૩) દુનિયામા દરેક માણસ એમજ સમજે છે કે…તે .. પોતે જ… ચાલાક છે…! પરંતુ જ્યારે કુદરતનો તમાચો પડે છે,ત્યારે માંની છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય છે!

માટે તમારી હોશીયારી તમારી પાસે જ રાખો!

(૪) જો તમને…પહેરવા કપડા, રહેવા ઘર અને..બે ટાઇમ અન્ન મળતું હોય તો…ઉપરવાળાનો આભાર માનજો..તમારાથી બીજા કેટલા સુખી છે..તે જોવા કરતા બીજા કેટલા દુઃખી છે..

તે જોશો તો… તમારે માટે સ્વર્ગ અહીં જ છે!

(૫) તમે પૈસાદાર હો કે ગરીબ.. બધા અંતે મ્રુત્યુને જ વરે છે!

મુખ્ય વાત તો એ જ છે કે.. તમારી ખોટ કેટલાને પડી?

તમારી યાદમા કેટલી આંખો ભીની થઇ!

Monday, October 4, 2010

ફોટો બોલે છે સ્પર્ધા ....૫ નું પરિણામ

૦૪.૧૦.૨૦૧૦


આજે સ્પીક બિન્દાસ.કોમ ..ફોટો બોલે છે સ્પર્ધા ....૫ નું પરિણામ .....
Dear Nirupambhai,
You've won "Photo Bole Chhe Spardha Kramank-5" held at: http://gujarati.speakbindas.com/photo-bole-chhe-5/
Kindly have me your full address with contact number to deliver you the gift hamper.
Thank you for participating.
Regards
Devang Vibhakar
(Editor) - http://www.Speakbindas.com
Cell: +91 94269 70479 (Rajkot, Gujarat - India)



ક્રમાંક સ્પર્ધક વિજેતા એન્ટ્રી

પ્રથમ સાગર પાણખાણીયા

કહી ને “માં” કરે વ્યાપાર,

આ તે કેવી છે સંતાન,

રસ્તે રઝળતી માં ને સાંભરે

ગોકુળ કેરો નાથ….!!

દ્વિતિય નમન છાયા

“આંદોલન, આંદોલન, આંદોલન

આમારો ભાગ,

નહિતર ભુખ હડતાલ.”

તૃતીય નીરૂપમ અવાશીયા


“અમે રસ્તે રજળતી ગાય માતાઓ ……….!!!!!.”.

Sunday, October 3, 2010

જોય ઓફ ગિવિંગ વીક....વ્હાય વીક ઓન્લી ?......જગત અવાશિયા

૦૨.૧૦.૨૦૧૦


આજે ....જોય ઓફ ગિવિંગ વીક....વ્હાય વીક ઓન્લી ?......જગત અવાશિયા

બ્લોગ..... .વિચાર જગત માંથી સાભાર



જોય ઓફ ગિવિંગ એટલે કે “આપવામાં આનંદ”..! “આનંદ”,”ખુશી”,”મઝા”,”સંતોષ”,”ફન” કે પછી “જોય” આ બધું જ જીવન માં કૈક મળ્યાનો ભાવ ઉત્પન્ન કરે છે.જાણે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કર્યાનો ઉન્માદ જગાડે છે.પણ એક વાત નોંધવા જેવી કે પૈસાને તેનાં ચલણમાં (રૂપિયો કે ડોલર....) મોલવી શકાય,ગોલ્ડ ને તોલા માં તોલી શકાય કે પછી ક્વોન્ટીફાયેબલ રાશિઓ(જેવી કે દ્રવ્ય,કદ,વજન,તાપમાન,દબાણ…વગેરે)ને માપી પણ શકાય.પણ તમે “ફન” ને મેઝર કરવાનું “ફનોમીટર” કે પછી આનદ માપવાના “આનંદોમીટર” વિષે સાંભળ્યું છે ?? આ કદાચ શક્ય જ નથી કારણકે આવું “ફનોમીટર” ફન ને માપવા આધાર (બેઇઝ) તરીકે કોને લે ? માણસની સ્માઈલ? – બનાવટી હાસ્ય તો માણસને સરસ આવડે છે. માણસની લાગણીથી ભીની થયેલ આંખો ? – મગરના આંસુ સારવામાં કંઈ મોટી વાત નથી ! હ્રદય ની ધડકન ?- એતો માણસની દુરસ્ત કે નાદુરસ્ત સ્થિતિઓમાં પણ ભિન્ન પરિણામો આપે છે. આમ આવા કોઈ “ફનોમીટર” શોધાઈ શકવાના અણસાર પણ દૂર દૂર સુધી ક્યાય જણાતા નથી !

ચલો,છોડો ને આપણે કંઈ સંશોધનની વાતો કે એના પર રીસર્ચ પણ નથી કરવું. આપણે તો વાત કરવી છે, આનદ કરવો છે – “Joy of Giving” પર ! Joy of Giving Week (JGW) એ માનવપ્રેમ નો મહોત્સવ છે.દર વર્ષે ૨૬ સપ્ટેમ્બર – ૨ ઓક્ટોબર સુધી ઉજવવામાં આવે છે.ગાંધીજયંતિ સાથે પૂર્ણાહૂતિ પામતું આ આખું સપ્તાહ,લોકો બીજાને કૈક આપવાની પ્રતિજ્ઞાઓ,પરિકલ્પનાઓ,સંકલ્પો એવું બધું કરે છે. “India Giving Week” થી શરૂ થયેલું આ મિશન હવે “Joy of Giving” ના નામથી વધુ પ્રચલિત થયું છે.તેની ઉજવણી સામાન્ય રીતે શાળાઓ,મહાશાળાઓ,સરકારી – બિનસરકારી સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવે છે.

“આપવા ની ભાવના” એ તો ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ રહી છે.આપવામાં જે આનદ છે તેને ઝૂઝ શબ્દો માં વ્યક્ત કરવી એ મુશ્કેલ જ નહી,લગભગ અસંભવ છે.ઇતિહાસ ના પાનાઓ ફેરવવામાં આવે તો આપણને એવી અનેક વિભૂતિઓ મળી જશે કે જેમણે “Joy of Giving” ને પોતાનો જીવનમંત્ર બનાવ્યો હતો.

આ યાદીમાં કોઈ પણ સંશય વગર પ્રથમ નામ મૂકી શકાય એ છે : મૂળ યૂગોસ્લાવિયા ના ટેરેસા.તેમણે પોતાના જીવનના ઉતરાર્ધમાં ભારતમાં વસવાટ કરી અહીંના અનેક અનાથ અને નિરાશ્રીતોની નિ:સ્વાર્થ ભાવે સેવા કરી.તેમણે એ લાચાર લોકો ને “માં“ સમાન મમતા આપી.એ પછી તો તેઓ “મધર ટેરેસા “ના નામે ઓળખાયા.કોઈ પણ ક્ષેત્ર્ હોય – કળાજગત હોય-સંગીતજગત હોય–ખેલજગત હોય-વિજ્ઞાનજગત હોય-શિક્ષણજગત હોય – દરેક ક્ષેત્ર માં એવા અનેક લોકો હતા અને છે કે જેમણે પોતાના ગામ કે શહેરને,રાજ્ય ને,દેશ ને અને સમસ્ત વિશ્વને કંઈક ને કંઈક આપ્યું છે.આ તમામ વ્યક્તિઓ અભિનંદનીય છે !

“Joy of Giving Week”ની ઉજવણી માં છેલ્લા કેટલાક વર્ષો થી કેટલીક સેલીબ્રીટીઓ પણ સહકાર આપે છે.આમાંની કેટલીક મહત્વની આ પ્રમાણે છે:

સ્પોર્ટ્સ : સચિન તેન્ડુલકર,રાહુલ દ્રવિડ,ગીત શેઠી,પ્રકાશ પાંદુકોણે,ગોપીચંદ

સિનેમા : શાહરુખ ખાન,સૈફ અલી ખાન,દીપિકા પાંદુકોણે,નંદિતા દાસ ,આર. માધવન

કોર્પોરેટ :નારાયણ મૂર્તિ ,કુમાર બિરલા,કે.વી. કામથ,અદી ગોદરેજ,દીપક પારેખ,અજય પિરામલ.

News Report In Times of India:

The Joy of Giving Week is a new national movement that aims to engage every single Indian in giving back to society in a way that she or he chooses-money, time, skills or resources. So far, 35,000 schools, hundreds of colleges, several state governments, corporates, celebrities and sportspersons have signed up, and the fellowship is growing every day.

Why do we need this? We need this because giving unites people across numerous divides-urban-rural, caste, class and gender-and brings them together. Thus, competing five-star hotels of Chennai will unitedly host a lavish Battle of Buffets fundraising dinner to benefit all Chennai's NGOs, and citizens of every shape and size will run together at city marathons to generate cash and community feeling.

We need this because giving is an eclectic function-let me count the ways. An artist can donate a painting, a student can use his pocket money to buy a pair of chappals for the flower-seller, a housewife can pay for her maid's child education. What better inspiration than young BPO executives whose parents are maids or drivers but who are still eager to donate Rs 50 to 100 a month from their salaries to a cause.

We need it because India could do with more Bill Gateses and more Warren Buffets. As India continues to struggle with its paradoxes of growth with inequity, of having the most billionaires in the world and the largest impoverished population, the Joy of Giving Week is an opportunity to redeem ourselves. To paraphrase management guru Peter Drucker's words, when we look in the mirror in the morning, we should be looking at a citizen who takes responsibility, a person who as a neighbour cares.

No one person owns or controls the Joy of Giving Week. A team of volunteers is travelling across the country to meet and motivate people to participate. GiveIndia, the organisation that brought `fundraising in marathons' to India, is co-ordinating the effort.

પણ, હવે પ્રશ્ન એ જ કે ઉજવણી ભલે એક વિક પૂરતી મર્યાદિત હોય,પરંતુ આપણે “કોઈક ને આપવાની” આ ઉમદા ભાવના ને આપણા સ્વભાવમાં ન વણી લઈએ ? અને જીવનભર Joy of Giving ન મનાવતા રહીએ ?

- જગત અવાશિયા

Saturday, October 2, 2010

આજે બે મહામાનવ ની જન્મ જયંતી ......

૦૨.૧૦.૨૦૧૦


આજે બે મહામાનવ ની જન્મ જયંતી .......ચાલો તમેને યાદ કરીએ.




ગાંધીજયંતિ તે દિને…..

"માર્ગમાં કંટક પડ્યા


સૌને નડ્યા


બાજુ મૂક્યા ઊંચકી


તે દી નકી


જન્મ ગાંધી બાપુનો.


- તિથિ ન જોશો ટીપણે


 ગાંધીજયંતિ તે દિન"

                                                                                                   -ઉમાશંકર જોશી

"કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો,


બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો.


ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?


ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો."

                                                            ----- શેખાદમ આબુવાલા

૦૨.૧૦.૨૦૧૦
વામન ભયો વિરાટ”




વામન સ્વરૂપે વિરાટ કાર્ય દ્વારા ભારતીય જન માનસમાં
એક સાદાઈ, સેવા અને અડગ નિશ્ચયી એવા લોક લાડીલાવડા પ્રધાન સ્વ.લાલબહાદૂરશાસ્ત્રીજીનો ૨ જી ઓક્ટોમ્બરના દિને જન્મ દિવસ છે.


.... જય જવાન.... જય કિશાન..

Friday, October 1, 2010

Joy Of Giving........

૩૦.૦૯.૨૦૧૦


આજે Joy of giving સપ્તાહ ની ઉજવણી....(૩) ..... podar world school.અને અન્ય શાળા વિષે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વડોદરા આવૃત્તિ નો અહેવાલ ..... (૨૭.૧૦.૨૦૧૦ )