Sunday, December 24, 2017

(116)..બાદશાહ અકબરના પાંચ સવાલ

24/12/2017..(116).....બાદશાહ અકબરના પાંચ સવાલ
બાદશાહ અકબર જેટલા સારા શાસક હતા એટલા જ સારા વ્યક્તિ પણ હતા. એમનો વિનોદપ્રિય સ્વભાવ સૌને પસંદ હતો.
એક દિવસ બાદશાહ અકબર દરબારમાં બેઠા હતા. બધા દરબારીઓ ત્યાં ઉપસ્થિત હતા પરંતુ તેમના પ્રિય રત્ન બીરબલ હજી સુધી દરબારમાં આવ્યા ન હતા. અત્યંત મહત્વપૂર્ણ એવી દરબારી કાર્યો પર ચર્ચા ચાલી રહી હતી કે અચાનક અકબરને ન જાણે શું થયું, તેમણે દરબારીઓને પાંચ પ્રશ્નો કર્યા - "કયું ફૂલ સૌથી સારું છે?, કયું પાનું સૌથી ઉપયોગી છે?, કોનું દૂધ સૌથી ઉત્તમ છે?, મીઠી વસ્તુઓમાં સૌથી સારું શું છે? તથા સૌથી શ્રેષ્ઠ રાજા કોણ છે?"
અકબરના આ સવાલોના જવાબોમાં બધા દરબારીઓનો મત અલગ-અલગ હતો, પરંતુ પાંચમાં સવાલના જવાબમાં બધા દરબારીઓએ બાદશાહ અકબરને જ સૌથી શ્રેષ્ઠ રાજા બતાવ્યાં. તેમ છતાંય અકબર આ જવાબોથી સંતુષ્ટ નહીં થયા. એમને વિશ્વાસ હતો કે આ બધા પ્રશ્નોના સાચા ઉત્તરતો ફક્ત એક બીરબલ જ આપી શકે.
થોડી જ વારમાં બીરબલ દરબારમાં ઉપસ્થિત થયા અને બાદશાહને સલામ કરીને પોતાના સ્થાન ઉપર બેસી ગયા. બાદશાહ અકબરે ઉપરોક્ત પ્રશ્નો ફરી કર્યા.
"બાદશાહ સલામત, આ તો ખૂબજ આસાન સવાલો છે." - બીરબલે કહ્યું. "સૌથી સારું ફૂલ કપાસનું છે કારણ કે તેનાથી આપણને તન ઢાંકવા માટે કપડા મળે છે. સૌથી ઉપયોગી પાનું લાલનું છે કારણ કે એનાથી દુશ્મનોને દોસ્ત બનાવી શકાય છે. માઁનું દૂધ સૌથી ઉત્તમ છે કારણ કે એનાથી શિશુને પોષણ મળે છે. મીઠાશમાં સૌથી સારી વાણી છે કારણ કે મીઠુ બોલવાથી જ આ દુનિયામાં ઇજ્જત થાય છે અને રાજાઓમાં સૌથી શ્રેષ્ઠ રાજા ઇન્દ્ર છે જેમના આદેશથી આ દુનિયા ચાલી રહી છે."
બાદશાહ અકબરને એમના સવાલોના જવાબ મળી ગયા હતા. તેઓ બીરબલની બુદ્ધિમતા પર ખુબજ પ્રસન્ન થયા.

संकलित

Friday, December 22, 2017

(115).. AMOR FATI - Learn To Love Your Fate.......


(115)...22/12/2017...  AMOR FATI - Learn To Love Your Fate.......

Amor fati is a Latin phrase that may be translated as "love of fate" or "love of one's fate". It is used to describe an attitude in which one sees everything that happens, including suffering and loss as, necessary. Whether one likes them or not, it is accepted with Zen like serenity. 
Thomas Edison was at home eating dinner. A man burst into his home, interrupting him. He had bad news. His research facility was on fire. 
Now how would you imagine Edison to react? Do you imagine Edison panicking or do you hear him screaming out “Why me?” or is he deeply distraught or do you see him in deep agony?
None of these happened. Edison requested his son to go and get his mother. It seems, Edison excitedly told his son, “She’ll never see a fire like this again.”
Naturally, Edison’s son thought his father had lost his mind, and rightfully so. All of Edison’s experiments, things that could never be replicated, were inside his laboratory, burning to the ground.
“Don’t worry. It’s all right,” Edison said calmly, “All my mistakes and a lot of unnecessary rubbish have just got burnt.” 
In this, Edison revealed the true nature of Amor Fati – choosing to love your fate, no matter what. 
Not only was he “NOT broken-hearted”, he was revitalised. Despite losing over $1 million at the age of 67 in that fire, he persevered and made over $10 million thereafter. WOW! 
I am in love with the concept of Amor Fati. Why? Because, the power that we have in life by accepting our fate is so immense that you feel nothing is impossible for you. You believe that everything has a purpose, and that it is up to you to make this purpose something positive and active. 
Maybe you lost your job.
Maybe someone cheated you of your entire life’s earnings.
Maybe, your trust was broken with impunity.
Maybe, the person you love the most, is facing a life threatening disease.
Maybe, someone ill treated you.
The challenge of your life may be considerable and inescapable.
And yet you’re given the choice to greet it with a smile. And then, act..That’s AMOR FATI. 
 The goal of this article is not to make you feel “okay” or even “good” when terrible things happen. It’s to make you feel GREAT irrespective of what happens. If it happened, then it was meant to happen. You are meant to make the best of it.
It is unnatural, I know, to feel calmness when faced with calamities. But see it this way. It is fuel for you to push harder when you felt lost. It is fuel for you to work harder when you want to quit. It is fuel for you to think big when nothing was going right. It is fuel for you to smile when all you want to do is frown.

Amor Fati, my dear friend
(sankalit)

Friday, October 6, 2017

(114)..અને પંખી શિક્ષીત થયું...

06/10/2017..(114)..અને પંખી શિક્ષીત થયું...



 સંકલિત......                                ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ  
અને પંખી શિક્ષીત થયું...
એક પંખી, સાવ ગમાર. આખો દિવસ ઉડાઉડ,
નવા નવા ફળની શોધ,
ઉંચે ગગનમાં ઉડવું ને ભૂખ લાગે તો ખાવું..
આવો એનો ધંધો!
--રાજ્યના રાજાને લાગ્યું,
અરે! આ તો કઈ પંખી છે? આવું પંખી કંઈ કામનું નહીં, આ તો ખાલી વનનાં ફળ ખાઈને રાજ્યને નુકસાન કરે છે.
એને તો મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યો હલ,
આ પંખીનું શું કરીએ?”
એક મંત્રી કહે, “મહારાજ ! એને શિક્ષણ આપો તો કઈ કામનું થશે.
રાજાએ પોતાના વિશ્વાસુભાણેજને પંખીને શિક્ષણ આપવાનું કામ સોપ્યું.
પંડિતોએ એક જગ્યાએ બેસીને ઊંડો (!) વિચાર કર્યો અને
શિક્ષણનીતિ ઘડી કાઢી.
શોધ્યું એના અજ્ઞાનનું મૂળ, “અરે! પંખી મામૂલી ઘાસ તણખલાંનો માળો બાંધે, એવા માળામાં તે વિદ્યા કેટલીક રહે ? એટલે સૌથી પહેલી જરૂર તેને એક પાંજરું બનાવી આપવાની છે.
અને હલ શોધનારને મોટું ઇનામ પણ અપાયું કે તેને શિક્ષણની નવી જ દિશા ખોલી આપી  !
સોનીને હુકમ થયો કે પાંજરું બનાવો.
એને ય વળી એવું તો પાંજરું બનાવ્યું કે દૂર દૂરથી લોકો પાંજરું જોવા આવ્યા!
સોનીના વખાણનો તો કોઈ પાર નહિ.
કોઈક કહેતું કે, ““શિક્ષણ તો જોરદાર ચાલે છે!તો કોઈ કહે, “શિક્ષણ મળે કે ન મળે પણ પાંજરું તો મળ્યું ને ! પંખીનું નસીબ જોરમાં છે !પાંજરાના બહુ વખાણ થયા તો સોનીને પણ ઇનામો મળ્યા !
એક મહાપંડિતને તેને શિક્ષણ આપવા બોલાવાયા. આવતાવેત તેમને કહ્યું કે
આ એક-બે ચોપડીથી કઈ ના આવડે,
વધુ દળદાર પુસ્તકો જોઈએ
રાતોરાત બધા મંડી પડ્યા નવા પુસ્તકો બનાવવા.
થોડાક સમયમાં તો પંખી કરતા સો ઘણl પુસ્તકોનો ઢગલો થઇ ગયો!
લોકો તો આ જોઈને આભા જ થઇ ગયા.
વાહ! વાહ! શું શિક્ષણ છે !
ધમધોકાર રીતે પંખીનું શિક્ષણ ચાલવા લાગ્યું. તેના પાંજરાની તો જીવથી ય વધુ કાળજી લેવાતી.
તેની સફાઈ, રંગકામ, પોલીસકામ, નવી ડીઝાઈન, નવા સાજ શણગાર, જયારે જુઓ ત્યારે ચાલુ જ હોય!
તેના માટે કેટલાય માણસોને રોકવામાં આવ્યા હતાં, અને એના કરતાંયે વધારે માણસોને એમના પર નજર રાખવા માટે રોકવામાં આવ્યા હતા.
હવે તો સૌ બોલી ઉઠ્યા કે
હાશ! હવે પંખીનો સર્વાંગી વિકાસ થશે.
એક દિવસ એક અદેખા માણસે રાજાને કહ્યું કે
પંખીનું શિક્ષણ બરાબર નથી થતું !
રાજાએ તો બોલવ્યો તેમના ભાણેજને
આ હું શું સાંભળું છું?,  કેટલાક લોકો મને કહે છે કે તમે પાંજરાની વધુ દેખરેખ રાખો છો પંખીની નહિ!
ભાણેજે ઠંડા કલેજે જવાબ આપ્યો
અરે!,
 એ લોકોને પંખીની ઊછળકૂદથી મળતું મનોરંજન બંધ થઇ ગયું છે એટલે વાંધા વચકા કાઢે છે. બાકી પૂછો આ સોની, લુહાર, પંડિતજી, સાફ સફાઈ કરનાર- આ બધા શિક્ષણના જાણકાર છે.
રાજા તરત સંતોષ પામી ગયો પણ પછી તેણે જાતે જ શિક્ષણ જોવા જવાનું નક્કી કર્યું.
રાજા પહોચ્યો ત્યાં તો બધાએ ભેગા મળીને એવી વ્યવસ્થા કરી દીધી કે
વાત ના પૂછો !
કોઈ ગોખાવતું હોય,
તો કોઈ ગવડાવતું હોય,
તો કોઈ શીખવતું હોય નાચ !, તામ જામ,
નવા નવા કવર ચઢાવેલા જુના જુના પુસ્તકોનો ખડકલો !
વળી વધારાની દસ બાર પોથીઓ પણ મૂકી.
રાજા તો પ્રસન્ન થઇ ઇનામ આપી પાછો વળતો હતો ત્યાં જ પેલો અદેખો બોલ્યો
મહારાજ ! પંખીને મળ્યા?”
રાજા પંડિતજીને કહે
અરે હા! એ તો યાદ જ ન આવ્યું. પંખીને જોવાનું તો રહી ગયું. ચાલો તમે કેવી રીતે ભણાવો છો તે જોઈએ.
રાજાએ જોયું તો શિક્ષણની પદ્ધતિ પંખીના કરતાં એટલી મોટી હતી કે પંખી ક્યાંય દેખાતું નહોતું.
પદ્ધતિ જોઈ મનમાં થાય કે પંખીને ન જોઈએ તોય ચાલે.
રાજાને ખાતરી થઈ ગઈ કે યોજનામાં કંઈ ખામી નથી.
હવે, પાંજરામાં નથી દાણા કે નથી પાણી ! માત્ર ઢગલો પોથીઓમાંથી ઢગલો પાનાં ફાડીને કલમની અણીએ એ પંખીના મોંમાં ઠાંસવાનું કામ ચાલી રહ્યું છે.
ગીત તો બંધ જ થઈ ગયું હતું ને હવે તો પંખીનો અવાજ પણ બહાર નથી આવતો !
બિચારૂ પંખી,
જો કદાચ પોતાના સ્વભાવ પ્રમાણે પાંજરામાં પાંખો ફફડાવે તો કહે,
આ ગેરશિસ્ત !” 
કોઈ વાર પાંજરાને ચાંચ મારીને મુક્ત થવા ઈચ્છે તો કહે
આને એના ભવિષ્યની પડી જ નથી !
બસ પંડિતોએ હવે તો એક હાથમાં કલમ અને બીજા હાથમાં સોટી લઈને ચલાવ્યું શિક્ષણ!
અંતે પંખી બિચારું સુકા પુસ્તકોના પાના ખાઈ ખાઈને  તેનું
પંખીપણું મરી ગયું
ને ભાણેજે જાહેર કર્યું કે
પંખી શિક્ષિત થઈ ગયું"
વાર્તા છે, રવીન્દ્રનાથ ટાગોરની..
જરા ધ્યાન રાખજો,
બાળકોને ભણવા માટે સજાગ કરો પણ અડોશ_પાડોશ કે
કુટુંબના છોકરાઓ સાથે સરખાવી
તેને નીચે પાડવાની
એક માં_બાપ તરીકે હરકત ના કરતા...
કુદરતે  દરેકન  નસીબ અને આવડત
અલગ અલગ વેહીચી છે...
 સંકલિત......                               

Thursday, October 5, 2017

(113)..upgrade થાતાં રહો

05/10/2017..(113)..upgrade થાતાં રહો

આજ થી ૧૫ - ૧૭ વર્ષ પેહલા લગભગ એવી કોઈ જ જગ્યા નોહતી જ્યાં PCO ના હોય..પછી ધીમે ધીમે બધા ના ઘર માં લેન્ડલાઈન ની સુવિધા થાવ માંડી...ધીમે ધીમે PCO ઓછા થવા લાગ્યા...અને પછી વિશ્વ્ માં જન્મ લીધો મોબાઇલે...લગભગ PCO બંધ...
 હવે PCO વાળા એ મોબાઈલ ના રિચાર્જ અને બિલ ભરવાના કરી દીધા..અને હવે તો રિચાર્જ અને બિલ પણ ઓનલાઇન ભારત થઇ ગયા છે...તમે ક્યારેય એ તરફ ધ્યાન વાળ્યું..?                
  આજે બજાર માં દરેક ચોથી-પાંચ મી દુકાન મોબાઈલ ની છે. સેલ, સર્વિસ, રિચાર્જ, એસેસરીઝ , રીપેર તથા મોબાઈલ ને લગતી કોઈ પણ હલી કરવી હોય...
આજે લગભગ બધું "Paytm" થી થઇ ગયુ છે...હવે તો લોકો રેલવે ની ટિકિટ પણ મોબાઈલ થી કરાવવા લાગ્યા છે...હવે રૂપિયા -પૈસા નું લેણદેણ પણ બદલાઈ રહ્યું છે....રોકડ રૂપિયા ની જગ્યા પેહલા પ્લાસ્ટિક  મની એ લીધી...અને હવે તો ડિજિટલ લેવડદેવડ થઇ ગયું છે...
દુનિયા ખુબ ઝડપ થી બદલાઈ રહી છે...આંખ , કાન , નાક , મગજ ખુલ્લું રાખો નહીંતર તમે પાછળ રહી જાશો...૧૯૯૮ માં "કોડાક" કંપની માં ૧,૭૦,૦૦૦ કર્મચારીઓ કામ કરતા હતા અને તેઓ દુનિયા ના ૮૫% ફોટો પેપર વેંચતા હતા... થોડા જ વર્ષો માં "ડિજિટલ ફોટોગ્રાફી" એ તેમને બજાર માંથી બહાર ફેંકી દીધા.. "કોડાક" દેવાળિયું થઇ ગયું... તેમના બધા જ કર્મચારીઓ રસ્તા પાર આવી ગયા.. મુદ્દા ની વાત એ છે કે.. તમને અંદાજો પણ છે કે આવતા ૧૦ વર્ષો માં વિશ્વ સંપૂર્ણ પરિવર્તન પામશે...આજે ચાલનારા ૭૦ થી ૮૦% ઉદ્યોગો બંધ થઇ જશે...
    "ચોથી ઔદ્યોગિક ક્રાંતિમા તમારું સ્વાગત છે...   " "ઉબેર" ફક્ત એક સોફ્ટવેર છે. તેમની પોતાની એકપણ કાર નથી તેમછત્તા તે દુનિયાની સૌથી મોટી ટેક્ષી કંપની છે.
 Airbnb દુનિયાની સૌથી મોટી હોટેલ કંપની છે , જયારે તેમની ખુદની પાસે તો પોતાની એકપણ હોટેલ નથી..અમેરિકા માં યુવા વકીલો માટે હવે કોઈ જ કામ નથી બચ્યું...કારણકે IBM Watson નામનું એક સોફટવેર પાપંણના ઝબકારામાં વધારે સારી Legal Advise  આપીદે છે...આવતા ૫ થી ૭ વર્ષ માં ૯૦% વકીલોને ઘરે બેસવાનો વારો આવશે...અને જે બાકી બચ્યા હશે તે ઉત્તમ પ્રકારના જે-તે બાબત ના નિષ્ણાંત હશે...Watson  નામક આ સોફ્ટવેરે કેન્સર નું ડાયગ્નોસિસ મનુષ્યની ચોક્કસાઈ કરતા ૪ ઘણી વધુ ચોક્કસાઈએ કરે છે...અંદાજે અંદાજે ૨૦૩૦ થી તે ૨૦૩૫ સુધી માં કમ્પ્યુટર મનુષ્ય કરતા વધારે હોશિયાર થઇ ગયું હશે...૨૦૧૮ પૂરું થાય તે પેહલા પેહલા ડ્રાઈવર વગર ની કાર રસ્તા પર સેવા આપવા માટે આવિષ્કાર પામી ચુકી હશે...૨૦૨૦ સુધી માં આ એક જ આવિષ્કાર દુનિયા પલ્ટીનાંખવાની શરૂઆત કરાવી દેશે....આવતા ૧૫-૧૭ વર્ષોમાં લગભગ કાર ગાયબ થતી અનુભવશો.... જે વધશે તે કાંતો Electric કાર  હશે અથવાતો હાયબ્રીડ.......રસ્તાઓ ખાલી જોવા મળશે...પેટ્રોલ ની નહિવત જરૂર પડશે....આરબ દેશો મુશ્કેલી માં મુકાવા લાગશે, આર્થિક તાણ અનુભવવા લાગશે...

