Wednesday, October 3, 2012

ગાંધીજી......શાસ્ત્રીજી ........


૦૨.૧૦.૨૦૧૨  
           આજે બે મહામાનવ ની જન્મ જયંતી .......ચાલો તમેને યાદ કરીએ..........

ખુરશી-........શેખાદમ આબુવાલા...........૨.૧૦.૨૦૧૨
ગાંધીજી......
 અમે કહેતા નથી ચાલે છે રાવણ રાજ ગાંધીજી,
તમે ચાહ્યું’તુ તેવું તો નથી કંઈ આજ ગાંધીજી,
તમારી રામ ધૂનોમાં હવે ખખડે છે ખુરશીઓ,
તમારો રેંટિયો કાંતે છે કોનું રાજ ગાંધીજી,
અમે અંગ્રેજ થી કંઈ કમ નથી સાબિત કરી દીધું,
રહ્યું’તુ જે હજી બાકી કર્યુઁ તારાજ ગાંધીજી,
હું ભીંતો  પર તમારા હસતાં ફોટા જોઉ છું ત્યારે,
વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી,
કદી આદમ સમાધિ પર જઇને આ તો કહેવું છે:
તમે એક જ હતા ને છો વતન ની લાજ ગાંધીજી....     



વામન ભયો વિરાટ



વામન સ્વરૂપે વિરાટ કાર્ય દ્વારા ભારતીય જન માનસમાં

એક સાદાઈ, સેવા અને અડગ નિશ્ચયી એવા લોક લાડીલા

વડા પ્રધાન સ્વ. લાલ બહાદૂર શાસ્ત્રીજીનો  ૨ જી  ઓક્ટોમ્બર

ના દિને  જન્મ દિવસ છે.
....   જય જવાન.... જય કિશાન..