Wednesday, May 31, 2017

બોધ કથા-૧૭.... "Our Journey together is so short"

     ૩૧/૦૫/૨૦૧૭.....બોધ કથા-૧૭.... 
    "Our Journey together is so short"



                               સંકલિત......                                      ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....
"Our Journey together is so short" A beautiful message for all of us....Take a minute please
A young lady sat in a bus. At the next stop a loud and grumpy old lady came and sat by her. She squeezed into the seat and bumped her with her numerous bags.
The person sitting on the other side of the young lady got upset, asked her why she did not speak up and say something.
The young lady responded with a smile:
"It is not necessary to be rude or argue over something so insignificant; the journey together is so short. I get off at the next stop."
 This response deserves to be written in golden letters:
"It is not necessary to argue over something so insignificant; our journey together is so short"
If each one of us realized that our time here is so short; that to darken it with quarrels, futile arguments, not forgiving others, discontentment and a fault finding attitude would be a waste of time and energy.
Did someone break your heart? Be calm, the journey is so short.
Did someone betray, bully, cheat or humiliate you? Be calm, forgive, the journey is so short.
Whatever troubles anyone brings us; let us remember that our journey together is so short.
No one knows the duration of this journey. No one knows when their stop will come. Our journey together is so short.
Let us cherish friends and family. Let us be respectful, kind and forgiving to each other. Let us be filled with gratitude and gladness.
If I have ever hurt you, I ask for your forgiveness. If you have ever hurt me, you already have my forgiveness.

After all, Our Journey Together is so Short!

Tuesday, May 30, 2017

બોધ કથા-૧૬..મેનેજમેન્ટનો બોધપાઠ.

૩૦/૦૫/૨૦૧૭....બોધ કથા-૧૬..મેનેજમેન્ટનો બોધપાઠ..




     સંકલિત......                                                                  ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....

મેનેજમેન્ટનો બોધપાઠ...unknown
જંગલ માં એક દિવસ સવાર સવારમાં એક સિંહ પોતાની ગુફાની બહાર આરામથી બેઠો હતો અને તડકાનો આનંદ લઇ રહ્યો હતો. એટલા માં એક શિયાળ ત્યાંથી નીકળે છે.
શિયાળ: " શું તમને ખબર છે કેટલા વાગ્યા?" કારણ કે મારી ઘડિયાળ ખરાબ થઇ ગઈ છે.
સિંહ: અરે! તારા માટે હું ખુબજ સરળતાથી ઘડિયાળ રીપેર કરી આપીશ.
શિયાળ: હમમમ, પરંતુ તેની કારીગરી ખુબજ અઘરી છે, અને તમારા નખ પણ ખુબ મોટા છે એટલે વધારે ખરાબ થવાની શક્યતા છે.
સિંહ: " અરે નહિ! ઘડિયાળ મને આપ હું બરાબર કરી આપીશ.
શિયાળ: " ખુબજ હસવા જેવી વાત છે, કોઈ આળસુ સિંહ ખુબજ મોટા નાખ સાથે આટલી જટિલ ઘડિયાળ રીપેર કરી શકે નહિ.
સિંહ: " ખરેખર કરી શકે, મને એક તક તો આપ.
પછી સિંહ ઘડિયાળ લઈને એની ગુફામાં જાય છે અને થોડી વાર પછી બહાર આવે છે ત્યારે તેના હાથ માં ઘડિયાળ હોય છે જે બરાબર ચાલતી હોય છે. શિયાળ આશ્ચર્યચકિત થઇને જતું રહે છે. અને સિંહ પાછો પોતાની જાત ને અહોભાવથી નિહાળતો નિહાળતો આરામથી તડકાની મજા લેવા લાગે છે.

એટલામાં એક વરુ ત્યાં આવે છે અને સિંહને જોઈ ને કહે છે કે
"
શું હું આજે રાત્રે તમારે ત્યાં આવીને ટીવી જોઈ શકું ? મારું ટીવી ખરાબ થઇ ગયું છે."
સિંહ: અરે હું સરળતાથી તમારું ટીવી રીપેર કરી આપીશ.
વરુ: શું તમે મને મુર્ખ સમજો છો?, એક આળસુ સિંહ મોટા નખ સાથે ક્યારેય પણ ટીવી રીપેર કરી શકે નહિ.
સિંહ: "કઈ વાંધો નહિ. તમારે જોવું છે?
પછી સિંહ ટીવી લઈને એની ગુફામાં જાય છે અને થોડી વાર પછી બહાર આવે છે ત્યારે તેના હાથ માં ટીવી હોય છે જે બરાબર ચાલતી હોય છે.વરુ આશ્ચર્યચકિત થઇને જતું રહે છે. અને સિંહ પાછો પોતાની જાત ને અહોભાવથી નિહાળતો નિહાળતો આરામથી તડકાની મજા લેવા લાગે છે.
અંદર નો સીન:
ગુફાની અંદર એક ખૂણામાં કેટલાક નાના અને હોશિયાર સસલાઓ મોટામોટા ઓજારો સાથે કામ કરવામાં મશગુલ હતા. તેઓ કોઈ પણ જટિલ માં જટિલ કામ કરવાની કાબેલિયત ધરાવતા હતા. ગુફાના બીજા ખૂણામાં સિંહ પોતાની પત્ની સાથે આરામથી બેઠો બેઠો બધું જોઈ રહ્યો હતો.
બોધપાઠ:
તમે ખરેખર જાણવા માંગતા હોવ કે મેનેજર આટલા બધા પ્રખ્યાત (ફેમસ) શા માટે હોય છે, તો તેની દેખરેખ હેઠળ કામ કરતા માણસોને જુઓ.
મેનેજમેન્ટનો બોધપાઠ:
તમે એમ જાણવા માંગતા હોવ કે કોઈ એક વ્યક્તિને આટલો બધો યશ કેમ મળે છે, ત્યારે તેના અન્ડરમાં કામ કરતા લોકો વિષે પણ વિચારો.

Monday, May 29, 2017

બોધ કથા-૧૫...A Dog and a Donkey

૨૯/૦૫/૨૦૧૭....બોધ કથા-૧૫...A Dog and a Donkey

     સંકલિત......                                                                  ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....




                                                    A Dog and a Donkey

There was once a washer man who had a donkey and a dog. One night when the whole world was sleeping, a thief broke into the house, the washer man was fast asleep too but the donkey and the dog were awake. The dog decided not to bark since the master did not take good care of him and wanted to teach him a lesson. The donkey got worried and said to the dog that if he doesn't bark, the donkey will have to do something himself. The dog did not change his mind and the donkey started braying loudly. Hearing the donkey bray, the thief ran away, the master woke up and started beating the donkey for braying in the middle of the night for no reason.


 Moral of the story "One must not engage in duties other than his own" 
  
Now take a new look at the same story...
        
The washer man was a well-educated man from a premier management institute. He had the fundas of looking at the bigger picture and thinking out of the box. He was convinced that there must be some reason for the donkey to bray in the night. He walked outside a little and did some fact finding, applied a bottom up approach, figured out from the ground realities that there was a thief who broke in and the donkey only wanted to alert him about it. Looking at the donkey's extra initiative and going beyond the call of the duty, he rewarded him with lot of hay and other perks and became his favorite pet. The dog's life didn't change much, except that now the donkey was more motivated in doing the dog's duties as well. In the annual appraisal the dog managed "ME" (Met Expectations).

Soon the dog realized that the donkey is taking care of his duties and he can enjoy his life sleeping and lazing around The donkey was rated as "star performer". The donkey had to live up to his already high performance standards. Soon he was overburdened with work and always under pressure and now is looking for a NEW JOB...


          Moral of the story… ehmmm, same as above.


          "One must not engage in duties other than his own"

Sunday, May 28, 2017

ગુરુજી ની કલમે.....(૧)... હાજરી નો અહેસાસ.....

૨૮/૦૫/૨૦૧૭.....



                  ગુરુજી ની કલમે.....
                           ધી ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ મા પસિદ્ધ થયેલ પ્રવચનો નો સંગ્રહ
                          ૧૦ મી સપ્ટેમ્બર ૨૦૦૬ સુધી સંકલિત......
             અનુવાદક: નિરુપમ ભાસ્કરલાલ અવાશિયા.
                                                             બી.ઈ.(ઈલેક્ટ્રીકલ)
                 (૧)... હાજરી નો અહેસાસ

જેને આંખ હોય તે જ જોઈ શકે છે અને જેને કાન  હોય તેજ સાંભળી શકે છે.જે જોઈ શકાય છે તે સાંભળી શકાતું નથી,તે જોવાનું જ હોય છે.જિંદગી ના પાંચ પરિમાણો અથવા ઇન્દ્રિયો હોય છે.-જોવું,સાંભળવું,સુંઘવું,સ્વાદ પરખવો,સ્પર્શ.પરંતુ એક વધારે ઇન્દ્રિય છે જે –આપણા ધ્યાન બહાર રહી ગઈ છે-એ છે-લાગણી.હાજરી ની લાગણી/અહેસાસ.પ્રકાશ આંખો વડે સાંભળી શકતો નથી,તેને આંખો વડે જોવાનો હોય છે.  ધ્વની આંખ વડે જોઈ શકાતો નથી.પરંતુ કાન વડે સાંભળી શકાય છે.તેજ રીતે હાજરી નો અહેસાસ  હદય વડે અનુભવી શકાય છે.
ઈશ્વર એ ઇન્દ્રિયો વાટે સમજવા ની વસ્તુ નથી.પરંતુ તે લાગણી ઓ નો અહેસાસ ,હાજરી નો અહેસાસ,મૌન નો અવાજ,જીદગી નો પ્રકાશ,વિશ્વ નો અર્ક,અને પરમ આનંદ છે.અને આપણું મનુષ્ય જીવન ત્યારે જ સાર્થક છે કે જયારે આપણે આપણી આ છઠ્ઠી ઇન્દ્રિય સહ જીવીએ.
  જો તમે હતાશા અનુભવતા હોવ,અને નિરાશા ની લાગણી ચાલુ જ રહેતી હોયતો તમે તમારી આજુબાજુ નિરાશાના પરમાણુંઓ/વાદળો ને ઊભા કરો છે. આ તમારી આસપાસ ના નિરાશાના અણુંઓ વાતાવરણ મા જઇ,તેને વળગી જાય છે.તે જગ્યા પર કોઈ તમારા પછી આવે તો તેને પણ કોઈ પણ કારણ વગર નિરાશાની લાગણી થાય છે. શું તમે આ અનુભવ્યું છે?તમે કોઈ રૂમ મા દાખલ થાવ અને તમને ગુસ્સો આવવા લાગે,તમે થોડી મીનીટો પહેલાં તો શાંત હતા,પરંતુ તમે રૂમ મા દાખલ થયાને ગુસ્સો,ભાર,તનાવ તમારા પર હાવી થઇ ગયા.  
આજકાલ પર્યાવરણ અંગે ઘણીજ ચર્ચાઓ થાય છે.પર્યાવરણવાદીઓ તમે જ્યાં જૂઓ ત્યાં સર્વત્ર કામ પર લાગેલા હોય છે.જંગલો બચાવવાની અને વધારે હરિયાળી લાવવાની,વસ્તુઓ,પ્લાસ્ટિક   ના રીસાયકલીંગ ની,અને વધારે ને વધારે કુદરતી અને જેવીક (ઓર્ગેનિક) પ્રદાર્થો ના ઉપયોગ ની વાતો ચાલે છે. થોડાં વર્ષો પહેલાં આ કોઈ મુદ્દો જ ન હતો.ખરું કે નહી? હવે બધાજ દેશો એકત્ર થઇ આ પૃથ્વી નામનાં ગ્રહ ને બચાવવા કરારો/સમજૂતીઓ કરી રહ્યા છે.પૃથ્વી ની જેમજ આપણે પાણી ને પ્રદુષિત કરી રહ્યા છીએ,આપણે ભાવનાઓ અને લાગણીઓ ના સુક્ષ્મ વાતાવરણ ને પણ પ્રદુષિત કરી રહ્યા છીએ.
માણસ પોતાનાજ વાતાવરણ નો શિકાર બની રહ્યો છે.તેનો પોતાનાં મગજ પર કાબુ નથી અને વાતાવરણ નો શિકાર બન્યો છે અને સમગ્ર વાતાવરણમાં તનાવ પેદા થયો છે.કેમ ખરું કે નહી?
આપણી નકારાત્મક ભાવનાઓ વડે આપણે સુક્ષ્મ રીતે આપણા વાતાવરણ ને પ્રદુષિત કરીએ છીએ.પરંતુ આ પ્રદુષણ ને દુર કરવામાં ખાસ્સો સમય લાગે છે.તમે અનિવાર્ય પણે કોઈવાર તાણ અનુભવો,તમે કોઈવાર નકારાત્મકતા નો અહેસાસ કરો,તમે કોઈ વાર શંકાશીલ બનો,કોઈવાર તમે આ પ્રકાર તમામ ભાવ નો અનુભવ કરો છો,-આ એક અનિયાર્ય વસ્તુ છે.આમ થાય છે.કોઈ આમ થાય તેમ ઈચ્છતું નથી.પરંતુ જયારે આવું બને છે ત્યારે આપણે આ બધાનો સામનો કઈ રીતે કરીએ છીએ? આપણે જીવન ની અન્ય વસ્તુઓ વિશે ઘણું જ સાંભળીએ છીએ,પરંતુ આપણે આપણી જાત  વિશે સંભાળવા મા બહુ જ અલ્પ સમય વ્યતીત કરીએ છીએ;આપણા મગજ નું નિયંત્રણ  કેમ કરવું?વર્તમાન મા કેમ જીવવું?કઈ રીતે આનંદમા  અને કૃતઘ્ન થઇ રહેવું?તે આપણે શીખ્યા નથી.આ ખૂબજ કમનસીબ બાબત છે. તો પછી આનો ઉકેલ શો? આજ વાત છે જ્યાં આપણે આપણા વાતાવરણ,આપણા મગજ ,આપણી લાગણીઓ,અને સામાન્ય રીતે આપણા જીવન નું  નું સંચાલન કરનાર વાતાવરણ ના  મુળભુત સિધ્ધાંત ને ચુકી/ભૂલી  ગયાં છીએ.આપણું શરીર  મા નકારાત્મકતા કરતાં આનંદ અને સુખ ના સ્પંદનો લાંબો સમય ટકાવી રાખવા ની ક્ષમતા ધરાવે છે કારણ કે-સકારાત્મકતા એ આપણા અસ્તિત્વ મા કેન્દ્ર સ્થાને છે.જેમ અણું  ની સંરચના મા -પ્રોટોન અને ન્યુટ્રોન પરમનું ના કેન્દ્રમાં હોય છે, અને ઇલેક્ટ્રોન તો માત્ર પરિઘ/સીમા પર જા હોય છે,તેવું જા આપણા જીવન ની બાબત મા પણ છે;કેન્દ્ર/મધ્ય મા આનંદ,સકારાત્મકતા,અને સુખ છે અને તે નકારાત્મકતા અણું ઓ ના વાદળો વડે ઘેરાયેલા હોય છે.  શ્વાસ ની મદદ વડે આપણે આસાની થી નકારાત્મક લાગણીઓ પર ટુંકા ગાળા માટે કાબુ મેળવી શકીએ છીએ.યોગ/ધ્યાન વડેઅને કેટલીક  શ્વાસોચ્છવાસની તરકીબ દ્વારા તમે આ નકારાત્મકતા ના વાદળો ને દુર કરી શકો છો.
મને લાગે છે કે –ભવિષ્ય મા એવો નિયમ/કાયદો આવશે કે-જે કોઈ હતાશ થશે,તેનો દંડ થશે! હતાશ થવા માટે રૂપિયા ૧૦,૦૦૦ હાજર નો દંડ!!પછી તમને યોગ/પ્રાણાયામ કરી ને કોઈ પણ પ્રકાર ની દવા ની ગોળી લીધા વગર હતાશા દુર કરવા કહેવા મા આવશે.તમારા માટે એવું તે શું છે કે જેના કારણે તમારે  હતાશા અનુભવી પડે?તમે આ પૃથ્વી ગ્રહ પર થોડા સમય માટે છો.અને જ્યાં સુધી તમે અહીં છો ત્યાં સુધી આનંદ થી જીવી શકો છો.આ જીવન પાસે તમો ને  પ્રદાન/આપી શકે તેવું ઘણું જ છે. આ તમે એક વાર સમજી લો,તમે તમારા આત્મા ને શશક્ત કરી શકો છો.તમારો આત્મા તમારા હાસ્ય નો ભૂખ્યો છે.જો તમે તેને આ આપી શકો તો તમે  આખું વર્ષ સ્ફૂતિ નો અહેસાસ કરી શકો છો.અને કોઈ પણ તાકાત પછી તે ગમે તે હોય તમારું સ્મિત/હાસ્ય તમારી પાસે થી છીનવી શકે નહી.    
જીવનમાં દરેક સફળ થવા માંગે છે.પરંતુ સફળતા શું છે? તે જાણ્યા સિવાય તમારે સફળ થવું છે.
સફળતા ની નિશાની ઓ કઈ છે? માત્ર પુષ્કળ ધન/દોલત હોવી,એ સફળતા છે?તમે એમ શા માટે વિચારો છો કે-ધન એટલે સફળતા?કારણ કે ધન તમને જે કરવું હોય તે કરવા ની છૂટ આપે છે,તમારી પાસે મોટું બેક નું બેલેન્સ હોય,પરતું પેટમાં દર્દ હોય,અલ્સર હોય,તમારે બાય-પાસ સર્જરી કરવી પડે;તમે આ ખાઈ ના શકો,આમ ના કરી શકો,કે તેમ ના કરી શકો.આપણે અડધા ઉપરાંત  તંદુરસ્તી ના ભોગે સંપત્તિ મેળવીએ છીએ,અને અડધા ઉપરાંત સંપતિ તે તંદુરસ્તી પછી મેળવવા મા વેડફીએ છીએ.આ વિચિત્ર નથી?શું આ સફળતા છે?આ ઘણીજ ખરાબ ગણતરી છે.
સફળતા નો દાવો કરનારા ઓ  પર નજર નાંખો.-શું તે લોકો સફળ છે?ના તેઓ પીડિત/દુઃખી છે.
તો પછી સફળતાની નિશાની ઓ કઈ?સફળતાની નિશાની છે-અભૂતપૂર્વ આંનદ,ખરું કે નહી?તે છે વિશ્વાસ,કરુણા,ઉદારતા,અને એવું હાસ્ય કે જે –કોઈ છીનવી ના શકે,આ ખરેખર સફળતા ને વધારે મુક્તિ ના લક્ષણો છે.અને આજ સફળ વ્યક્તિ ના લક્ષણો છે.
થોડો સમય કાઢો અને સ્વસ્થ/શાંત મગજ થી તમારી જાત મા ઊંડાણ થી જૂઓ.આપણા મગજ ની અંદર ની છાપ ભૂંસી, આપણા અસ્તિત્વ ના કેન્દ્ર સમા દિવ્ય તત્વ ની હાજરી નો અહેસાસ કરો..
અને આજ તો તેમની(પરમ તત્વ )ની હાજરી નો અહેસાસ છે.

લેખક: શ્રી.શ્રી. રવિશંકરજી ......અનુવાદ: નિરુપમ અવાશિયા...........ચિત્રો સૌજન્ય- ઈન્ટરનેટ....


Saturday, May 27, 2017

બોધ કથા-૧૪...બન્ને આંખો ને સાચવજે

૨૭/૦૫/૨૦૧૭....બોધ કથા-૧૪...બન્ને આંખો ને સાચવજે

                         સંકલિત......                                                         ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....





બન્ને આંખો ને સાચવજે

એક છોકરી આખા જગત ને ધિક્કારતી હતી,કારણકે એ અંધ હતી અને કશું જોઈ શકતી ન  હતી.

એક છોકરો તેને ખૂબજ પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માગતો હતો. 
                    
એ છોકરીએ તેને કહ્યુંકે જો એ આ જગત ને જોઈ શકશે તો જ એ એની સાથે લગ્ન કરશે. 

વાત જ અસંભવ હતી.થોડા સમય પછી એક માણસે એ અંધ છોકરીને એની બન્ને આંખો નું દાન કર્યુઁ. 

 એ હવે જોઈ શકતી હતી.એનાં પ્રેમી છોકરાએ એને પુછ્યું-  

તું હવે જોઈ શકે છે,મારી સાથે લગ્ન કરશે ને? 
છોકરીએ તેનાં પ્રેમી ને પહેલીવાર જોયો એને ખૂબજ આઘાત લાગ્યો.એનો પ્રેમી અંધ હતો.       
છોકરી એ એની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો. 
છોકરાની આંખોના ખાડામાંથી આંસુઓં વહેવા લાગ્યાં એને જતાં  જતાં છોકરીને કહ્યું :                    મે તને આપેલી બન્ને આંખોને  સાચવજે

( સૌજન્ય : તાણાવાણા-૮ સંપાદક-ઉમેદ નંદુ )


Friday, May 26, 2017

બોધ કથા...૧૩...(૧) રોગ જેવો ભક્તિનો ઘમંડ … અને (૨) અહમ્ …

૨૬/૦૫/૨૦૧૭....બોધ કથા...૧૩...

                      સંકલિત......                                                          ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....

(૧) રોગ જેવો ભક્તિનો ઘમંડ

અને (૨) અહમ્ … (બોધકથાઓ)
(૧) રોગ જેવો ભક્તિનો ઘમંડ





નારદના ચિત્તમાં એક વાર ઘમંડ જન્મ્યો કે પોતાના કરતાં મોટો ભક્ત કોઈ નથી.  એમનું મન વાંચી ભગવાને કહ્યું : નારદઅમૂક  જગ્યાએ જાઓ.  ત્યાં એક મહાન ભક્ત વસે છે.  એની ઓળખાણ કરજો.  કારણએ મારો સનિષ્ઠ ભક્ત છે.’  નારદ ત્યાં ગયા અને જોયું તો એક ખેડૂ હતો.  એ વહેલો ઊઠતો અને એક જ વાર હરિનું નામ બોલીહળ લઇ ખેતરે ઉપડી જતું અને આખો દહાડો એ ખેડ કરતો.  રાતે ફરી વાર હરિનામ બોલી એ ઊંઘી જતો.  નારદ મનમાં વિચારવા લાગ્યા : આ ગામડિયો ભગવાનનો મહાન ભક્ત શી રીતે હોઈ શકે ?  હું એને આખો દાહ્ડો સાંસારિક કાર્યોમાં વ્યસ્ત જોઉં છું.  અને એનામાં પવિત્રતાનું કોઈ ચિહન જોવા મળતું નથી.’  પછી નારદજી ભગવાન પાસે પાછા ગયાં અને પોતે કરેલી નવી ઓળખાણ બાબત પોતે જે માનતા હતા તે કહ્યું.  એટલે ભગવાને નારદના હાથમાં તેલ ભરેલો એક પ્યાલો આપી કહ્યું : નારદ આ તેલનો પ્યાલો લઇ આ નગરની પ્રદક્ષિણા કરી લાવો.  પણ તેલનું એક ટીપુંયે ઢોળાઈ નહીં એનું બરોબર ધ્યાન રાખજો.’  નારદે કહ્યા પ્રમાણે કર્યું અને એ પાછા આવ્યા ત્યારે ભગવાને પૂછ્યું : વારુનારદતમે નાગર ફરતે જતાં હતા ત્યારે તમે મેં કેટલી વાર યાદ કર્યો હતો ?  ‘એક વાર પણ નહીંપ્રભુ’, નારદે કહ્યું, ‘આ તેલ છલછલતા પ્યાલાનું ધ્યાન રાખવાનું હોય ત્યાંતમને સ્મરવાનું શી રીતે બને ?’  એટલે ભગવાન બોલ્યા : ‘ આ એક તેલના પ્યાલાએ તમારું ધ્યાન એવું તો બીજે વાળ્યું કે તમે મને સદંતર ભૂલી જ ગયાં.  પણ પેલો ગામડિયો જુઓ.  કુટુંબ અને સંસારનો ભાર વેંઢરતો એ રોજ મને બે વાર સ્મરે છે.’ 

(૨) અહમ્ 

એક શિલ્પી હતો. તે પથ્થરમાંથી બેનમુન મુર્તિઓ કંડારતો. તે એટલી સુંદર મુર્તિઓ કંડારતો કે જોનારને એમ લાગે કે આ હમણા જ બોલી ઊઠશે. એક વખત એક પ્રખર જયોતિષી શિલ્પીને મળવા આવ્યો. તેણે શિલ્પીને કહ્યુ કે પંદર દિવસ પછી તારું મૃત્યુ થવાનું છે.” શિલ્પી મોતથી બચવાનો ઊપાય વિચારવા લાગ્યો. તે મનમાં બોલ્યો, “હું મારી કલાનો ઊપયોગ કરીને યમદુતોને છેતરીશ. શિલ્પીએ રાત દિવસ મહેનત કરીને પોતાના જેવા જ છ પૂતળા કંડાર્યા. પૂતળા એવા આબેહુબ બન્યા કે કોઇ જાણી ન શકે કે આમાં શિલ્પી કોણ હશે પંદર દિવસ પુરા થયા શિલ્પીનો મૃત્યુદિન આવી પહાચ્યો. શિલ્પી એક ઓરડામાં છ પૂતળા સુવડાવી દિધા તે પોતે પણ પૂતળાની વચ્ચે સૂઇ ગયો. યમદૂતો શિલ્પીને લેવા આવ્યા. તેમણે ઓરડામાં સાત શિલ્પી જોયા. તેઓ મુંજવણમાં મુકાઇ ગયા. હવે શું કરવું? એક યમદૂત ચાલક હતો તેણે કહ્યું શિલ્પી હોશીયાર છે તેણે એક જ ભૂલ કરી છે. શિલ્પી ઊભો થઇ બોલ્યો, મારા હાથે ભૂલ ન થાય ભૂલ બતાવો યમદૂત કહે આજ ભૂલ કે, તું ઊભો થઇ ગયો.

યમદૂતો શિલ્પીને લઇને ચાલતા થયા.
બોધ- માણસનો અહમ‌ તેનો વિનાશ સર્જે છે….
 સૌજન્ય : અજ્ઞાત sankalit

Thursday, May 25, 2017

બોધ કથા-૧૨...સોનું અને લોખંડ...

૨૫/૦૫/૨૦૧૭.....બોધ કથા-૧૨....

               સંકલિત......                                                                       ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....

                  બોધ કથા....સોનું અને લોખંડ...


 
એક સોની અને એક લુહાર ની દુકાન બાજુ બાજુ માંજ  હતી.એક વાર એક સોનાનો નાનો કણ અને લોખંડ નો એક ટુકડો  દુકાન ની બહાર ફેકાઈ ગયાં .........
રાત્રિ ની નીરવ શાંતિ માં સોના ના કણે લોખડ ના ટુકડાને કહ્યું કે ભાઈ લોખડ ,હું પણ તારી જેમજ પ્રહાર સહન કરું છું. મારું હદય પણ વેદના થી ભરપુર છે ,હું આ વેદના મૂંગા મોઢે સહન કરું છું .
મારી અને તારી વેદના સરખીજ છે તેમ છતાં  તું તો પ્રહારે પ્રહારે તારી વેદનાને વ્યક્ત કરી ગાઈ બતાવે છે.
ત્યારે લોખંડ ના ટુકડા એ કહ્યું ભાઈ સોના, તારી વાત તો સાચીજ છે કે આપણે બન્ને પ્રહરો સહન કરીએ છીએ .આપણા નસીબ માં પ્રહારો  જ  લખાયેલ છે. પરંતુ .......તારી અને મારી વેદના સરખી નથી દોસ્ત .......તું તો અન્ય ના પ્રહારો સહન કરે છે ,જ્યારે મારે તો પોતીકાં ના પ્રહારો સહન કરવા પડે છે.
 ...અને ભાઈ જયારે પોતીકા પ્રહાર કરે ત્યારે વેદના અસહ્ય હોય છે .....                                     અને તેથી જ મારા હદય માંથી ચીસ નીકળી જાય છે.  
  

(સૌજ્ન્ય ...ઈ-ટીવી )  

Wednesday, May 24, 2017

બોધ કથા-૧૧...જે પોતે માગે તેની પાસે માંગવું શું ?


૨૪/૦૫/૨૦૧૭...બોધ કથા-૧૧

                     સંકલિત......                                                    ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....

          જે પોતે માગે તેની પાસે માંગવું શું ? … (પ્રેરકકથા)




શિકારની શોધમાં નીકળેલો બાદશાહ પોતાની રાજધાનીથી વનમાં ખૂબ દૂર નીકળી જાય છે. તે એક પછી એક ખેતર વીંધતો જાય છે. પણ કોઈ શિકાર હાથ લાગે નહીં. તે ભૂખ તરસથી વ્યાકુળ બની ગયો અને ચોપાસ નજર દોડાવતો હતો કે કોઈ ઝૂંપડી દેખાય તો ભૂખ-તરસ છિપાવી શકાય. એવામાં દૂર-દૂર એક નાનકડા ખેતરમાં ખેડૂતની ઝૂંપડી જોઈ અને બાદશાહ એ ઝૂંપડીમાં ગયો. ખેડૂતે બાદશાહને રોટલો અને શાક આપ્યાં. બાદશાહ તૃપ્ત થયો અને બોલ્યો, ‘જો ભાઈ, હું અહીંનો બાદશાહ છું; મારી પાસે સત્તા અને સંપત્તિ બન્ને છે. ક્યારેય મારું કોઈ કામ હોય તો સહેજે સંકોચ રાખ્યા વિના આવી જજે. કશી ફિકર કરતો નહીં. તને મદદ કરતાં મને ખરેખર  આનંદ થશે.

બાદશાહની આ વાત સાંભળી ખેડૂતે કહ્યું, ‘મારે વળી આપનું શું કામ પડશે ? રાજ્યને સમયસર લગાન આપું છું અને આનંદથી જીવું છું.

થોડાં વર્ષો પછીએ રાજ્યમાં દુકાળ પડ્યો. ખેડૂતની પત્નીએ ખેડૂતને કહ્યું : રાજાએ સ્વયં તમને મદદ કરવાનું કહ્યું હતું, તો પછી તેમને મળી આવોને. ખેડૂત બાદશાહ પાસે ગયો અને બાદશાહ તેણે પ્રેમથી મળ્યાં. તેની આગતાસ્વાગતા કરવાનો હુકમ આપ્યો  થોડીવારમાં નમાજનો સમય થયો એટલે બાદશાહે ખેડૂત ને થોડીવાર બેસવા કહી નમાજ પઢવા લાગ્યા. ઈબાદત કરતી વખતે બાદશાહે બન્ને હાથ ઊંચા ઊઠાવીને ખુદા પાસે દુવા માંગી. ખેડૂત નિરાંતે આ સઘળું જોતો હતો. તેણે બાદશાહને પૂછ્યું, ‘નમાઝના સમયે આપ હાથ ઊંચા કરીને શું કરતાં હતા ?’ બાદશાહે કહ્યું, ‘ હું ખુદા પાસે દુઆ માગતો હતો કે મારા રાજ્યમાં સુખશાંતિ રહે, ખુદા મને સમૃદ્ધિ અને સ્વાસ્થય બક્ષે.
ખેડૂતે આશ્ચર્યથી પૂછ્યું, ‘આવી દુઆ માગવાથી ખુદા આપે છે ખરા ?’
બાદશાહે વિનમ્રતાથી કહ્યું, ‘આ બધી શાન -શૌકત અને રાજપાટ એ ખુદાની જ દેણ છે.બાદશાહ નો  

આ ઉત્તર સાંભળીને ખેડૂતે બાદશાહને કહ્યું : હવે હું મારા મારા ખેતરમાં પાછો જાઉં છું. આપે પ્રેમથી મારી ખાતર-બરદાસ્ત કરી એ માટે શુક્રિયા.બાદશાહે પૂછ્યું, ‘પણ તમે શા માટે મને મળવા આવ્યા, એનું કોઈ કારણ તો કહ્યું નહીં.ખેડૂત બોલ્યો, ‘બાદશાહ સલામત, હું આપની પાસે મદદ માગવા આવ્યો હતો
પણ જ્યારે મેં જોયું કે આપ ખુદ ખુદા પાસે માગી રહ્યા છો ત્યારે વિચાર્યું કે તેની પાસે જ કેમ ના માંગુ, જેની પાસે આપ માગી રહ્યા છો. જે પોતે માગતો હોય તેની પાસે માંગવું શું ? આમ કહીને ખેડૂત પોતાના ગામમાં પાછો ફર્યો.


સંકલિત

Tuesday, May 23, 2017

.બોધ કથા ૧૦....A Small Story....


                      ૨૩/૦૫/૨૦૧૭...બોધ કથા ૧૦....A  Small Story....
                 

 સંકલિત......                                                   ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....


                  Love is Complete Trust and Faithfulness


A boy and a girl were playing together. The boy had a collection of marbles. The girl had some sweets with her. The boy told the girl that he will give her all his marbles in exchange for her sweets. The girl agreed. 

The boy kept the biggest and the most beautiful marble aside and gave the rest to the girl. The girl gave him all her sweets as she had promised. 

That night, the girl slept peacefully. But the boy couldn't sleep as he kept wondering if the girl had hidden some sweets from him the way he had hidden his best marble.

Moral of the story: If you don't give your hundred percent in a relationship, you'll always keep doubting if the other person has given his/her hundred percent... This is applicable for any relationship like love, employer-employee relationship etc., Give your hundred percent to everything you do and sleep peacefully.


Have a nice day!
Hope for the Best & Best will come to You!