Monday, February 20, 2012


૨૦.૦૨.૨૦૧૨


આજે મહાશિવરાત્રી .........રામ નવમી,જન્માષ્ટમી,મહાવીર જયંતી વિ .જન્મ દિવસ છે.શિવજી જન્મ,મૃત્યુ થી પર છે.મારા ખ્યાલ  પ્રમાણે શિવરાત્રી એ દેવાધીદેવ શિવજી અને મા પાર્વતી નો લગ્ન નો દિવસ છે. સુષ્ટિ ના સર્જનહાર મહાદેવ ને લગ્નદિવસ ની શુભેછાઓ પાઠવવાની પણ આપણી પાત્રતા કેટલી?
પરંતુ આ પવિત્ર દિવસે  ભોળાનાથ ને વંદન કરી ને  જરૂર ધન્યતા અનુભવીએ.કહેવાય છે કે શિવરાત્રી નું વ્રત કરનાર ને સુખી લગ્નજીવન અને પ્રસન્ન  દામ્પત્ય જીવન નું વરદાન છે.

હે શિવ !
મારાં ત્રણ પાપ બદલ
મને ક્ષમા કરજો.
હું તીર્થયાત્રા માટે કાશી આવ્યો ત્યારે
ભૂલી ગયો કે તમે સર્વવ્યાપી છો !
હું સતત તમારો વિચાર કરું છું, કારણ કે
હું ભૂલી જાઉં છું કે તમે તો વિચારોથી પર છો !
હું તમને પ્રાર્થના કરું છું ત્યારે ભૂલી જાઉં છું
કે તમે તો શબ્દોથી પર છો !
-આદિ શંકરાચાર્ય

No comments: