Saturday, September 11, 2010

જ્યોતિધામ – કરસનદાસ માણેક

૧૧.૦૯.૨૦૧૦


આજે માણીએ શ્રી કરસનદાસ માણેક ની અત્યંત સુંદર રચના
જ્યોતિધામ – કરસનદાસ માણેક
(મંદાક્રાન્તા છંદ)

મેં ગ્રન્થોમાં જીવનપથનાં સૂચનો ખોળી જોયાં,

ને તીર્થોનાં મલિન જળમાં હાડકાં બોળી જોયાં;

અંધારામાં દ્યુતિકિરણ એકાર્ધ યે પામવાને,

મંદિરોનાં પથ્થર પૂતળાં ખૂબ ઢંઢોળી જોયાં;

સન્તો કેરા કરગરી કરી પાદ પ્રક્ષાલી જોયાં;

એકાન્તોના મશહુર ધનાગાર ઉઘાડી જોયાં;

ઊંડે ઊંડે નિજમહિં સર્યો તેજકણ કામવાને,

વિશ્વે વન્દ્યા, પણ સકલ ભન્ડાર મેં ખોલી જોયાં !

ને આ સર્વે ગડમથલ નીહાળતાં નેણ તારાં


વર્ષાવંતા મુજ ઉપર વાત્સલ્ય પીયુષધારા;


તેમાં ન્હોતો રજપણ મને ખેંચવાનો પ્રયાસ,


ન્હોતો તેમાં અવગણનનાં દુ:ખનો લેશ ભાસ;


જ્યોતિ લાધે ફક્ત શિશુને એટલી ઉરકામ :


મોડી મોડી ખબર પડી, બા, તું જ છો જ્યોતિધામ !

No comments: