Monday, December 6, 2010

કાનજી તારી મા કે’શે -નરસિંહ મહેતા

                                      
06.12.2010

                                  કાનજી તારી મા કેશે -નરસિંહ મહેતા



                                                      
                                 કાનજી તારી મા કેશે પણ અમે કાનુડો કેશું રે !
એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે.  કાનજી તારી o
માખણ ખાતાં નોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે !
ગોપીઓએ તારું ઘર ઘેરાણું જઈ ખૂણામાં બેઠું રે.  કાનજી તારી o
ઝુલણી પેરતાં નોતું આવડતું અમે તે દિપેરાવતાં રે !
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિછોડાવતાં રે.  કાનજી તારી o
કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે !
કર્મ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે.  કાનજી તારી o
ઘૂંટણીયાભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે !
ભલે મળ્યા મેતા નરસૈંના સ્વામી પ્રેમભક્તિમાં રેલું રે.  કાનજી તારી o
નટખટ કનૈયાનાં નખરાંઓ વિશે તો આપણે જાણીએ જ છીએપરંતુ અહીં ગીતમાં એ નટખટ-નખરાળાની સામે જ ગોપ-ગોપીઓએ કરેલાં નખરાં ખૂબ જ મજાનાં લાગે છે.  કૃષ્ણનું કાલુંઘેલું બોલવું જ તો એમને ઘેલું ઘેલું કરે છે પણ તોય અમને કંઈ પડી નથી ના નખરાં કરે છે.  વ્યક્તિનાં નામની પાછળ જીલગાડતા જ એ વ્યક્તિ સાથેનાં સંબંધમાં એક આમન્યા અને મર્યાદા આવી જાય છે, જે અહીં ગોપ-ગોપીઓને બિલકુલ મંજૂર નથી.  એમણે તો કૃષ્ણને કાનુડોજ કહેવું છે, પછી ભલે ને એ નંદરાજાનો કુંવર કેમ ન હોય ! કારણ કે કાનુડો’ શબ્દ સખત્વથી ભરપૂર છે અને આમન્યા એમને કૃષ્ણનાં સખત્વથી દૂર રાખે છે.  આવી મર્યાદા રાખીને એમણે કૃષ્ણથી એટલા પણ દૂર નથી રહેવું.  એમણે તો કૃષ્ણને પોતાનાં જેવા જ બનાવીને હારોહાર રાખવાં છે, અડોઅડ રાખવા છે.  આપણે ય આવી જ રીતે ઘણીવાર આપણા પ્રિય મિત્રોને એમનું નામ બગાડીનેજ બોલાવતા હોઈએ છીએ નેઅને સાચું કહેજોએવા બગાડેલાં નામથી બોલાવવાની મજા પણ સાવ અનેરી હોય છે કે નઈં…?! (તમે જો કદી એમ કર્યું ના હોય મિત્રોતો હવે પછી જરૂર કરી જો જો અને જો એમ કરવાથી તમને અનેરો આનંદ ન મળે, તો મને કહેજો





1 comment:

Paru Krishnakant said...

મુરબ્બીશ્રી નીરુપમભાઈ,
આપનો વાત્સલ્ય બ્લોગ સુંદર છે ... આજે પહેલીવાર મુલાકાત લેવાનું બન્યું ... આપે 11 september ના રોજ મારા બ્લોગ "પિયુની નો પમરાટ" ની મુલાકાત લીધી હતી અને comment પણ આપી હતી આપનો ખુબ ખુબ આભાર ... હવેથી નિયમિત મળતા રહીશું ... આપ પણ "પિયુની નો પમરાટ" માણવા આવતા રહેશો .
પારૂ કૃષ્ણકાંત "પિયુની"
http://piyuninopamrat.wordpress.com/