Saturday, September 24, 2011

ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ : સૌમ્ય જોશી


૨૪.૦૯.૨૦૧૧
      આજે એક ખુબજ સુંદર કાવ્ય  શ્રી સૌમ્ય જોશીનું ...... ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ.........
ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ : સૌમ્ય જોશી



.                                                                                                                              













આ સ્યોરી કહેવા આયો સું ને ઘાબાજરિયું લાયોસું.
હજુ દુ:ખતું હોય તો લગાડ કોનમાં ને વાત હોંભળ મારી.
કે તીજા ધોરણમાં તારો પાઠ આવેસે.
હવે ભા ના પાડતાતા તોય સોડીને ભણાવવા મેલી મેં માંડમાંડ
તો ઈને તો ઈસ્કૂલ જઈને પથારી ફેરવી કાલે,
ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ઘોંચ્યા.
હવે ભાની પર્શનાલીટી તને ખબર નહિં,
ઓંખ લાલ થાય એટલે સીધ્ધો ફેંસલો.
મને કે ઈસ્કૂલથી ઉઠાડી મેલ સોડીને,
આ તારા પાઠે તો પથારી ફેરવી નાંખી.
હવે પેલાએ ખીલા ઘોંચ્યા એ ખોટું કર્યું, એ હું યે માનું સું,
પણ એને થોડી ખબર કે તું ભગવાન થવાનો સું !
ને તીજા ધોરણમાં તારો પાઠ આવવાનો.
એનું તો ડોબું ખોવાઈ ગયું તે ગભરાઈ ગ્યો બિચારો.
બાપડાન ભા, મારા ભા જેવા હશે,
આ મારથી ચંદી ખોવાઈ ગઈતીને તે ભાએ ભીંત જોડે ભોડું ભટકાઈને
બારી કરી આલીતી ઘરમાં
તો પેલાનું તો આખું ડોબું જ્યું તારે લીધે,
દિમાગ તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલા.
વાંક એનો સી,
હાડી હત્તરવાર ખરો,
પણ થોડો વાંક તારોય ખરો ક નહિં,
હવે બચારો બે મિનિટ માટે ચ્યોંક જ્યો,
તો આંસ્યુ ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત
તો શું તું ભગવાન ના થાત?
તારું તપ તૂટી જાત?
હવે એનું ડોબું ઈનું તપ જ હતું ને ભઈ.
ચલો એ ય જવા દો,
તપ પતાઈને માત્મા થઈને બધાને ઉપદેશ આલવા માંડ્યો,
પછી એ તને ઈમ થયું કે પેલાનું ડોબું પાસું અલાવું?
તું ભગવાન, મારે તને બહુ સવાલ નહિં પૂછવા,
મું ખાલી એટલું કહુંસું.
કે વાંક બેયનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીને પેલો પાઠ કઢાયને ચોપડીમોંથી,
હખેથી ભણવા દે ન મારી સોડીને,
આ હજાર દેરા (જૈનદેરાસર) સી (છે) તારા આરસના,
એક પાઠ નહિં હોય તો કંઈ ખાટુંમોળું નહિં થાય,
ને તો ય તને ઈમ હોય તો પાઠ ના કઢાય બસ!
ખાલી એક લીટી ઉમારાઈ દે ઈમાં,
કે પેલો ગોવાળિયો આયોતો, સ્યોરી કહી ગ્યો છે,
ને ઘાબાજરિયું દઈ ગ્યો છે !
- સૌમ્ય જોશી
.
ગુજરાત સરકાર અને સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૦૭નો ગુજરાત યુવા ગૌરવ પુરસ્કાર સૌમ્ય જોષીને અર્પણ કરવામાં આવે છે.  
આપ સૌને, ભગવાન મહાવીરની એ વાત તો જરુર યાદ હશે જ કે તેઓ તપ કરતાં હતાં ત્યારે એક ભરવાડ તેમને ડોબું ( ભેંસનું બચ્ચું) સાચવવાનું કહે છે. પ્રભુ તો તપમાં તલ્લીન, ડોબું તો ત્યાંથી જતું રહે છે અને ક્રોધિત ભરવાડ તેમનાં કાનમાં ખીલા ખોસી દે છે. આ જ વાતને આપણે તીજા (ત્રીજા) નહિં તો પાંચમા કે સાતમા ધોરણમાં ભણેલાં પણ હવે જેઠા ભરવાડની સોડી (છોકરી,દીકરી) ને આ પાઠ ભણવામાં આવે છે અને  જેઠો ભરવાડ  રજૂ કરે છે તેની વાત ભગવાન મહાવીરને.  મહાવીરનું તપપેલા ભરવાડનું  ડોબું જ્યમ એનું તપ …  એમ જ સોડીને ભણાવવું  એ જેઠાનું તપ !
.
.
શબ્દાર્થ : ઘાબાજરિયું  બાજરી જેવી એક વનસ્પતિ જેને ઘા પર લગાડવાથી જલ્દી રુઝ આવે છે અને પાકતું નથી. ભા  મોટા કાકા અથવા દાદા. ભોડું માથું.
 આપણે પણ જેઠા ભરવાડ ની જેમ મહેતાજી ને........કાંઇક આમ કહીશું?
. આપણે
.
 .

આ સ્યોરી કહેવા આયો સું ને પ્રાયશ્રીત નું પોટલું  લાયોસું.
હજુ દુ:ખ લાગતું  હોય તો માફી માગવા આયો છું .
મારા છોડા એ ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
તો નરસિહ ને નાત બહાર  કરી ને કડવા વેણ કીધા ,
વાંક અમારો ,
હાડી હત્તરવાર ખરો,
પણ થોડો વાંક તારોય ખરો કે  નહિં, તું તો જમાનાથી  એક શતકો આગળ ,
તે જમાના નાં સમાજ માં તારી વાત નો મેળ ખાય ખરો ?
 

No comments: