Sunday, September 9, 2012

ડો. વર્ગીસ કુરિયન


૦૯.૦૯.૨૦૧૨
શ્વેત ક્રાંતિ ના પ્રણેતા ડો. વર્ગીસ કુરિયન  નું આજ રોજ નિધન થયું.....શ્રધ્ધા સુમન સહ......
                                    ૨૬.૦૯.૧૯૨૧-૦૯.૦૯.૨૦૧૨
ખેડૂતો તરફ થી થયેલું સન્માન અને ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારો  મારા હૃદય માં કેન્દ્રનું સ્થાન ધરાવે છે,પણ અમુક એવાં પુરસ્કાર છે જે મને સ્પર્શી ગયાં છે.હરિદ્વાર માં સ્વામી સાથ્વમિત્રાનંદે ૧૯૯૦ માં મને ‘સમન્વય પુરસ્કાર’ એનાયત કર્યો તે એમનો એક છે.મને એ વાત ની હજી ખબર નથી કે શા માટે સ્વામીજીએ મારી કદર કરવાનો નિર્ણય લીધો હશે,છતાંય હું તે પુરસ્કાર સ્વીકારવા માટે હિમાલય માં તેમનાં આશ્રમ પર ગયો.એ અનુભવ ખુબજ આહલાદક હતો.પુરસ્કાર માટે સુંદર કાર્યક્રમ ગોઠવાયો.મંચ ઉપર મારી જમણી બાજુ સ્વામીજી બેઠા.અને તેમની જમણી બાજુ એલ. કે. અડવાણી,મારી ડાબી બાજુ વિશ્વ હિંદુ પરિષદના નેતા હતા.અને મારી સમક્ષ  ભગવા વસ્ત્રધારીઓ નો જાણે સમુદ્ર.!!આ પ્રસંગ માટે સેંકડો સાધુઓ આવ્યા હતા.મારા કામ ની પ્રસંશા કરતું પ્રવચન અડવાણી એ આપ્યું.અને તે સમયે મને પુરસ્કાર તથા રોકડ ઇનામ માં રૂ.૫૦૦૦ પણ આપવામાં આવ્યા......
આમ તો હું ખાસ ધાર્મિક માણસ નથી.,છતાં આ પ્રસંગમાં હું હાજર રહ્યો તેનું ખાસ કારણ હતું કે એક હિંદુ ધર્મ ના નેતાએ એનાં કામ ની કદરમાં એક ખ્રિસ્તીને ચૂંટી કાઢ્યો તે ખૂબજ મહત્વ ની બાબત ગણાય.આ મુદ્દાનો ઉલ્લેખ મારા સ્વીકાર ના ભાષણમાં પણ મે કર્યો.મેં કહ્યું..—હું એ વાતે મારી જાત ને વિશેષ રીતે ભાગ્યવાન સમજુ છું કે હિમાલયના ઋષિઓએ ઠરાવ્યું કે ભારત ના છેક છેવાડા ના વિસ્તાર માંથી આવનાર વ્યક્તિ નું સન્માન કરવું..હું જન્મથી ખ્રિસ્તી છું,છતાં તેઓ મારું આટલું સન્માન કરે છે-એવાત જ પ્રતિક સમાન છે કે દેશના કોઈ પણ ખૂણે થી હું  થી આવું ,કોઈ પણ ધર્મ પાળું,પહેલી અને સૌથી મુખ્ય વાત એછેકે હું ભારતીય નાગરિક છું અને એ દ્રષ્ટિ એ આ પુરસ્કાર મારે માટે એક મોટી પ્રતિષ્ટા આપનાર પ્રસંગ બને છે....
(મારું સ્વપ્ન ....વર્ગીસ કુરિયન .....)                 
“We are going to have milk grid…”.Dr.Kurien….
I had prvilrage  to be associated with operation flood -first milk tanker to Delhi from Anand….Nirupam 



No comments: