Friday, June 30, 2017

(૪૦)..સંત તુલસીદાસ

૩૦/૦૬/૨૦૧૭..(૪૦)..સંત તુલસીદાસ


                                                  સંકલિત......                              ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....
મુગલ સમ્રાટ અકબર બાદશાહે સંત તુલસીદાસની ખૂબ વાહ-વાહ સાંભળી હતી. આથી બાદશાહ તેમના દર્શન કરવા બહુ ઉત્સુક હતા. બાદશાહે પોતાના માણસને તુલસીદાસને તેડી લાવવા મોકલ્યો. આગંતુક તુલસીદાસને ઘેર ગયો ત્યારે એ નરશાર્દુલ રામચરિતમાનસલખવામાં પરોવાયેલા. સામે રામ, લક્ષ્મણ અને જાનકીની છબી છે. ભક્ત ઘ્યાનસ્થ બેઠા છે. લેખિની એનું કામ કર્યે જાય છે. ત્યાં આગંતુકે હાક મારી, “કવિ શિરોમણિ, ઊઠો. આજે આપના ભાગ્ય ઊઘડી ગયાં. શાહી દરબારથી તેડું આવ્યું છે. બાદશાહ સલામત એમના વિદ્વાન રત્નોમાં આપનું નામ ઉમેરવા ઉત્સુક છે.
તુલસીદાસે ભક્તિમદ છલકાતી આંખોને આગંતુક ઉપર ઠેરવી. બોલ્યા, “ભાઈ, હું દિલ્લીશ્વરને ન ઓળખું. મારે માથે વાસે તો એક જ રાજાનું શિરછત્ર હું જાણું. મારા રાજા રામનું શિરછત્ર. હું એમની રાંક પ્રજા. મારે બીજા કોઈ રાજા જોડે નાતા તાંતા નહીં. માટે ભાઈ, તું તારે માર્ગે પડ.
કવિ, આનું પરિણામ બૂરું આવશે હો!આગંતુકે કહ્યું, “કુછ પરવાહ નહીં ભાઈ, મારે માથે શ્રી રામજીનાં રખવાળાં છે.તુલસીદાસે ઠંડે પેટે વેણ કાઢ્યાં. આગંતુક જતો રહ્યો.
બાદશાહે જ્યારે આ વાત સાંભળી ત્યારે તેઓ તુલસીદાસ ઉપર ઘણા નારાજ થયા. ત્યાં કોઈએ કહ્યું, “બાદશાહ સલામત, તુલસીદાસજી ઉચ્ચ કોટિના કવિ છે. પહેલા દરજ્જાના છે. એમના ગૌરવને છાજે એ રીતે આપ એમને દરબારમાં તેડો. માન-આદરથી પાલખી મોકલી એમને તેડવામાં આવે તો કવિ જરૂર આવશે.
પાલખી લઈને રાજના સેવકો તુલસીદાસને તેડવા ગયા. એમને આંગણે શાહી પાલખી આવી પહોંચી. તે જોઈને તુલસીદાસ કહે, “અરે, મને વળી આ આડંબર શા? પાલખી શા ને વાત શી? હું રાજા રામનો નમ્ર સેવક. જાઓ ભાઈ, જાઓ. મને એકલો પડ્યો રહેવા દો.
તુલસીદાસ ઘણાને વ્યવહારશૂન્ય અને બેવકૂફ લાગ્યા. ઘણાને તેમનું નિખાલસપણું અને સ્પષ્ટ વકતૃત્વ ઉદ્ધત લાગ્યાં. અકબર તુલસીદાસની તુંડમિજાજીને અનુરૂપ શિક્ષા કરવા તૈયાર થયા.
કવિની તો એક જ વાત – “તુલસીને રામ સિવાય કશું જોઈતું નથી.બાદશાહનો શાહી ખોફ બહોરીને તુલસીદાસ બંદીખાને ગયા. ત્યાં કોટડીમાં બેઠા બેઠા એ જ અસલ આનંદથી રામચરિતમાનસ લખવા લાગ્યા. કોઈ દંભ નહીં, કોઈ છલ નહીં, કોઈ અંગત કડવાશ નહીં. એક દિવસ બાદશાહ અકબરે આ ખુદાઈ ખિદમતગારની કસોટી કરી.
અકબર તુલસીદાસને મળવા કેદખાને ગયા. જુએ છે તો રાજા રામની છબી સામે રાખી સંત રામચરિતમાનસ લખવા બેઠા છે. અકબર તેમની એકાગ્રતા જોઈને ચકિત થયા. તુલસીદાસ, ક્યાં સુધી જેલમાં આમ સબડશો? બાદશાહ તરીકે મને કબૂલ રાખો અને મુક્તિ મેળવો.તુલસીદાસ કહે, “મને સત્યનો મારગ સુઝાડનાર મારા સરદાર રાજા રામને હું આત્મ સમર્પણ કરી ચૂક્યો છું. હું એમનો અદનો સિપાહી. સિપાહીના બે સરદાર કદી હોય?”
તુલસીદાસનો ઉત્તર સાંભળી બાદશાહનો અહમ્ ઘવાયો. તેઓ શ્રીરામની છબી ફાડવા તૈયાર થયા. બાદશાહના આ કૃત્યથી અત્યંત દુઃખી થઈ તુલસીદાસજી અશ્રુ વહાવવા લાગ્યા. વર્ષોથી એ છબીમાં તેઓ પોતાના આરાધ્ય દેવ શ્રીરામનાં પ્રત્યક્ષ દર્શન કરતા આવ્યા હતા. તેમણે અશ્રુ વહાવતાં હનુમાનજીની સ્તુતિ કરવા માંડી. પોતાને આ નવી ઉપાધિમાંથી ઉગારી લેવા વ્યગ્ર મને તેમણે હનુમાનજીને વિનંતી કરી. ત્યાં અચાનક ન જાણે ક્યાંથી એક વાનરસેના આવી લાગી. તેમણે બાદશાહના હાથમાંથી શ્રીરામની છબી છીનવી લીધી. આ અણધાર્યા હુમલાથી અકબર હતબુદ્ધિ બની ગયા. તેણે તરત જ તુલસીદાસને મુક્ત કરવાનો હુકમ કર્યો. તેમની ક્ષમા માગી તથા તે નિર્ભિમાની સંતપુરુષના મુખેથી રામકહાણી સાંભળી પોતાના કાન પવિત્ર કર્યા. તે દિવસથી રામભક્તોની કોઈ પજવણી ન કરે તે તરફ બાદશાહ અકબર ખાસ ધ્યાન આપતા.
 સંકલિત...
સંત સુવાસ” પુસ્તક માંથી


Thursday, June 29, 2017

.(૩૯)...Other’s Happiness.

૨૯/૦૬/૨૦૧૭..(૩૯)...Other’s Happiness.



                                        સંકલિત......                              ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....
                           Once a group of 50 people was attending a seminar.
Suddenly the speaker stopped and started giving each one a balloon. Each one was asked to write his/her name on it using a marker pen. Then all the balloons were collected and put in another room.

Now these delegates were let in that room and asked to find the balloon which had their name written, within 5 minutes. Everyone was frantically searching for their name, colliding with each other, pushing around others and there was utter chaos.
At the end of 5 minutes no one could find their own balloon.

Now each one was asked to randomly collect a balloon and give it to the person whose name was written on it.

Within minutes everyone had their own balloon.

The speaker began--- Exactly this is happening in our lives. Everyone is frantically looking for happiness all around, not knowing where it is. 

Our happiness lies in the happiness of other people. Give them their happiness; you will get your own happiness.

And this is the purpose of human life.

Our soul is Sat-Chit-Anand. It is full of happiness as it comes from the infinite source of happiness- The God. Give this happiness to others and you will be filled with immense satisfaction and a great sense of fullfilment. 
Is this not what you are looking for?
  

સંકલિત...

Wednesday, June 28, 2017

(૩૮)...Cockroach Theory- by Sundar Pichai

૨૮/૦૬/૨૦૧૭...(૩૮)...Cockroach Theory- by Sundar Pichai 



 સંકલિત......                              ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....

A beautiful speech by Sundar Pichai - an IIT-MIT Alumnus and Global Head Google Chrome:
The cockroach theory for self development
At a restaurant, a cockroach suddenly flew from somewhere and sat on a lady. She started screaming out of fear.
With a panic stricken face and trembling voice, she started jumping, with both her hands desperately trying to get rid of the cockroach.
Her reaction was contagious, as everyone in her group also got panicky. The lady finally managed to push the cockroach away but ...it landed on another lady in the group.
Now, it was the turn of the other lady in the group to continue the drama. The waiter rushed forward to their rescue.
In the relay of throwing, the cockroach next fell upon the waiter.
The waiter stood firm, composed himself and observed the behaviour of the cockroach on his shirt. When he was confident enough, he grabbed it with his fingers and threw it out of the restaurant.
Sipping my coffee and watching the amusement, the antenna of my mind picked up a few thoughts and started wondering, was the cockroach responsible for their histrionic behaviour?
If so, then why was the waiter not disturbed?
He handled it near to perfection, without any chaos.
It is not the cockroach, but the inability of those people to handle the disturbance caused by the cockroach, that disturbed the ladies.
I realized that, it is not the shouting of my father or my boss or my wife that disturbs me, but it's my inability to handle the disturbances caused by their shouting that disturbs me.
It's not the traffic jams on the road that disturbs me, but my inability to handle the disturbance caused by the traffic jam that disturbs me.
More than the problem, it's my reaction to the problem that creates chaos in my life.
Lessons learnt from the story:
I understood, I should not react in life.
I should always respond.
The women reacted, whereas the waiter responded.
Reactions are always instinctive whereas responses are always well thought of.
A beautiful way to understand............LIFE.
Person who is HAPPY is not because Everything is RIGHT in his Life..
He is HAPPY because his Attitude towards Everything in his Life is Right..!!
 સંકલિત...

Tuesday, June 27, 2017

.(૩૭)...શ્રેષ્ઠ માવતર...................

૨૭/૦૬/૨૦૧૭...(૩૭)...શ્રેષ્ઠ માવતર...................



