Thursday, December 29, 2011

“ભષ્ટ્રાચાર એ રાષ્ટ્રીય દૂષણ...”


૨૮ .૧૨.૨૦૧૧
 એક તરફ અન્ના નું બીજા તબક્કાનું ઊપવાસ આંદોલન મુંબઈ માં ચાલુ  છે. તો બીજી તરફ સંસદે લોકપાલ બીલ પાસ કરેલ છે.......ભષ્ટ્રાચાર એ વરવી વાસ્તવિકતા છે. આજે એક વ્યક્તવ્ય .......... ભષ્ટ્રાચાર એ રાષ્ટ્રીય દૂષણ...     ૨૦,ઓક્ટોમ્બર-૨૦૦૦ ના રોજ નું. ..
..jagat's speech....my script.....in his school days..

    

                                  ભષ્ટ્રાચાર એ રાષ્ટ્રીય દૂષણ...    
માનનિય નિર્ણાયક ગણ,ગુણિયલ ગુરુજનો,તથા વહાલાં વિદ્યાર્થી મિત્રો,
હમણા થોડા જ સમય પહેલાં જ આપ સર્વે એ વાંચ્યું હશે કે-આ દેશ નાં માજી વડાપ્રધાન ને ભષ્ટાચાર નાં આરોપ અંગે કેદ ની સજા  થઇ. યથા રાજા તથા પ્રજા..જો દેશ નાં વડાપ્રધાન નું ચારિત્ર્ય ભષ્ટાચાર થી ખરડાયેલું હોય તો સામાન્ય માનવી ની દશા શી હશે?તે કહેવું જ મુશ્કેલ છે.રાષ્ટ્ર તરીકે આપણે ક્યાં જઇ રહ્યાં છીએ? આપણી સંવેદના મારી પરવારી છે કે શું?ભવ્ય ભૂતકાળ ધરાવતો આપણો  દેશ ભ્રષ્ટાચાર ની નાગચૂડમાં ભરડાઈ ચુક્યો છે.ઘણાજ ટૂંકા ગાળા માં આપણે ગાંધીજી નાં મહાન આદર્શો ને ભૂલી ગયાં છીએ.આઝાદી પછી તો આપણા દેશ માં કૌભાંડો ની જે પરંપરા સર્જાઈ છે તેનો જોટો વિશ્વ માં પણ ક્યાંય મળવો મુશ્કેલ છે.,બોફર્સ તોપનાં સોદા હોય ,કે પશુઓ નાં ઘાસચારા ની ખરીદી ...ઠેર-ઠેર ભ્રષ્ટ્રાચાર........ભ્રષ્ટ્રાચાર અને ભ્રષ્ટાચાર જ.....આપણા  દેશ માં ઝડપ થી ‘’લાલુ કલ્ચર નો ઉદય થઇ રહ્યો છે,અને તે ફૂલી ફાલી રહ્યું છે..આજે બધુંજ ખરીદી શકાય છે.આ ભ્રષ્ટાચાર માત્ર રાજકારણ માં છે તેવું નથી,પેસા માટે દેશ ની ગરીમા અને સ્વમાન ને ગીરવે  મૂકનારા ક્રિકેટરો થી આપણે ક્યાં અજાણ છીએ?કોઈ પણ સરકારી કચેરી માં તમારું વ્યાજબી કામ પણ લાંચ આપ્યા વગર થશે નહિ...ભ્રષ્ટાચાર તો જાણે કે શિષ્ટાચાર બની ગયો છે.... લાંચ-રુશ્વત ભ્રષ્ટાચાર એ આ દેશ નું મોટામાં મોટું દુષણ છે.,જે ઉધઈ ને પેઠે આ દેશ ને ખોખલો બનાવે છે.પ્રમાણિક માણસ ને પ્રમાણિક ન રહેવા દેવાનો જાણે કે-આપણા સમાજે/સરકારે સંક્લ્પ છે.સાચાં માણસ ને પ્રમાણિકતા જાળવી રાખવા  માં મુશ્કેલી પડે પડે એવા સમાજ નું ભાવિ હોય શકે ખરું?આમ,તો કહેવાય છે કે- આપણા દેશ ની પ્રજા ધર્મ ભીરુ છે....પરંતુ હું તો માનું છું કે નાસ્તિક થવું બહેતર છે, પરંતુ ઈમાનદાર થવું જરૂરી છે.... તમારી આસ્તિકતા નું શું મુલ્ય છે? જો તમે ભ્રષ્ટાચારી હોવ તો?...ભ્રષ્ટ્રાચાર એ આપણી રાષ્ટ્રીય શરમ છે.,આપણા રાષ્ટ્ર નું મહાન દુષણ છે.
                              ધન્યવાદ.............
જગત અવાશિયા                                                              
આઈ.પી.સી.એલ.
વિજીલન્સ વિભાગ
દ્વારા આયોજીત સ્પર્ધા
દ્વિતીય વિજેતા,
૨૦.૧૦.૨૦૦૦. 

Saturday, December 24, 2011

"બંધુત્વ નો વેરી બન્યો આતંકવાદ.”


૨૩.૧૨.૨૦૧૧
 આજે એક વ્યક્તવ્ય ..........૩૧ ડિસેમ્બર.......૨૦૦૧ ના રોજ નું. .. ૧૦ વર્ષ પહેલાંની વાત આજ નાં સંદર્ભ માં પણ તેટલીજ પ્રસ્તુત છે .....jagat's speech....my script.....in his school days....


                          "બંધુત્વ નો વેરી બન્યો આતંકવાદ.
        માનનિય નિર્ણાયકગણ,વ્હાલા વિદ્યાર્થી મિત્રો,                                    
આજે સમગ્ર વિશ્વ માં એક ભયાનક  તાંડવ નૃત્ય ચાલી રહ્યું છે.પુષ્પ જેવા માસુમ બાળકો પાસે કોઈ તાકાત નથી પુષ્પ તો ચીમળાઈશકે,કરમાઈ શકે,અને કચડાઈ શકે .એ ખીલી પણ શકે અને ખરી પણ શકે.---પુષ્પ ને ખીલવા દે... તે..ધર્મ ...અને... કચડે તે અધર્મ .....આજે મારે નાના મોઢે ...અને ભીના હૃદયે કહેવાનું છે કે-બંધુત્વ નો વેરી બન્યો આતંકવાદ....
ઈશ્વરે આ શ્રુષ્ટિ નું સર્જન કર્યું અને તેને સોહામણી પણ બનાવી.આટલાથી પરવરદિગાર ને સંતોષ નાં થયો ,તેને પોતાની સર્વ શ્રેષ્ઠ કૃતિ એવા માનવ નું સર્જન કર્યુઁ.અને તેનાં માં લાગણીઓ નું સિંચન  કર્યું.ઈશ્વરે કલ્પના કરી હશે કે-મારા સ્વર્ગથી પણ સુંદર આવું આ વિશ્વ બનાવવું છે.કવિ ઉમાશંકર જોષી ની પંક્તિઓ યાદ આવે છે-વ્યક્તિ મટી બનું હું વિશ્વ માનવી,માથે ધરું ધૂળ વસુંધરાની...ભૂદાન યજ્ઞ નાં પ્રણેતા વિનોબાજી એ ‘જય જગત’ નું સુત્ર આપ્યું.આપણા આ મહાન દેશે તો વસુધૈવ કુટુમ્બકમનો મંત્ર વિશ્વ માં ગુંજતો કર્યો.
પરંતુ આજેતો બંધુત્વ નો વેરી આતંકવાદ બન્યો છે.અને તેને માનવ જાત પર અજગરી ભરડો લઇ એક ખૂબજ મોટો પડકાર ઊભો કર્યો છે.આતંકવાદ વિશ્વ વ્યાપી સમસ્યા છે .વિશ્વ ની મહાસત્તાઓ પણ આતંકવાદીઓ નો શિકાર બની છે.ઇઝરાયેલ પેલેસ્ટાઈનીઓ નો સામનો કરી રહ્યું છે.માઓ વાદી
આતંકવાદી ઓ નેપાળ ને ધમરોળી રહ્યાછે.શ્રીલંકા છેલ્લા ૨૫-૨૫ વર્ષ થીએલ.ટી.ટી.ઈ સામે  લડી રહ્યું છે.ઓસામા બીન લાદેન પ્રેરિત આતંકવાદ યુરોપ નાં દેશો તેમજ અમેરિકા માં આતંક મચાવી રહ્યાં છે..૧૧  સપ્ટેમ્બર નાં રોજ અમરીકા નાં વલ્ડૅ ટ્રેડ સેન્ટર પર થયેલ આતંકવાદી હુમલા  નાં પડઘા શમે તે પહેલાં ૧૩ ડીસેમ્બર નાં રોજ ભારત જેવા મહાન લોકતંત્ર નાં હૃદય સમા સંસદ ભવન પર આતંકી હુમલો થયો.આમ,તો છેલ્લા કેટલાય વર્ષો થી આપનો દેશ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ નો સામનો કરી રહ્યો છે.આપણા દેશ નો ખૂણે-ખૂણો આતંકી પ્રવૃત્તિઓ  થી સળગી ઉઠ્યો છે.રોજ નિર્દોષ માણસો ની હત્યાઓ થાય છે.આપણે માત્ર લાચારી થી જોઈ રહ્યાં છીએ .જુદી-જુદી પ્રજા વચ્ચે અવિશ્વાસ,વેમ્નસ્યનું વાતાવરણ સર્જાયું છે. આતંકવાદ-વિદ્રોહ,,વ્યક્તિવાદ,અને અલગતાવાદ માં થી જન્મે છે..પરંતુ વિદ્રોહીઓ એ ભૂલી જાય છે કે- તેમણે અપનાવેલો માર્ગ ન્યાયી છે ખરો?સ્વયં ની નબળાઈ ઓ તરફ આંખ મિચામણાં કરી થતો આ વિદ્રોહ વિસ્ફોટ બની જાય છે.મિત્રો,વાળી આ બધી પ્રવૃત્તિ ઓ મઝહબ ને નામે ચલાવવામાં આવે છે.દુનિયા નો કોઈ ધર્મ માણસ-માણસ વચ્ચે વેર રાખવાનું શીખવતો નથી..તેથી કવિ ઇકબાલે કહ્યું છે-મઝહબ નહી શિખાતા આપસ મેં બેર રખના.-
  માણસ આજે ભીતર થી ખળભળી ઉઠ્યો છે.તે અશાંત છે,બેચેન અને અજંપાથી ભર્યો-ભર્યો છે.તે આજે આતંકવાદ સામે ગુસ્સા થી ત્રસ્ત છે.
કવિ બાલમુકુન્દ દવે એ કહ્યું છે-
બુદ્ધ,મહંમદ સોક્રેટીસ,ઈસુ ને ગાંધી,
આવ્યા ને ગયાં મંત્રાંજલિ છાંટી,
--અને તોય આપણે કોરાકટ.. 
વિશ્વબંધુત્વ ની ભાવના પ્રબળ કરવાને બદલે મનુષ્ય એ પ્રપંચો કરી યુધ્ધો કર્યા.અને યુદ્ધો નું વિકરાળ,વરવું  સ્વરૂપ આતંકવાદ આજ વિશ્વ ને ધ્રુજાવી રહ્યું છે.વિશ્વ શાંતિ નાં શ્વેત કબુતર ની એક બાજુ સમડી છે તો બીજીબાજુ ઘુવડ છે.,કબૂતર ની પાંખો કપાઇ ,તેનાં પીછા ઊડી રહ્યાં છે.તે તરફડી રહ્યું છે.ગઈ છે. પ્રેમ અને કરુણા હશે તો જ આ કબુતર નો પુનર્જન્મ થશે.આ પક્ષી ને માળો બાધવા માટે હૃદય માં અધીરાઈ છે.પણ ક્યાંય છે-કોઈ એવું વૃક્ષ જ્યાં તે માળો બાંધી શકે?
બંધુત્વ નાં વેરી એવા આતંકવાદ નિર્મૂળ કરવામાં માનવ જાતને સફળતા મળે એવી અભ્યર્થના સાથે વિરમું છું.
                    જય... જગત........ધન્યવાદ.......
જગત અવાશિયા,
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ
આયોજીત વ્રકૃતત્વ સ્પર્ધા ,
દ્વિતીય વિજેતા,
ઉત્કર્ષ વિદ્યાલય ,
તારીખ:-૩૧.૧૨.૨૦૦૧



Monday, December 19, 2011

“વાર્તા કથન...”


૧૯.૧૨.૨૦૧૧
      આજે એક બાળવાર્તા.............ડિસેમ્બર.......૧૯૯૮ માં કહેવાયેલી ........
           jagat's speech....my script.....in his school days....



વાર્તા કથન...
માનનિય નિર્ણાયક ગણ, શ્રોતા મિત્રો,
આજે હું આપની સમક્ષ એક વાર્તા રજુ કરીશ.... હાં, પરંતુ એક હતો રાજા અને તેને બે રાણી હતી તેવી ચીલાચાલુ વાર્તા નથી.એ તો બચપણ નાં બે મિત્રો નાં પ્રેમ ની વાર્તા છે. તો ચાલો શરુ કરીએ -----સાંદીપની ઋષિ નાં આશ્રમ નાં બે શિષ્યો ની વાત. આશ્રમ માંથી છૂટા પડેલા બન્ને વિદ્યાર્થી એક દ્વારકાધીશ બને છે જયારે બીજો પોરબંદર નો દરિદ્ર સુદામો. એક ને સંપતિ વરી તો બીજાને સંતતિ વરી એકબાજુ અઢળક સંપતિ અને બીજી બાજુ કરુણ ગરીબી. છોકરાઓ ને જમવા પણ મળતું નથી.સુદામાની પત્ની સુદામાને કૈક લાવી આપવા વીનવે છે. અને કૃષ્ણ પાસે કંઇક માંગી લાવવા કહે છે. પોતાને અજાચક વ્રત હોવા છતાં મિત્રને મળશે એ વિચારે સુદામા દ્વારિકા ની વાટ પકડે છે સંતાનો પાસે કઈ ખાવા નથી ,પરંતુ દોસ્ત માટે પડોશમાંથી માંગી લાવેલ તાંદુલ લઇ જય છે. અથડાતો,,કુટાતો દ્વારકાધીશ નાં મહેલે પહોચે છે ત્યારે દરવાન તેને રોકે છે..તેની મજાક ઉડાડે છે,ત્યારે સુદામા કહે છે-ભાઈ દ્વારકાધીશ ને એટલું કહે કે તારો બાળપણ નો સખો સુદામો આવ્યો છે.   દરવાન અંદર જઇ દ્વારકાધીશ ને કહે છે- માથે પાઘડી નથી,શરીર પર અંગરખું નથી, ધોતિયું ફાટેલું છે,અને પગ માં જોડા પણ નથી,ગરીબ દુબળો બ્રાહ્મણ ઊભો છે. તમારું ધામ  પૂછે છે ,અને પોતાનું નામ સુદામા કહે છે....
સુદામાનું નામ  સાંભળતાજ કૃષ્ણ નાં રોમરોમ માં પ્રેમ છલકાયો,મુઠ્ઠી વાળી  ને મિત્ર ને લેવા દોડ્યા.પગ માં પીતાંબર આવ્યું, પડી ગયા .રાણીઓં પાછળ દોડી ત્યારે તેમને કહ્યું મારો બાળપણ નો સખો સુદામો આવ્યો છે.તમે મારી સાથે નાં આવો. શ્રી કૃષ્ણ ઉંબરા આગળ આવે છે, અંદર કૃષ્ણ છે, બહાર સુદામા છે, એક ધનિકતા ની ચરમસિમા તો બીજી દરિદ્રતાની ચરમસિમા છે. બન્ને ની આંખો માંથી દડ-દડ આંસુ પડે છે.
પ્રેમ જુનો છે ,છતાં કોણ કબૂલાત કરે ?
પ્રેમ ની શબ્દ થકી કોણ રજૂઆત કરે?
 વાત કરવા અમે બેઉ છીએ તત્પર,
પણ વાત કરવાની કોણ શરૂઆત કરે ?
ભલા,વાત કરવાની કોણ શરૂઆત કરે?
  બન્ને ની આંખો માંથી પાણી પડે છે .બન્ને નાં રડવા ના કારણો જુદાં-જુદાં છે. સુદામા હરખ નાં આસુંઓ થી રૂએ છે. વાહ...વાહ.. મારો મિત્ર કેટલી ઉચાઇ એ પહોચી ગયો.... કૃષ્ણ દુઃખ નાં આંસુથી રડે છે ,મારા સુખ-દુઃખ નાં સાથી સુદામાની આ દશા? ધૂળ પડી મારી દ્વારિકામાં અને ધૂળ પડી મારી લક્ષ્મી માં,જગત ની ધનિકતા હારી અને મિત્રતા જીતી.રાણીઓ તાસક ભરી ને પાણી લાવે છે, સુદામાના પગ ધોવા માંટે પરંતુ તે  પાણી ની જરૂર જ ન  પડી શ્રી કૃષ્ણ ની આંખ માંથી વહેતા આસુંઓ થી જ સુદામાના પગ ધોવાઈ ગયા.......
જગત ની બેનમુન મિત્રતાની આ વાત છે.
જગત અવાશિયા 
ગુજરાત રાજ્ય બાળવિકાસ એકેડમી,
આયોજિત વડોદરા જીલ્લા
બાળ વાર્તા કથન  સ્પર્ધા
દ્વિતીય વિજેતા,
રૂ. ૨૫૧ પુરસ્કાર,બ્રાસકપ તથા પ્રમાણપત્ર,
કુલ હરીફ-૧૧૦(ધોરણ ૫ થી ૮)
૧૦.૧૨.૧૯૯૮ 

Thursday, December 15, 2011

મૃત્યુ ........... જીતવું શક્ય નથી..જીરવવું બને તો બને.......


૧૪.૧૨.૨૦૧૧
આજે ...મૃત્યુ ........જીતવું શક્ય નથી..જીરવવું બને તો બને......... 
સત્તરમી સદીના અંગ્રેજી કવિ જ્હોન ડન ની કવિતા છે…Death,Be not Proud”અને કવિતા ને અંતે લખે છે death though shall die”  મૃત્યુ નામની આ સર્વકાલીન ઘટના નામશેષ ન થઇ શકે. પરંતુ માણસ પોતાના અભિગમથી મૃત્યુ ની ભયાનકતા ને હળવી કરી શકે છે.
     જીવનનું સનાતન અને ન ટાળી શકાય તેવું આ સત્ય છે.કોઈ ઈશ્વર નો ઇનકાર કરી શકે,પણ મૃત્યુ નો ઇનકાર થઇ શકતો નથી.મૃત્યુ નો જાત અનુભવ કોઈ ને નથી.અને છતાં મૃત્યુ થી અજાણ કોઈ નથી.એક રીતે માણસ ના સમ્રગ જીવન પર મૃત્યુ પોતાનો પ્રભાવ પથારી ને બેઠું જ છે.જિંદગી ના જુદાં-જુદાં તબક્કે જુદી-જુદી વ્યક્તિનું જુદી-જુદી રીતે થતું મૃત્યુ માણસ પર જુદી અસર છોડી જતું હોય છે. મૃત્યુ સામાન્ય માણસ ને પણ તત્વ જ્ઞાન શિખવાડી જાય છે.
      સ્વજન ના મૃત્યુ ની ઘટના એવી છે ,તેની સાથે કામ પડવું જ રહ્યું.,યેનકેન પ્રકારેણ,જેને  જે રીતે સુઝે તે રીતે.આવી ઘટના બને છે ત્યારે  માણસ ના અંત:તલ માંથી જ કેટલાક ભાવો જન્મે છે,જે તેનું દિશાસુચન કરે છે.આ ભાવો  પ્રામાણિકપણે ઝીલીને તેણે પોતાની જાતને સાચવવાની હોય છે.
(તારું ચાલી જવું .......... સંપાદક સંધ્યા ભટ્ટ માંથી સાભાર...) 
17APR2010
 Jagat  સ્વરચિત (પદ્યાંશ)
મૃત્યુ ને વધુ એક વખત નજીકથી જોયું , એક મિત્ર ના મૃત્યુ ના સ્વરૂપ માં…..
ચાલતા ચાલતા માર્ગ માં
થંભી પડે ભાઈ, માણસ છે.
મૃગજળ સમી અનંત
ઇચ્છાઓ ની પાછળ,
દોડતા દોડતા……
હાંફી પડે ભાઈ ,માણસ છે.
એક ક્ષણમાં હતો ન હતો
થઇ જાય ભાઈ માણસ છે.
ભોળા નો તો ભગવાન
એ હવે મિથ્યા વાણી લાગે
માનવસર્જિત રાજનીતિ
ભગવાન પણ શીખ્યો લાગે !
જગત નિરુપમ અવાશિયા
(બ્લોગ વિચાર જગત માંથી સાભાર.......)

હેં ....ગીતા ના ગાનાર -----
संभवामि युगे-युगे--- કહી તું છૂટી ગયો નથી ને ?પરંતુ પુન: આ ધરા પર પગરણ માંડે ત્યારે અમારા સહુ ની આજીજી સાંભળજે કે ----આવાં અધવચાળે કોઈ ના ઘર ના ભાંગીશ...... 

Tuesday, December 6, 2011

“ ગીતા જયંતી”......


૦૬.૧૨.૨૦૧૧
આજે  "ગીતા જયંતી...... પ્રસ્તુત છે........એક વ્યક્તવ્ય .....
           jagat's speech....my script.....in his school days....



ગીતા થી મારા જીવન માં આવેલી નીડરતા
                           અભયં સત્ય સંક્ષુધ્ધી, જ્ઞાન યોગ વ્યવસ્તી:         
                        દાનમ  દમસ્ય યજ્ઞસ્ય સ્વાધ્યાય સ્તય આર્જવમ.   

માનનિય નિર્ણાયક ગણ, ગુણિયલ શ્રોતાજનો,

એક રજકણ સૂરજ થવાને શમણે ઊગમણે જઇ ને ઊડે............

 ત્યારે તેનો અંજામ શું આવે તે કહેવાની મારે ભાગ્યેજ જરૂર છે.તે રજકણ ના શમણાંઓં ભાંગી ને ભૂક્કો થવા જ સર્જાયેલાં છે. આજે મુજ જેવા પામર માનવ અને તેમાંય નાદાન બાળક ગીતા રૂપી સૂર્ય પર કંઇક  બોલવાનો પ્રયત્ન કરે ત્યારે તેનો અંજામ સાગર ને ગાગર માં સમાવવા જેવો નિષ્ફળ જ હોય, તે આપ સમજી શકો છો.તેમ છતાં આ મહાન ગ્રંથ પર મને કંઈક બોલવાની સુંદર તક મળી છે ,તેથી નિષ્ફળ તો નિષ્ફળ પરંતુ મારી અલ્પમતિ પ્રમાણે હું કંઈક બોલવાનો પ્રયત્ન કરીશ .  

મને જિંદગી મળી નીષ્ફળતા અનેક ,તેથી જ કંઇક સફળ થયો હું જીદગી માં’’-એ ન્યાયે મારી અલ્પમતિ પ્રમાણે હું મારા વિચાર રજુ કરું છું તો આપ સર્વે શાંતિ થી સાભળશો તેવી આશા રાખું તો અસ્થાને નહી જ હોય----

હાં તો આજ નો ગહન વિષય છે –ગીતા થી મારા જીવન માં આવેલી નીડરતા... .
ગીતા એ મહાભારત ના યુધ્ધના સમયે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુન ને અપાયેલ ઉપદેશ છે. મારી દ્રષ્ટિએ તો ગીતા નાં મુખ્ય સંદેશ બે જ છે........
એક—કર્મ નો તું અધિકારી છે, નહિ કે ફળ નો ...અને
બીજો સંદેશ છે કે- દરેક મનુષ્યએ પોતાનું કર્મ નિર્ભયપણે,નિડરપણે,કરવુંજ જોઈએ.....
 નિડર મનુષ્ય જિંદગી માં એકવાર મૃત્યુ પામે છે ,જયારે ભયભીત મનુષ્ય ડગલે ને પગલે  મૃત્યુ પામે છે.
મારી દ્રષ્ટિ એ તો મહાભારત નું યુદ્ધ થયું તેનું મુખ્ય કારણ જ નિડરતાનો અભાવ જ છે.
પાંડવો પ્રત્યે ઘોર અન્યાય થયા,તેમાની વિરુદ્ધ ષડયંત્ર રચાયા,તેમને મારી નાખવા કાવતરાઓ થયા,-કોઈ એ નિડર થઇ ને દુર્યોધન ને વાર્યો નહિ ,એટલુંજ નહિ જુગાર માં દગાબાજી કરી  દ્રૌપદી ને બહાર સભા માં ઢસડી લાવવામાં આવી અને તેની બેઈજ્જતી કરવામાં આવી ત્યારે ભરી સભામાં ગુરુ દ્રોણ,ભિષ્મપિતામહ,તેમજ અન્ય વડીલજનો તેમજ અન્ય ગુણીજનો  હાજર હોવા છતાં કોઈએ દુર્યોધન ને આવું કાર્ય કરતાં અટકાવ્યો નહિ ,શું એ માત્ર દ્રૌપદી ની જ લાજ લુંટાતી હતી?નાં,નાં... એતો સમસ્ત ભારતીય સંસ્કૃતિ ની લાજ લુંટાતી હતી. અને જયારે સંસ્કૃતિ ચિથરેહાલ થાય ત્યારે તેનું પરિણામ મહાભારત જ હોઈ શકે. આવા સમાજ ને ભય મુકત કરવા ,નિડર બનાવવા ગીતાજી માં શ્રી કૃષ્ણ સંદેશો આપે છે.શ્રી કૃષ્ણ ગીતાજી માં કહે છે કે –દરેક મનુષ્ય એ પોતાનું સહજ કર્મ ,પોતાનો સ્વધર્મ નિડરતાપૂર્વક બજાવવો જ જોઈએ,અને આજના સમાજ નાં સંદર્ભ માં ગીતાજી નો આ સંદેશ ખૂબજ ઊપયોગી છે.  યુદ્ધ નાં મેદાન માં અર્જુનની જે સ્થિતિ હતી,તેનાં ગાત્રો શિથિલ થઇ ગયા હતા ,તેવી પરિસ્થિતિ અત્યારે મારી પણ છે.પરંતુ અર્જુન ને નિર્ભય બનાવવા શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ રૂપે હાજર હતા,આજે મારો મારો ભય શ્રી કૃષ્ણ દ્વારા પ્રેરિત સ્વાધ્યાય પરિવાર ની ગીતા સંદેશ જ છે.આજે હું જે કંઈ નિડરપણે બોલવા પ્રયત્ન કરી રહ્યો છું ,મારો ભય દૂર  કરવા પ્રયત્ન કરી રહ્યો છું, તેની યશ ગીતાજી ની મારા જીવન પર પડેલી અસર ને જ આભારી છે.મારું વ્યક્તવ્ય નિડરતા નો ઉપદેશ આપનાર દેવ જગતગુરુ શ્રી કૃષ્ણ ને વંદન સાથે પૂર્ણ કરું છું.
વસુદેવં સુતમ દેવં કંસ ચાર્નુંર મર્દનમ,
દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ’’
                      જય યોગેશ્વર  
જગત અવાશિયા     
  ગીતા જંયતી નિમીત્તે,’’       
 વડોદરા શહેર સ્વાધ્યાય પરિવાર આયોજિત વકૃત્વસ્પર્ધા,
તૃતિય વિજેતા......કુલ હરીફ ૨૦ 
૧૫.૧૧.૧૯૯૮
શ્રીમદ ભાગવત ગીતા જયંતી
માગસર સુદ-૧૧ 

Sunday, November 27, 2011

A milk man turns……90…….Dr.Kurien………


૨૭.૧૧.૨૦૧૧
આજે...............A milk man turns……90…….Dr.Kurien………
                                       Milk city celebrates as Kurien turns 90 


TIMES NEWS NETWORK 

Vadodara: Anand,known as the milk capital of the country,celebrated the 90th birthday of the Father of White Revolution Dr Verghese Kurien on Saturday with much fanfare.
Scores of visitors arrived to greet Kurien at Kurien Enclave,which is home to the doyen of co-operatives.At Amul Dairy,a mega blood donation camp was organized to mark the occasion.
Kurien,the founder chairman of Gujarat Co-operative Milk Marketing Federation (GCMMF),the National Dairy Development Board (NDDB) and the Institute of Rural Management,Anand (IRMA) among others had arrived at Anand on May 13,1949,as a dairy engineer appointed by government to look after the operations of Government Research Creamery.
Kurien had started his life from a garage.He helped founder chairman of Amul Dairy,Tribhuvandas Patel,who was struggling to run the dairy co-operative,which was set up with the inspiration of Iron Man of India Sardar Patel.It was from Amul Dairy that Dr Kurien started his stint with the co-operative sector.During the blood donation camp,which was also held in Kolkata and Pune,Amul Dairy collected over 1,100 blood units donated by employees,their families,farmers and well wishers apart from Dr Kuriens daughter Nirmala.
In normal course,we would have collected around 250 blood bottles.But on Saturday,all the employees and their family members came wholeheartedly to join the camp where we collected 715 blood units, secretary of Anand branch of Indian Red Cross Society Mehul Patel told TOI.
Meanwhile,GCMMF officials,who had launched a special campaign as tribute to the milkman,said,Dr Kurien was trending on top in Twitter.It seems India is celebrating its milkmans birthday.


Milk city Anand on Saturday marked 90th birthday of Dr Verghese Kurien,the Father of White Revolution with much fanfare.While thousands of wishes poured in through the special campaign launched by GCMMF,at Dr Kuriens residence in Anand,GCMMFs top brass,including its chairman Parthi Bhatol and managing director R S Sodhi,greeted him with a bouquet of 90 red roses and a cake with 90 candles on behalf of 3 million milk producers of Gujarat. 
(Note:-Author of this blog had stated his carier with “Amul Dairy” in 1974…….)
સૌજન્ય:- ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ......



Monday, November 21, 2011

अब्दुर्रहीम खानखाना


૨૦.૧૧.૨૦૧૧
आज...भक्तिकाल के एक महत्वपूर्ण कवि..अब्दुर्रहीम खानखाना 


अब्दुर्रहीम खानखाना 
रहिमन धागा प्रेम का मत तोडों छिटकाय।
टूटे तो फिर ना मिले मिले गांठ पड ज़ाए।।
अब्दुर्रहीम खानखाना भक्तिकाल के एक और महत्वपूर्ण कवि हुए हैं। रहीम संवेदनशील व्यक्ति थे। कूटनीति और युध्दों की भीषण परिस्थितियों में भी इनके हृदय की धार्मिक उदारता और संवेदनशीलता नष्ट नहीं हुई। वे स्वयं तो एक उत्कृष्ट कवि थे ही, उन्होंने अकबर के दरबार में उस काल के कवियों , शायरों को भी सम्मान दिलवाया और एक धार्मिक सहिष्णुता का माहौल बनाया। भिन्न धर्मों के बीच की दरार पाटने का प्रयास किया। रहीम जन्म से तुर्क होते हुए भी पूरी तरह भारतीय थे। हिन्दु भक्त कवियों जैसी उत्कट भक्ति-चेतना, भारतीयता और भारतीय परिवेश से गहरा लगाव उनके तुर्क होने के अहसास को झुठलाता सा प्रतीत होता है।
पूरे हिन्दी साहित्य के इतिहास में रहीम एक अद्भुत व्यक्तित्व थे। इतने महान योध्दा कि सोलह वर्ष की आयु से लेकर बहत्तर वर्ष की वयस तक अनेकों ऐतिहासिक लडाइयां निरंतर लडीं और जीतीं। दानी इतने बडे क़ि अगर किसी ने कहा कि मैं ने कभी एक लाख अशर्फियॉं आँख से नहीं देखीं तो, एक लाख अशर्फियां उसे दान कर दीं। विनम्र इतने कि उनके किसी साथी कवि ने कहा कि देते समय ज्यों-ज्यों रहीम का हाथ उठता है उनकी नजर नीची होती जाती है। इस पर रहीम का उत्तर था -
देनहार कोई और है भेजत हैं दिन रैन
लोग भरम हम पर धरैं यातें नीचे नैन
रहीम का जीवन एक वृहत दु:खान्त नाटक की तरह रहा है। उनके पिता बैरम खां तुर्किस्तान से आए और सोलह वर्ष की आयु से ही हुमायूं के साथ रहे।हुमायूं के मरने पर अकबर का संरक्षण इन्हीं के पास रहा। अकबर जब युवा हुए तो कुछ घृष्ट लोगों ने अकबर को भडक़ाया कि वे बादशाहत खुद न हथिया ले। अकबर ने उनसे संरक्षणत्व का अधिकार ले लिया और बादशाह बनते ही उन्हें बेदखल कर दिया। बाद में हज पर जाते समय उनका डेरा लुटा और वे कत्ल कर दिये गए। रहीम तब पाँच वर्ष के थे, अत: अकबर ने उन्हें अपने पास रखा शिक्षा-दीक्षा दिलवाई, उनका विवाह शाही परिवार में करवाया गया।कुल उन्नीस वर्ष की आयु में रहीम ने गुजरात पर विजय हासिल की और वहाँके सूबेदार नियुक्त हुए। इनका यश चतुर्दिक फैल गया, अकबर ने इन्हें प्रसन्न होकर खानखानाँ की उपाधि दी। तबसे अनेकों युध्दों और विजयों का सिलसिला चल पडा और अकबर के बाद जहाँगीर के साथ रहे। जहाँगीर ने नूरजहां के कहने पर उन्हें कैद करवा दिया और दुर्दिन शुरू हुए। सालों बाद प्रौढावस्था में चाहे जहाँगीर ने इन्हें निर्दोष पा कर इनकी मनसबें और जागीरें ससम्मान लौटा दी। फिर आंरभ हुआ जहाँगीर और शाहजहाँ के बीच का संघर्ष जिसमें खानखानाँऐसे फँसे कि शाही षडयंत्रों, अतिमद्यपान तथा अस्वस्थ होकर इनके सभी पुर्त्रदामाद चलबसे। पत्नी-पुत्री भी अधिक जीवित न रह सके। अंत में उन्होंने 72वर्ष की उम्र में महावत खाँ के विद्रोह को शांत करने के लिये एक युध्द लडा जिसमें इन्हें काफी सम्मान मिला। तब तक तन-मन जर्जर हो चुका था और इनका देहांत भी इसी वर्ष हो गया।
अदभुत शौर्य और निर्भयता तथा सैन्य व कूटनीतिक दक्षता में खानखानाँअद्वितीय थे। गुणवान और बौध्दिक और कलाप्रेमी तो थे ही। अनेक भाषाओं का ज्ञान, लोकव्यवहार और सांसारिक ज्ञान ने उन्हें बेहद लोकप्रिय बना रखा था। वे सही अर्थों में कला और सौंदर्य के पारखी थे।
रहीम के पास रणथम्भौर, कालपी और जौनपुर की जागीरें थीं। इससे वे अवधी भाषा के सम्पर्क में आए। आगरा राजधानी होने से ब्रज का प्रभाव स्वाभाविक था। इन्होंने फारसी, संस्कृत, अवधी, ब्रज तथा खडी बोली में अपना कृतित्व रचा। तमाम जिन्दगी मार्रकाट और कठिन शाही प्रपंचों के बीच रहे रहीम इतना सहज व उत्कृष्ट काव्य कैसे रच सके होंगे? कहते हैं बडे प्रभावशाली थे रहीम सुन्दर चेहरा, बाँकी पाग, बांए हाथ में रत्नजटित तलवार, दायां हाथ स्वागत या उदारता से खुला हुआ। कवि केशव ने उनका शब्दचित्र यूं खींचा है -
अमित उदार अति पाव विचारि चारु
जहाँ तहाँ आदरियो गंगा जी के नीर सों।
खलन के घालिबे को, खलक के पालिबे को
खानखानाँ एक रामचन्द्र जी के तीर सौं।।
रहीम मूलत: प्रेमपंथी थे। उन्होंने प्रेमपंथ का एक चित्र खींचा है:
रहीमन मैन तुरंग चढी चलिबो पावक मांहि।
प्रेमपंथ ऐसो कठिन सबसौं निबहत नाहिं।।
घोडे पर चढ क़र आग के भीतर चलना, ऐसी प्रेम की राह सबके बस की नहीं।लेकिन रहीम ने यही राह गही। चाहे वह यौवनकाल का प्रेम हो या सहज प्रेममय व्यवहार। रहीम के काव्य में हर तरह के लौकिक-अलौकिक भाव हैं।व्यवहारिक दर्शन है जो सबको समझ आ जाए। हास-विलास, लालसा, छल,प्रतीक्षा, उत्कंठा, लगन, भक्ति, सदजनों का प्रभाव, लौकिर्कअलौकिक प्रेम सभी से रहीम का काव्य समृध्द है।
रहीम के पहले पडाव की रचनाएं हैं, बरवै नायिका भेद और नगर शोभा यह लौकिक प्रेम से भरपूर काव्य हैं।
भँति-भाँति की स्त्रियों, नायिकाओं की विभिन्न अवस्थाओं का वर्णन इनमें मुख्य है। यह काव्य लौकिक प्रेम का सरस प्रस्तुतिकरण है। एक चित्र-
मितवा चलेउ बिदेसवा, मन अनुरागी।
पिय की सुरत गगरिया, रहि मग लागि।।
प्रिय की स्मृतियों का कलश लिये नायिका रास्ते में खडी है कि जब वे लौटेंगे तो स्मृतियों से भरा कलश उनका मंगल-शकुन बनेगा। इसके बाद रहीम की काव्य यात्रा का दूसरा पडाव आता है, जिसमें जीवन के खट्टे-मीठे अनुभवों एवं दिनों के फेर के वर्णन हैं, व्यवहारिकता, कुसंग व सत्संग के प्रभावों का वर्णन है, मान मर्यादा और नीति का चित्रण है। ये काव्य दोहों और सोरठों में है। कुछ उदाहरण -
रहिमन याचकता गहे, बडे छोटे व्हे जात 
नारायण हू को भयो, बावन अंगुर गात।।
माँगने वाला बडा होकर भी छोटा हो जाता है, विराट् नारायण भी तो माँगते समय वामन हो गए थे।
रहिमन तीन प्रकार ते , हित अनहित पहिचानि।
पर बस परे, परोस बस, परे मामला जानि।।
इस दोहे में उन्होंने कहा है शत्रु-मित्र की पहचान तीन तरह से होती है। आप परवश हो जाएं, आप पडोस में बस जाएं, या आप किसी मामले में फंस जाएं।रहीम को ओछे और बडे क़ी बडी सूक्ष्म व्यवहारिक पहचान थी। छोटा वही जो रीत जाए तो रहट की घरिया की तरह सामने आ जाए भरते ही पलट जाए।बडा वह जिसमें अपने बडप्पन का ज़रा मान न हो।
जो बडेन को लघु कहे, नहिं रहीम घटि जाहिं।
गिरधर मुरली धर कहे कछु दुख मानत नाहिं।।
पानी की महत्ता को रहीम से अधिक मार्मिक ढंग से कोई नहीं कह सका।
रहिमन पानी राखिये, बिन पानी सब सून।
पानी गए न ऊबरैं, मोती, मानुस, चून।।
सत्संग और कुसंग पर यह सटीक दोहा -
कदली, सीप, भुजंग मुख, स्वाति एक गुन तीन।
जैसी संगति बैठिये, तसोई फल दीन ।।
स्वाति की एक बूंद और तीनों संगति में उसकी अलग अलग परिणति होती है।केले के वृक्ष पर गिर वह रस का
निर्माण करती है, सीप में प्रविष्ट हो मोती बनती है और साँप के मुख में जा विष बनती है।
भिन्न-भिन्न अनुभवों से गुजर कर भी रहीम प्रेम की सरसता छोड नहीं पाते।क्योंकि वे जानते हैं कि प्रेम से तो नारायण भी बस में हो जाते हैं और जीवन की सार्थकता इसी में है कि -
रीति, प्रीति सबसौं भली, बैर न हित मित गोत।
रहिमन याहि जनम की, बहुरि न संगत होत।।
सभी से प्रीति और रीति पूर्ण व्यवार करना ही उचित है। कम से कम हितेषी,मित्र और समान गोत्र वालों से बैर नहीं करना चाहिये। अब एक ये ही जनम तो मिला है जो कि फिर लौट कर नहीं आने वाला। इसी सिध्दान्त पर चल रहीम
अपनी काव्य यात्रा के तीसरे पडाव पर पहुँचते हैं, जहाँ उनका प्रेम अलौकिक हो उठता है। यहाँ त्याग और समर्पण प्रेम की पराकाष्ठा है।
रहिमन प्रीत सराहिये मिले होत रंग दून।
ज्यों हरदी जरदी तजै, तजै सफेदी चून।।
प्रेम में अहं का त्याग ही सर्वश्रेष्ठ है, जैसे हल्दी और चूना मिलते हैं तो हल्दी अपना पीलापन छोड देती है और चूना अपनी सफेदी दोनों मिल कर प्रेम का एक नया चटक लाल रंग बनाते हैं।
प्रेम के लौकिक-अलौकिक महत्व के इन प्रसिध्द दोहों ने रहीम को काव्यजगत में अमर कर दिया।
रहिमन धागा प्रेम का मत तोडो छिटकाय।
टूटे तो फिर ना मिले मिले गांठ पड ज़ाए।।

प्रीतम छबि नैनन बसि, पर छबि कहाँ समाय।
भरी सराय रहीम लखि, पथिक आप फिर जाए।।
जब प्रिय की छवि नेत्रों में बसी है तो किसी और छवि की जगह ही कहाँ शेष है? जब सराय ही भरी रहेगी तो आने वाले पथिक देख कर ही लौट जाएंगे। वे तो आखों की पुतली को ही शालिग्राम बना लेना चाहते हैं। जिसे नेह के जल से नित अर्ध्य दे सकें।
रहिमन पुतरी स्याम, मनहुँ जलज मधुकर लसै।
कैंधों शालिग्राम, रूपे के अरधा धरे।।
यही तो एक मुस्लिम कवि के पवित्र प्रेम की पराकाष्ठा थी। रहीम ने श्री कृष्ण के विरह में तडपती गोपियों से लेकर, राम और गंगा मैया को भी अपना काव्य समर्पित किया, कहीं ब्रज में, अवधी या संस्कृत में। रहीम के मन के ये भक्ति परक प्रेम के संस्कार एक सहज आत्मीयता के कारण ढल सके। उनके व्यक्तित्व की उदारता में फारसी के साथ गाँव की ब्रज, अवधी, पराक्रम के साथ क्षमा, औदार्य और राजसी ठाठबाट के साथ फकीरी हमेशा घुली-मिली रही। वे मुसलमान जन्मे, मुसलमान दफनाए गए। उनका धर्म और कर्म विराट था,संकीर्णता की कहीं कोई गुंजाईश नहीं थी।
जदपि बसत हैं, सजनी, लाखन लोग।
हरि बिन कित यह चित्त को, सुख-संजोग।।
ऐसे नेही चित्त वाले रहीम के काव्य पर तुलसी और सूर का आत्मीय प्रभाव था।उनके जीवन का एक मात्र दर्शन था प्रेम और आत्मीयता, उदारता। मोतियों का हार टूट जाए तो उसे हम बार बार पोह लेते हैं , इसी प्रकार मानवीयता और मूल्यों से लगाव छूटे तो उसे फिर से जोडना चाहिये। रहीम इसी जुडाव के कवि हैं -
टूटे सुजन मनाइये, जो टूटे सौ बार।
रहिमन फिर-फिर पोहिये, टूटे मुक्ताहार ।।