તમે પોતે Uber જેવા એક સોફ્ટવેરે થી કાર મંગાવશો અને પલભર માં એક ડ્રાઈવર વગર ની કાર તમારી આસપાસસ આવી જશે....અને એ સવારી જો તમે કોઈ અન્ય સાથે વહેચણીમાં લેશો તો તમને સવારી તમારા બાઇક કરતા પણ સસ્તી પડશે.. Driverless કાર હોવાના કારણે અકસિડેન્ટ્સ થવાના લગભગ બંધ જ થઇ જશે....એટલે insurance અને વીમા કંપની પણ ઘર ભેગી..ડ્રાઈવર નામ નો રોજગાર લુપ્ત થઇ  જશે...જયારે શહેરો અને રસ્તો પર થી ૯૦% ગાડીઓ ગાયબ થઇ જશે તો ટ્રાફિક અને પાર્કિંગ નામની કંટાળાજનક સમસ્યા નો અંત આપોઆપ આવી જશે....એટલે સમય અનુસાર તમારી માનસિકતાના update version ચકાસતા રહો અને upgrade થાતાં રહો....

Wednesday, October 4, 2017

.(૧૧૨)..અદભૂત શિક્ષિકા, અદભૂત લિસ્ટ !!

૦૪/૧૦/૨૦૧૭...(૧૧૨)..અદભૂત શિક્ષિકાઅદભૂત લિસ્ટ !!
Written by જયશ્રી on. Posted in ટૂંકીવાર્તા
           અદભૂત શિક્ષિકા, અદભૂત લિસ્ટ !!
 
એક દિવસ એક શિક્ષિકા બહેને નાવમાં ધોરણના વિદ્યાર્થીઓને બે મોટા કાગળમાં પોતાના ક્લાસના વિદ્યાર્થીઓના નામ લખવા કહ્યું. દરેક નામની સામે તેમ જ નીચે બે લીટી ખાલી રાખવાનું કહ્યું. વિદ્યાર્થીઓને નવાઈ લાગી. થોડીક ઇન્તેજારી પણ થઇ કે બહેન શું કરવા માંગે છે ?
શિક્ષિકા બહેને ત્યારબાદ દરેક વિદ્યાર્થીના નામની સામે જે તે વિદ્યાર્થીના  સૌથી સારા ગુણો વિષે બધાને યાદ આવે તેટલું લખવાનું કહ્યું. દરેકે દરેક વિદ્યાર્થીના સદગુણને યાદ કરીને લખવામાં બધા વિદ્યાર્થીઓને ખાસ્સી વાર લાગી. આવા નવતર પ્રયોગનો આનંદ પણ આવ્યો. ક્લાસનો બાકીનો સમય પણ આજ કામમાં પૂરો થયો. શાળા છૂટ્યા બાદ દરેકે પોતાનું લખાણ શિક્ષિકા બહેનને સુપરત કરીને  વિદાય લીધી.
અઠવાડિયાના અંતે શિક્ષિકાબહેને દરેક વિદ્યાર્થીના નામવાળો એક એક કાગળ તૈયાર કર્યો. પછી તેના પર દરેક  વિદ્યાર્થીએ તેના વિષે શું સરસ લખ્યું છે તેની યાદી તૈયાર કરી. સોમવારે ફરીથી ક્લાસ મળ્યો ત્યારે તેમણે દરેકને પોતાના નામવાળું લિસ્ટ આપ્યું. દરેક વિદ્યાર્થી આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયો. દરેકના મોઢેથી આનંદના ઉદગારો સરી પડ્યા.
અરે ! ભગવાન ! બધા મારા વિષે આટલું સરસ વિચારે છે ?……
દરેકના હૃદયમાં મારા માટે આટલું બધું સન્માન હશે ? આવું તો મેં ક્યારેય સપને પણ વિચારેલું નહીં !…..
બધા મને આટલું ચાહતા હશે તેની કલ્પના પણ મેં ક્યારેય નહોતી કરી…….!!
આંખમાં આંસુ સાથે દરેક વિદ્યાર્થી આવા ઉદગારો વ્યક્ત કરતો ગયો. પોતાનું મહત્વ બીજાને મન આટલું બધું હશે એ કોઈના માનવામાં જ નહોતું આવતું ! એ દિવસ પૂરો થયો. ત્યારબાદ બધા જ વિદ્યાર્થીઓ એકબીજા સાથે હળીમળીને જ રહ્યા. કોણે કોના વિષે શું લખ્યું હતું તે કોઈ જાણતું ન હતું. એટલે બાકીના વર્ષો દરેક જણે બીજાની  લાગણી ન દુભાય તેનો બરાબર ખ્યાલ રાખ્યો. મહીનાઓ વીતી ગયા. આ વાત પણ ભુલાઈ ગઈ.
ઘણા વર્ષો પછી એ જ શહેરનો એક વિદ્યાર્થી વિયેટનામની લડાઈમાં માર્યો ગયો. એનું નામ માર્ક. એનું શબ ગામમાં લાવવામાં આવ્યું. દેશને ખાતર ખપી જનાર જવાંમર્દને શ્રદ્ધાંજલિ આપવા લોકો ઉમટી પડ્યા. પેલાં શિક્ષિકા બહેન પણ તેમાં સામેલ હતા. જયારે તેમણે અશ્રુભરી આંખે મારા વ્હાલા વિદ્યાર્થી ! એમ કહીને કોફીન ઉપર ફૂલો વેર્યા ત્યારે બાજુમાં ઉભેલ એક અન્ય સૈનિક નજીક આવ્યો.
ધીમેથી તેમણે કહ્યું શું તમે જ માર્કના નવમાં ધોરણના ક્લાસટીચર છો મેડમ ?
હા, કેમ ? – શિક્ષિકા બહેન ને આશ્ચર્ય થયું.
ના, કંઈ નહીં. માર્ક તમારા વિષે હંમેશા ખૂબ જ કહેતો રહેતો. તમને એ હંમેશા અતિ આદરથી યાદ કરતો.
ત્યારપછી ત્યાં હાજર રહેલા સમુદાયમાં થોડીક ગુસપુસ શરુ થઇ ગઈ.
અંતિમ ક્રિયા પતી ગયા પછી પ્રાર્થના માટે બધા એકઠા થયા. ત્યારે એક સજ્જન પેલાં શિક્ષિકા બહેનની પાસે આવ્યા અને અત્યંત માનપૂર્વક બોલ્યા નમસ્તે ! તમે જ માર્કના નવમાં ધોરણના કલાસ ટીચર છોને ?
જુઓ, માર્ક મરાયો ત્યારે એના ખિસ્સામાંથી અ કાગળ મળેલો. એના પર માર્કે  પોતાના હાથે લખેલું છે કે નવમાં ધોરણના અતિઆદરણીય કલાસ ટીચર તરફથી મળેલી સર્વોત્તમ ભેટ.
સેલોટેપ વડે ઠેકઠેકાણેથી ચોંટાડેલો એ કાગળ કેટલી બધી વખત ખોલેલો અને ફરીથી ગડી વળાયેલો હશે એ એની સ્થિતિ પરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું. કાગળ જોઇને શિક્ષિકા બહેન ગળગળા થઇ ગયા. એ પેલો જ કાગળ હતો જે એક દિવસ એમણે ક્લાસના દરેક વિદ્યાર્થીને એમના અંગે બીજા વિદ્યાર્થીઓ શું સરસ વિચારે છે તે નોંધીને આપેલો.
બહેન !….. માર્કની જ બેરેકમાં સાથે રહેલો અન્ય એક સૈનિક બોલ્યો. માર્ક હંમેશા કહેતો કે આ કાગળ એના જીવનની સૌથી અમૂલ્ય ભેટ હતી.
એ જ સમયે એક અન્ય યુવતી ત્યાં આવી. બોલી. હા બહેન ! મારા પતિએ પણ એમનો આવો જ કાગળ મઢાવીને ફ્રેમ કરાવીને ઘરમાં રાખ્યો છે !
અરે મારા પતિએ તો અમારા લગ્નના આલબમમાં સૌથી પ્રથમ પાને આવો જ કાગળ લગાવ્યો છે !
અને હું તો હંમેશા માર્કની જેમ જ આ કાગળ મારા ગજવામાં જ રાખું છું. મારી જિંદગીની પણ એ એક કિંમતી  ભેટ છે !
અન્ય એક યુવકે પોતાના ખિસ્સામાંથી એવો જ એક કાગળ કાઢીને બધાને બતાવ્યો.
વાતાવરણમાં અહોભાવથી ભરેલી શાંતિ છવાઈ ગઈ. આંખમાં આંસુ અને આદરથી ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિ પેલાં શિક્ષિકા બહેનને જોઈ રહી. હવે રડવાનો વારો શિક્ષિકા બહેનનો હતો. દરેક વિદ્યાર્થીના માથે હાથ મૂકીને એ ખૂબ જ રડ્યા.
-અનુ. ડો. આઈ. કે. વીજળીવાળા
 એક નાનકડો પ્રસંગ જીવનને કેવો વળાંક આપી શકે ? બીજા લોકોએ આપણા માટે કહેલા થોડાક સરસ શબ્દો આપણી જિંદગીને સુંદર ઘાટ આપી દેતા હોય છે. આપણે હંમેશા બીજા અંગે વાત કરતા કે બોલતા આટલો જ ખ્યાલ રાખીએ તો ખાતરીથી એ લોકો એ શબ્દોને મઢાવીને જ રાખવાના……!
આપણે આપણા મિત્રો, સ્નેહીઓ તેમ જ સગાવહાલાઓને કહીએ કે આપણે એમને કેટલા ચાહિયે છીએ, આપણા માટે એ લોકો ખૂબ જ મહત્વના છે, આપણે એમને ખૂબ જ આદરથી જોઈએ છીએ, એ લોકોના ક્યાં સદગુણો આપણને પ્રેરણા આપે છે અને મુશ્કેલીના સમયમાં માર્ગદર્શન પણ આપે છે…….
ચાલો, ખૂબ મોડું થાય તે પહેલાં દુનિયાને કહી દઈએ કે અમે તને ખૂબ જ ચાહીએ છીએ…….!!!











 સંકલિત......                                ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