  સંકલિત......                              ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....

લેખકની કટારે ......  By Dipen Trivefi

તેઓ એક ઇન્ટરનેશનલ શાળાના ભભકાદાર બગીચામાં સુકાયેલા છોડ કાઢી રહ્યા હતા, ધૂળ અને ગરમીની તેમના પર કોઈ અસર નહોતી. ગંગાદાસ, આચાર્ય શ્રી તમને મળવા માંગે છે, હમણાં જ.
છેલ્લા બે શબ્દો પટાવાળાએ તાકીદ ઉભી કરવા માટે ભાર દઈને કહ્યા.
તેઓ ઝડપથી ઉભા થયા, એમના હાથ ધોઈને લુછી નાખ્યા અને આચાર્યની ઓફીસ તરફ ચાલવા લાગ્યા.
તેઓ એક નિષ્ઠાવાન કાર્યકર હતા, તેમણે ક્યારેય કામચોરી નથી કરી.
ઠક…. ઠક….
તમે મને બોલાવ્યો મેડમ?”
અંદર આવો…” એક ખારાશ સાથેના આદેશપૂર્ણ અવાજે તેમને વધુ ડરાવી મૂક્યા.
ભૂખરા રંગ નાં વ્યવસ્થિત રીતે બાંધેલા વાળ, સાદી પણ ડિઝાઇનર સાડી અને નાક ની ટોચ પર રાખેલા એમના ચશ્માં..
તેમણે ટેબલ પર મુકેલા કાગળ સામે ઈશારો કરીને કહ્યું, “ આ વાંચો…”
પણ મેડમ, હું એક અભણ માણસ, અંગ્રેજી ના વાંચી શકું. મેડમ મારાથી કોઈ ભૂલ થઇ હોય તો મને માફ કરો.. મને હજી એક તક આપો. મારી દીકરી ને આ શાળામાં મફતમાં ભણાવા માટે હું આપનો કાયમનો ઋણી છું. મેં મારી દીકરી માટે આવી સારી જિંદગીની ક્યારેય કલ્પના પણ નહોતી કરી.
અને તેઓ લગભગ ધ્રૂજવા લાગ્યા.
ઉભા રહો, તમે તો ઘણું બધું ધારી લીધુંઅમે તમારી દીકરી ને તેની હોશિયારી અને તમારી નિષ્ઠા ને લીધે પરવાનગી આપી છે.મને કોઈક શિક્ષકને બોલાવવા દ્યો, અને તે આ વાંચી ને તમારા માટે ભાષાંતર કરી આપશે. આ તમારી દીકરીએ લખ્યું છે, અને મારે એ તમને વંચાવવું છે.
થોડી જ મિનિટોમાં શિક્ષક્ને બોલાવાયા અને તેમણે વાંચવાનું શરૂ કર્યું. અને દરેક વાક્યને હિન્દીમાં પણ અનુવાદ કર્યું.
તેમણે વાંચ્યું
આજે અમને માતૃત્વ દિવસ પર લખવાનું કહેવામાં આવ્યું હતું.
હું બિહાર ના એક નાના ગામ થી છું, એક નાનું ગામ જ્યાં શિક્ષણ અને દવા હજુ પણ દૂરનાં સપના જેવું લાગે છે. આના લીધે આજે પણ ઘણી સ્ત્રીઓ બાળકને જન્મ આપતાની સાથે જ મૃત્યુ પામે છે. મારી માતા પણ તેમાની એક હતી,તેણે મને ક્યારેય એના હાથ માં તેડી નથી.
મારા પિતા મને તેડનાર સૌથી પ્રથમ વ્યક્તિ હતા, અને કદાચ છેલ્લા પણ. દરેક જણ દુઃખી હતા. કારણકે, હું એક છોકરી હતી અને મારી પોતાની માને ભરખી ગઈ હતી. મારા પિતાને તરત જ બીજા લગ્ન કરી લેવા માટે કહેવામાં આવ્યું હતું, પણ તેમણે નાં પાડી. મારા દાદા દાદી એ તેમને તાર્કિક, અતાર્કિક અને ભાવનાશીલ કારણો આપી ખૂબ દબાણ કર્યું પરંતુ તેઓ સહેજ પણ ચસ્ક્યા નહી . મારા દાદા દાદી ને પૌત્ર જોતો હતો,તેમણે પપ્પા ને લગ્ન માટે બહુ જ ડરાવ્યા અને કહ્યું કે જો તેઓ લગ્ન નહી કરે તો દાદા દાદી તેમનો ત્યાગ કરશે.
તેમણે બે વાર પણ વિચાર ના કર્યો અને તેમણે બધું જ છોડી દીધું, તેમની એકરોની જમીન, એક સુંદર ગુજરાન, આરામદાયક ઘર,ઢોર અને તે તમામ વસ્તુઓ કે જે ગામડાંમાં જીવવા માટે સારી ગણાય છે.
તેઓ આ વિશાળ શહેરમાં મને તેમના ખોળામાં લઇ ને કંઈપણ લીધા વગર આવ્યા. જીવન ખૂબ જ કઠોર હતું, તેમણે દિવસ અને રાત સખત મહેનત કરી. મારી ખૂબ જ પ્રેમ અને પરેજી સાથે દેખરેખ કરી.
હવે મને સમજાય છે કે મને ભાવતી દરેક વાનગી માટે તેમણે શા માટે અચાનક જ અણગમો ઉભો કર્યો હતો, કારણકે, થાળીમાં એ વાનગીનો ફક્ત એક જ ટુકડો વધ્યો હોતો તો.તેઓ એવું કહેતા કે, તેમને તે વાનગી થી નફરત છે અને હું એવું માની ને ખાઇ જતી કે એમને એ વાનગી ભાવતી નથી. પણ, જેમ જેમ હું મોટી થતી ગઈ મને કારણ ખબર પડી કે બલિદાન શું છે. એમણે મને શક્ય એટલી સગવડતા તેમની ક્ષમતા બહાર જઈને આપી છે.
આ શાળાએ એમને છત આપી, સમ્માન આપ્યું અને સૌથી શ્રેષ્ઠ ભેટ , તેમની દિકરીને પ્રવેશ આપ્યો.
જો પ્રેમ અને કાળજી મા ની વ્યાખ્યા છે, તો મારા પિતા એમાં વ્યવસ્થિત બેસે છે.
જો કરુણા મા ની વ્યાખ્યા છે, તો તેમાં પણ મારા પિતા વ્યવસ્થિત બેસે છે.
જો ત્યાગ મા ની વ્યાખ્યા છે, તો તેઓ તેમાં પણ સૌથી ઉપર છે.
ટુંક માં કહુ તો કાચલીમાં જો માતા પ્રેમ, કાળજી, ત્યાગ અને કરુણાથી બને છે, તો મારા પિતા દુનિયાના સૌથી શ્રેષ્ઠ મા છે.
માતૃત્વ દિવસ પર હું મારા પિતાને ધરતી પરના મારા શ્રેષ્ઠ માવતર બનવા માટે શુભેચ્છા આપવા માંગું છું. હું તેમને સલામ કરું છું અને ગર્વથી કહું છું કે, આ શાળામાં કાર્ય કરતા મહેનતુ માળી મારા પિતા છે.
હું જાણું છું કે, શિક્ષક ના આ વાંચ્યા પછી પરીક્ષામાં કદાચ હું નાપાસ થાઉં, પણ આ એક ખૂબ જ નાની ભેટ મારા નિ:સ્વાર્થ પિતાને અર્પણ કરું છું.
આભાર.
ઓફિસમાં નિરવ શાંતિ હતી. કોઈપણ ગંગાદાસના હળવા ડૂસકા સાંભળી શકતું. ગમે તેવો જ્વલનશીલ સૂર્ય પણ તેના કપડા ભીના ના કરી શકતો, પણ તેની દિકરી ના માસુમ શબ્દોથી તેની છાતી આંસુઓથી ભરાઈ ગઈ હતી. તેઓ ત્યાં હાથ વાળી ને ઉભા હતા.
તેમણે શિક્ષકનાં હાથમાંથી કાગળ લીધો અને તેની છાતી પાસે મૂકી ને એક ડૂસકું ભર્યું.
આચાર્ય ઉઠ્યા અને ગંગાદાસને ખુરશી અને પાણી આપ્યા અને કઈક કહ્યું. પણ, નવાઈ સાથે આ વખતે તેમના અવાજ ના ખારાશ ની જગ્યા હૂંફ અને મીઠાશ એ લઇ લીધી હતી.
ગંગાદાસ, તમારી દીકરી ને આ નિબંધ માટે ૧૦ માંથી ૧૦ ગુણ આપ્યા છે. શાળાનાં ઈતિહાસમાં માતૃત્વ દિવસ પર લખાયેલ આ સૌથી શ્રેષ્ઠ નિબંધ છે. અમારે કાલે માતૃત્વ દિવસ નિમિત્તે શાળામાં ખૂબ જ ભવ્ય સમારંભ છે. અને શાળાના તમામ વ્યવસ્થાપક મંડળે આ કાર્યક્રમ માટે તમને મુખ્ય અતિથિ તરીકે બોલાવવાનું નક્કી કર્યું છે.
આ એક ગૌરવ ની વાત છે કે કેવી રીતે તેના બાળકને આગળ લાવવા માટે એક પુરૂષ પ્રેમ અને બલિદાન આપી શકે છે. અને આ એ વાત સાબિત કરે છે કે પૂર્ણ માવતર બનવા માટે સ્ત્રી હોવું જરૂરી નથી.
અને સૌથી મહત્વની વાત કે, તમારા અભિમાન માટે કે તમારી દિકરીની તમારા પર પૂર્ણ શ્રદ્ધા છે. અને તમારી દિકરી ના કહેવા મુજબ આખી શાળાને પણ સાથે સાથે ગૌરવ છે,તમારા પર પૃથ્વી પર ના શ્રેષ્ઠ માવતર તરીકે!
તમે ખરેખર એક સાચા માળી છો, જે ફક્ત બગીચાનું જ ધ્યાન નથી રાખતા, પણ તમારા જીવનનાં અણમોલ ફૂલ ને પણ એક અલગ સુંદર રીતે ઉછેરો છો….”
તો ગંગાદાસ, શું તમે અમારા કાર્યક્રમના મુખ્ય અતિથિ બનશો?”...
 સંકલન...

Monday, June 26, 2017

३६--इंजीनियर और मैनेजर में अंतर

૨૬/૦૬/૨૦૧૭..૩૬..इंजीनियर और मैनेजर में अंतर...


                                चित्र साभार:इंटरनेट

एक औरत गर्म हवा के गुब्बारे में ऊपर उड़ी और रास्ता भटक गई. बहुत नीचे खेतों में उसे एक आदमी दिखाई दिया और वह गुब्बारे को नीचे ले आई और उसने आदमी से चिल्लाकर पूछा – “श्रीमानजी, क्या आप मेरी मदद कर सकते हैं? मैंने एक घंटे पहले अपने एक दोस्त से मिलने का वादा किया था लेकिन मैं रास्ता भटक गई हूँ और मुझे नहीं मालूम कि मैं किस जगह पर हूँ!
आदमी ने उससे कहा – “आप एक गर्म हवा के गुब्बारे में जमीन से लगभग 30 फीट की ऊँचाई पर 40 से 41 डिग्री अक्षांश और 59 से 60 डिग्री देशांश के बीच में हैं!
क्या आप इंजीनियर हैं?” – औरत ने उससे पूछा.
हाँ!” – आदमी ने कहा – “आपने यह कैसे जाना?”
देखिये” – औरत ने कहा – “आपने मुझे जो कुछ भी बताया वह तकनीकी रूप से सही है लेकिन मुझे नहीं मालूम कि मैं इस जानकारी का क्या करूँ, और सच बात तो यह है कि मैं अभी भी भटकी हुई हूँ! खैर, आपसे मुझे कुछ मदद तो मिली नहीं बल्कि मुझे कुछ देर और हो गई!
आदमी ने नीचे से कहा – “आप शायद किसी कंपनी में मैनेजर हैं”.
हाँ! औरत ने आश्चर्य से कहा – “लेकिन आपको यह कैसे पता चला?”
सीधी सी बात है!” – आदमी बोला – “आपको यह नहीं पता कि आप कहाँ हैं या आप कहाँ जा रही हैं. भीतर बहुत सारी गर्म हवा भरी होने के कारण आप उस ऊँचाई तक पहुँच गई हैं. आपने वह वादा किया जिसे पूरा करने के बारे में आप कुछ नहीं जानतीं हैं और नीचे वालों से आप यह उम्मीद करतीं हैं कि वे आपकी समस्या का समाधान कर देंगे. और तो और, आप अपनी हालत और बेवकूफी के लिए दूसरों को दोषी ठहराने को तत्पर हैं!?
चित्र साभार:इंटरनेट
(A funny story about a manager and an engineer – in Hindi)

संकलित...

Sunday, June 25, 2017

ગુરુજી ની કલમે......(૫)...પ્રેમ ની શક્તિ...

૨૫/૦૬/૨૦૧૭....ગુરુજી ની કલમે......(૫)...પ્રેમ ની શક્તિ...


                                           
ગુરુજી ની કલમે.....
                           ધી ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ મા પસિદ્ધ થયેલ પ્રવચનો નો સંગ્રહ
                          ૧૦ મી સપ્ટેમ્બર ૨૦૦૬ સુધી સંકલિત......
             અનુવાદક: નિરુપમ ભાસ્કરલાલ અવાશિયા.
                                                             બી.ઈ.(ઈલેક્ટ્રીકલ)



  ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....


૧૫ જુન,૨૦૦૩

શાંતિમા તાકાત છે.ધીરજ/સ્થિરપણામા તાકાત છે.પ્રેમમા તાકાત /શક્તિ છે.પરંતુ તેધ્યાન બહાર જાયછે.જે તમે લાઠીથી નાજીતી શકો/પામી શકો,તે તમે પ્રેમથી જીતી શકો છો.જેતમે બંદુક દ્વારાના જીતી શકો,તેતમે પ્રેમ વડે જીતી શકો છો....અને આપ્રેમની શક્તિ/તાકાત નો અહેસાસ કરવો જરૂરી છે. વિશ્વમા સૌથી શક્તિ શાળી વસ્તુએ પ્રેમ છે.!!આપણે પ્રેમ દ્વારા લોકોના હૃદય જીતી શકીએ છીએ.
અહંમમાં  થતા વિજયનું કોઇજ મુલ્ય નથી.જો તમે અહંમથી જીતો/વિજયી બનોતો પણતે હાર/પરાજયજ છે. જો તમે પ્રેમમાં હાર પણ પામો,તે પણ તમારી જીત છે!!આ અંદરુની તાકાત અંગે લોકોને સભાન કરવા એ એક મોટો પડકાર છે!!
આતંકવાદી તમારા દરવાજા પર હોય ત્યારે તમે સ્નેહ/પ્રેમ ની વાતના કરીશકો,પરંતુ એવાં શું કેટલાક રસ્તાઓ છે કે જેના વડે આપણે વિશ્વને બદલી શકીએ.શું એવી કોઈ વૈકલ્પિક પદ્ધતિ છે કે જેના વડે એવા લોકો જે ‘બળીયાના બે ભાગ’ (બળ પ્રયોગ સિવાય કોઈ વાતમાં વિશ્વાસ ન કરતાં)માં માનનારાઓ માં સમઝ લાવી શકે?આપણે આલાઈન ઉપર ત્યારે વિચારવાનું શરુ કરી શકીએકે જયારે આપણે પ્રેમની અને આંતરિક શાંતિની પ્રચંડ શક્તિનો અહેસાસ હોય.જયારે આપણે શાંત/સ્વસ્થ હોઈએ ત્યારે આપણે આપણી આસપાસના લોકો માં શાંતિ/સ્વસ્થતા ફેલાવી શકીએ અને લોકો પણ શાંતિ અનુભવે.    
વિશ્વના યુદ્ધ અને રોગ ગ્રસ્તઆ સમયમાં,એઅત્યંત જરૂરી છેકે આપણે સૌ દરરોજ થોડું મનન/ચિંતન/ધ્યાન કરીએ.જયારે આપણે ધ્યાન કરીએ,ત્યારે આપણે આપણી આસપાસના 
યુદ્ધ અને રોગગ્રસ્ત કંપનો /વાતાવરણ ને બીન અસરકારક  બનાવીએ છીએ અને આપણી આસપાસ એક નિર્દોષ/સંવાદિતતા પૂર્ણ વાતાવરણનું નિર્માણ કરીએ છીએ.હું વોર/યુદ્ધ ને બુદ્ધિનું એક અતિશય ખરાબ કાર્ય કહીશ.ડબલ્યુ એઆર—વર્સ્ટ એકટ ઓફ રીઝન.પ્રત્યેક યુદ્ધ પાછળ કોઈ કારણ હોય છે.કોઈ વાર તે ઓપરેશન જેવું અનિવાર્ય બની જાય છે.જો કોઈના શરીરમાં કેન્સરના સેલ/કોષ હોય તો,આપણે ઓપરેશન કરીએ છીએ.ઓપરેશન પછી નર્સિગ અતિ મહત્વનું છે.આ ઓપરેટ થયેલા ભાગ પર નર્સિગ કરીએ છીએ.દુનિયામાં અને લોકોની માનસિકતામાં પણ આમ જ કરવું જરૂરી છે, મન અને હૃદય માં શાંતિ,પ્રેમ અને વિશ્વાસ જગાવવા માટે ઘણું બધું કરવું પડે છે. 
તેથી આપણે સ્વસ્થચિત/શાંતિમય રહેવા માટે  ધ્યાનમગ્ન,અને પ્રાર્થનામય સ્થિતિ અચૂક ઉપયોગી છે. જયારે આખુ વિશ્વ સમસ્યા ગ્રસ્ત છે ત્યારે -એમ નહી વિચારોકે- ,હું શું કરી શકું?’અથવા તો હુ બહુ જ મામુલી/તુચ્છ છું. -હોમિયોપેથીક દવાની નાની ગોળી કેજે -૧/૧૦૦ અથવા ૧/૧૦૦૦ ની ક્ષમતા ની હોવા છતાં ૬૦ થી ૭૦ કિલો નાં શરીરમાં અસર કરે છે તેમ તમારે પણ મહત્વની ભૂમિકા ભજવવાની છે!! જે  શ્વાસ લેછે,વાતચીત કરે છે,ચાલે છે,વિચારે છે, તેપ્રત્યેક વ્યક્તિ  કોસ્મોસ/ બ્રહ્માંડ પર નાં આ ગ્રહ(પૃથ્વી) પર પ્રભાવ પાડે છે.તેથી આપણે શંતિ,સારા વિચારો,સારા સ્પંદનો,શુભેચ્છાઓ નો વ્યાપ/ફેલાવો કરીએ,અને તેની નિશ્ચિતપણે આ ગ્રહ/પૃથ્વી પર અસર થશે.
મે એવું અવારનવાર જોયું છે કે- જયારે કોઈ પણ સંઘર્ષ હોય ત્યારે તમે સંઘર્ષ કરતાં બન્ને જૂથ/ગ્રુપ સાથે વાર્તાલાપ કરોતો,તે ચોક્કસપણે  કુણા પડે છે!!જયારે વાટાઘાટ/વાતચીત પડી ભાંગે છે ત્યારે અશાંતિ નાં વમળો પેદા થાય છે,જે અંતે જડતા અને કઠોરતા માં પરિણમે છે, પરંતુ તમે વાતચીત નો દોર પ્રેમ દ્વારા,શાંતિમય ઉપાયો દ્વારા,ધીરજ દ્વારા ફરી  પ્રસ્થાપિત કરો-તેનું પરિણામ  જરૂર આવે છે..
વિશ્વમાંથી આવાં ઝનુન અથવા ધાર્મિક આતંકવાદ ને ટાળવા બાળકોમાં સર્વ-સાંસ્કૃતિક,સર્વ ધર્મ શિક્ષણ અતિ આવશ્યક છે.તેનું કારણ એ છે કે-બાળક એમ વિચારી ને મોટો થાય કે-બીજી સંસ્કૃતિઓ કે બીજા ધર્મ ખરાબ છે અથવા સારા નથી,તો તે/તેણી પોતાની જિંદગી તેનાં માટે દાવ પર લગાડતા અચકાતા નથી;પરંતુ જો તેઓ બીજી સંસ્કૃતિઓ કે બીજા ધર્મો ની થોડી-થોડી સમજણ સાથેજ મોટા થાય તો, પ્રત્યેક સાથે પોતીકાપણા ની/જોડાયેલા ની લાગણી અનુભવે છે.
તેથી સંસ્કૃતિ કે ધર્મ નો સાચી કે ખોટી રીતે લોકો ને વિભાજીત /(ભાગલા પાડવા) કરવા માટે ઉપયોગ કરવામાં આવે તેયોગ્ય નથીજ.આપણી જરૂરિયાત છે વિશ્વને હહૃદય અને મગજથી સંગઠીત કરવાની!!. આપણે સર્વ કઈ રીતે સંગઠીત થઈ શકીએ? તે-–આપણને જન્મ સાથે મળેલ ચિંતનાત્મક સ્થિતિ –સાદાઈની આપણને મળેલી ભેટના દ્વારા થઇ શકે છે.તેથીજ હું માનું છું કે-જ્યારે વિશ્વનો પ્રત્યેક બાળક બીજા અન્ય દરેક ધર્મ અંગે થોડું જાણે,બાળકમાં બીજા ધર્મ કે સંસ્કૃતિ પ્રત્યે કોઈ પણ પ્રકાર નો તિરસ્કાર નહી હોય.  
જૂઓ,આપણે દુનિયા ના દરેક ખૂણા માંથી ખોરાક સ્વીકારીએ છીએ.આપણે દુનિયાના દરેક ભાગનું સંગીત સ્વીકારીએ છીએ.ચાઈનીઝ ખોરાક ખાવા માટે તમારે ચાઈનીઝ થવું જરૂરી નથી! પીઝા ના રેસ્ટોરન્ટ માં જઇ પીઝા આરોગવા માટે તમારે ઇટાલિયન થવાની જરૂર નથી.કે પછી ડેનીસ કુકીઝ ખાવા માટે ડેનીસ થવા ની જરૂર નથી!!કોઈ ને ભરતીય ભજન અથવા સંગીતમય સિતાર  સાંભળવા ભરતીય થવાની જરૂર નથી!!તે જ રીતે આપણે દરેક ખૂણા માંથી મળતું જ્ઞાન અને ડહાપણને સ્વીકારતા શીખવું જોઈએ.,અને તેનોજ આજના વિશ્વમાં અભાવ જોવા મળે છે. 
આપણે આસંદેશ વિશ્વમાં દરેક જગ્યાએ ફેલાવવાનો છે,કારણ કે- દુનિયાનો કોઈ એક પણ ભાગ આ વિચારનો સ્વીકાર કરે નહી,તોઆ વિશ્વ સલામત નથી,કારણ કે તે અસ્વીકાર કરનાર નાનો વિસ્તાર કે ખૂણો આતંકવાદને જન્મ આપી શકે છે.હું કહીશ કે-તમારે બે મુદ્દાઓનો પ્રોગ્રામ ઉપાડી લેવો જોઈએ,-વ્યક્તિગતધોરણે કે સામુહિક ધોરણે-સમાજ સેવા દ્વારા માનવીય મૂલ્યો,મિત્રતા,કરુણતા અને અહિંસા,બીન આક્રમકતા અંગે લોકો ને શિક્ષિત કરવા.બાળકોના જીવનમાં પણ આક્રમકતા આવી ગઈ છે.અહિંસામાં સુંદરતા છે;બીન-આક્રમક વર્તન માં પણ સુંદરતા છે,જેને  કમનસીબે આપણા સંચારના માધ્યમો/મીડિયા અથવા તો આપણી આસપાસ ના વાતાવરણ દ્વારા ઉજાગર કરવામાં આવતી નથી.    
આવું વિશ્વમાં દરેક સ્થળ પર બની રહ્યું છે.બાળકો હિસક થવામાં ગર્વ લેછે.જો તેઓ પોતાનો મિજાજ ગુમાવે તોતેને તે સહજજ માને છે.-તેઓ તેમાં ગર્વ કરે છે. જે કોઈ શાંત હોય તેનાં કરતાં જે કોઈ ખૂબજ આક્રમક હોય તેના પર ક્લાસ રૂમ/વર્ગ ખંડમાં વધારે ધ્યાન આપવામાં આવે છે.  
કેમ બરાબર ને? તેથી બાળકો માંએક લાગણી ઊભી થાય છે કે –જો હું  આક્રમક રહીશ તોજ મારી  વાત સાંભળવા માં આવશે.ધ્યાન પર લેવા માં આવશે..
આપણે ફરી થી અહિંસા રહેલ ગૌરવને પાછું લાવવું પડશે.જો આપણે અહિંસામાં રહેલ ગૌરવને બાળકો માં કેળવી શકીશું તો,તેઓનું સમગ્ર જીવન એક  નવોજ વળાંક લેશે. કરુણામય થવામાં રહેલ ગૌરવ,આપણી આસપાસના અન્ય બીજા લોકો માટે ઉપલબ્ધ થઇ ને મદદગાર થવામાં રહેલ ગૌરવ,એ આપણો નવો ઉદેશ હોવો જોઈએ.  
મને લાગે છે કે-આપણે સમાજમાં માનવીય મૂલ્યો પરત લાવવા માટે અને તેનાં વડે વધારે ખુશ રહેવા કંઈક કરવું આવશ્યક છે.તમે કોલેજમાં જતાં તરુણ યુવક કે યુવતીને જૂઓશું તેખરેખર હસે છે/આનંદ માં છે?તેમનાં ચહેરા પર નું ભારેપણું/ગ્લાની જૂઓ,તેના હ્રદય પર નો બોજ જૂઓ.બાળક ચાલતું,દોડતું,આસપાસ કુદતું કેવું ખુશહાલ હોય છે,-અને તેજ બાળક કોલેજ માં જાય ત્યારે આવું અસ્વસ્થ,ઉદાસ, હતાશ થઈ જાય !!શું શિક્ષણનો હેતુ આ છે?   
તમને ખબર છે ,કોઈકોઈ વારતો મને દરેક ને હચમચાવીને કહેવાની  ઈચ્છા થઈ આવે છે-અરે!આવો અને હસો ...!!મે હાલ માં કેટલાક સંશોધનના લેખો વાચ્યાછે,તે પ્રમાણે બાળક દિવસમાં ૪૦૦ વખત હસે છે,વયસ્ક/કિશોર  માત્ર ૧૭ વખત જ હસે છે, અને પ્રૌઢતો હસતાજ નથી!!!,શું તમે એમ માનો છો કે -તમે હસશોતો તમારી પાસે થી કઈ લુંટાઈ જાશે?જયારે તમે હસો છો ત્યારે બીજા લોકો પામે છે અને તમે કશુજ ગુમાવતા નથી.!!આપણે વધારે હસવુંજ  જોઈએ!! કમસે કમ તમે સવારે જાગો ત્યારે મોટેથી હસો અને અરીસા માં જૂઓ!!
દુનિયા માં બધાજ લોકો નહી પરંતુ માત્ર  બહુજ ઓછા લોકો આતંક ફેલાવે છે.આગ્રહ/પૃથ્વી પર ના ૬ અબજ લોકો માંથી માત્ર મુઠ્ઠીભર લોકોજ દુનિયા માં સમસ્યાઓ પેદા કરે છે. દુનિયામાં માત્ર થોડા હજારો લોકોજ ગુનાહિત કાર્યો કરે છે,અને તેની અસર આખા વિશ્વને થાય છે.તમને નથી લાગતું કે આજ કાયદાઓ પ્રમાણે ઉલટું પણ હોઈ  શકે?માત્ર આપણામાના થોડાક લોકો આપણા માના હજારેક લોકોજ શાંતિપ્રિય અને પ્રેમાળ આખી પૃથ્વીની ચિંતા કરવાવાળા હોય-શું આપણે આમાં રૂપાંતર લાવી શકીએ?   

જયારે તમે બીજા તરફ આંગળી ચીંધો છો,ત્યારે ત્રણ આંગળીઓ તમારા તરફ પણ ચીન્ધાયેલી હોય છે.!!તેથી જયારે તમે એમ કહો કે –તમે સુંદર છો,તેનો અર્થ એ થાય કે-હું ૩ ગણો વધારે સુંદર છું.!! જો તમે કહો કે-તમે બેડોળ છો ,તો હું તમારા કરતાં ત્રણ ગણો વધારે બેડોળ છું; પરંતુ જયારે હું તમને મારા જગણુંછું,ત્યારે તમે રહેતું નથી,અને હું પણ રહેતો નથી.પછી માત્ર એકજ રહે છેઅને તેજ પરમ વિજય છે.!!! .
જીવન ઘણુંજ ટૂંકું છે!!આપણે બધા હજુ બીજા ૨૦-૩૦ વર્ષ જીવીશું અને એક દિવસ બધાજ જતાં રહેશું/મરી જાશું.!!પરંતુ આપણેજે કંઈ છે તેને માટે રડીએ છીએ.અનેજે કઈ આપણી પાસે નથી તેનાં માટે દુ:ખી છીએ.,કેમ બરાબર ને?શું જીવન આ રીતે જીવવું વ્યાજબી છે?આપણે ખુદ હતાશ થઈને રહીએ છીએ અને આસપાસના અન્ય લોકો ને પણ હતાશામ ધકેલી દઈએ છીએ.!!આપણે આપણીજાતને હચમચાવવાની/આત્મમંથન કરવાની જરૂર છે.!! જાગો જાગો!! અને જયારે આપણે આ નિંદ્રા માંથી જાગીએ છીએ,ત્યારે આપણા મન/હૃદય ને શાંતિ મળે છે,અને આપણી આસપાસ પણ શાંતિ અને પ્રેમ ફેલાવી શકીએ છીએ.