Saturday, May 21, 2016

નરસિહ જન્મ જયંતિ


              
                     ૨૧.૦૫.૨૦૧૫..
                     ભક્ત શિરોમણી નરસિહ ને જન્મ જયંતિ નિમિત્તે સદર વંદન સહ..



ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી રે,
ગિરિવરધારીને ઉપાડી, મટુકીમાં ઘાલી રેભોળી રે ભરવાડણ 
શેરીએ શેરીએ સાદ પાડે,કોઇને લેવા મુરારી રે,
નાથ અનાથનો વેચે ચૌટા વચ્ચે,આહીરની નારી રેભોળી રે ભરવાડણ 
વ્રજનારી પૂછે શું છે માંહી?? મધુરી મોરલી વાગી રે,
મટુકી ઉતારીને માંહી જોતાં, સૌને મૂર્છા લાગી રેભોળી રે ભરવાડણ 
બ્રહ્માદિક, ઇંદ્રાદિક સરખા, કૌતુક ઉભા પેખે રે,
અૌદ લોકમાં ન માય તેને મટુકીમાં બેઠેલા દેખે રેભોળી રે ભરવાડણ 
ભક્તજનોના ભાગ્યે વ્રજમાં,પ્રગટ્યાં અંતરજામી રે,
દાસલડાને લાડ લડાવે, નરસૈયાનો સ્વામી રેભોળી રે ભરવાડણ 
નરસિંહ મહેતા
 


No comments: