Tuesday, October 25, 2011

ધન તેરસ.....


૨૪.૧૦.૨૦૧૧.......  આજે ધન તેરસ..............
શુભેચ્છાઓ............શુભેચ્છાઓ............શુભેચ્છાઓ............



Saturday, October 15, 2011

બોધ કથા


૧૪.૧૦.૨૦૧૧
આજે એક ટચુકડી સુંદર બોધ કથા............
                                        બોધ કથા
       
                                    
 એક સોની અને એક લુહાર ની દુકાન બાજુ બાજુ માંજ  હતી.એક વાર એક સોનાનો નાનો કણ અને લોખંડ નો એક ટુકડો  દુકાન ની બહાર ફેકાઈ ગયાં .........
રાત્રિ ની નીરવ શાંતિ માં સોના ના કણે લોખડ ના ટુકડાને કહ્યું કે ભાઈ લોખડ ,હું પણ તારી જેમજ પ્રહાર સહન કરું છું. મારું હદય પણ વેદના થી ભરપુર છે ,હું આ વેદના મૂંગા મોઢે સહન કરું છું .
મારી અને તારી વેદના સરખીજ છે તેમ છતાં  તું તો પ્રહારે પ્રહારે તારી વેદનાને વ્યક્ત કરી ગાઈ બતાવે છે.
ત્યારે લોખંડ ના ટુકડા એ કહ્યું ભાઈ સોના, તારી વાત તો સાચીજ છે કે આપણે બન્ને પ્રહરો સહન કરીએ છીએ .આપણા નસીબ માં પ્રહારો  જ  લખાયેલ છે. પરંતુ .......તારી અને મારી વેદના સરખી નથી દોસ્ત .......તું તો અન્ય ના પ્રહારો સહન કરે છે ,જ્યારે મારે તો પોતીકાં ના પ્રહારો સહન કરવા પડે છે ...અને ભાઈ જયારે પોતીકા પ્રહાર કરે ત્યારે વેદના અસહ્ય હોય છે .....અને તેથી જ મારા હદય માંથી ચીસ નીકળી જાય છે.   
(સૌજ્ન્ય ...ઈ-ટીવી )  

Monday, October 10, 2011

અલવિદા જગજીતસીંઘ...........


૧૦.૧૦.૨૦૧૧
ગઝલ સમ્રાટ જગજીત સિંઘ નું આજે નિધન થયું........શ્રદ્ધાંજલિ..........
THE TIMES OF INDIA

Ghazal maestro Jagjit Singh dies



Renowned ghazal singer Jagjit Singh passes away

NEW DELHI: Renowned ghazal singer Jagjit Singh, 70, passed away at 8.10 am in Lilavati Hospital on Monday morning.

Jagjit Singh was admitted to the Lilavati Hospital on September 23 after he suffered brain haemorrhage in suburban Bandra where a life-saving surgery was performed on him.

"Jagjit Singh passed away at 8.10 am after having a terrible haemorrhage," Dr Sudhir Nandgaonkar, hospital spokesperson, told PTI. 

He is survived by his wife Chitra Singh.

Jagjit Singh was born in Sri Ganganagar, Rajasthan. He had four sisters and two brothers and he is known as Jeet by his family.

Popularly known as "The Ghazal King", he gained acclaim together with his wife in the 1970s and 1980s, as the first ever successful duo act (husband-wife) in the history of recorded Indian music.

Recipient of Padma Bhushan award, he has sung in several languages including Hindi, Urdu, Punjabi and Nepali.

His popular ghazals include, Meri zindagi kisi aur ki, mere naam ka koi aur hai, Apni marzi se kahan apne safar ke hum hain, Wo jo hum mein tumme qaraar tha, Patta-patta boota-boota haal hamaara jaane hai, Hoshwalo ko khabar, etc.

Jagjjit Singh has also sung for popular movies like Arth, Prem Geet, Sarfarosh and Tarqeeb.

Thursday, October 6, 2011

કા(રણ) મળે…...વિચાર જગત .........જગત અવાશિયા


૦૫ .૧૦.૨૦૧૧
આજે ...બ્લોગ ‘વિચાર જગત’ ની ચી. જગત ની એક રચના. પારકા સમૃધ્ધ પરતું સુક્કા ભટ્ટ પ્રદેશ ને .તરબોળ કરવાની મહેચ્છા .....અને.....છેલ્લી પંક્તિ માં પોતીકા ને યાદ કરી વતન ની યાદ ....વાચકો ને  રસ તરબોળ કરી દે છે..........

                                 કા(રણ) મળે

        આઘે  ઉડતી  દળ   ઠરે,  ને  જો  ઝાંઝવાથી  કળ   વળે ,
તો   આ   રણ   ને    પણ    તરબોળ   થવાનું    કારણ  મળે.
દિવાકરની  આગ  શમે, ને  જો  શુષ્ક ધરાને  હળ  મળે ,
તો   આ   રણ   ને    પણ    તરબોળ   થવાનું    કારણ  મળે.
અઢળકતાની છોળો  ઉડે, ને જો એમાં શ્વેત  સાદગી મળે,
તો   આ   રણ   ને    પણ    તરબોળ   થવાનું    કારણ  મળે
કોઈ પોતીકુ  જણ  મળે, ને જો લાગણીભીની  એકાદ પળ મળે,
તો   આ   રણ   ને    પણ    તરબોળ   થવાનું    કારણ  મળે.
- જગત અવાશિયા

Monday, October 3, 2011

આજે બે મહામાનવ ની જન્મ જયંતી ..


૦૨.૧૦.૨૦૧૧
આજે બે મહામાનવ ની જન્મ જયંતી .......ચાલો તમેને યાદ કરીએ..........
                                                                                                                                   
Today is the Birthday of the father of our Nation. I would like to share some quotes from this great man. He was rightly named the “Man of the Millennium”.
“Hate the sin, love the sinner.”
‘The weak can never forgive. Forgiveness is the attribute of the strong’.
“Strength does not come from physical capacity. It comes from an indomitable will”.
‘You must be the change you want to see in the world’.
“A nation’s culture resides in the hearts and in the soul of its people”.
‘A religion that takes no account of practical affairs and does not help to solve them is no religion’.
“Always aim at complete harmony of thought and word and deed. Always aim at purifying your thoughts and everything will be well.”
‘Happiness is when, what you think, what you say, and what you do are in harmony.’
              બોલે તેને બોલાવજો, જે  આવે તેને ઘેર જજો, જે રીસાય તેને રીઝવજો..
ને  બધું તેમના ભલાને માટે નહીં; પણ તમારા ભલાને સારું કરજો !
જગત લેણદાર છે, આપણે તેના કરજદાર છીએ.
મો. . ગાંધી
    Mahatma Gandhi (1869 1948)

        પ્રસ્તુત લેખ આજ નાં નેતાઓ ને સમર્પિત ..........................

 સંપત્તિનો સંગ્રહ નહીં કરીશ - લાલબહાદુર શાસ્ત્રી

શ્રી લાલબહાદુર શાસ્ત્રી અલાહાબાદના સાર્વજનિક જીવનમાં પ્રમુખ પદ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. તેઓ નગરપાલિકા અને ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટના સદસ્ય હતા. ટ્રસ્ટ તરફથી "ટાગોર ટાઉન" નામક શેરીનું નિર્માણ કરવા માટે કેટલાક પ્લૉટ લિલામ કરવામાં આવી રહ્યાં હતા. અને વળી કિંમત પણ ઓછી રાખી હતી. તેથી લોકો એને ખરીદ માટે ઘણી તત્પરતા દેખાવતા હતા.

એજ દિવસોમાં શાસ્ત્રીજીને કેટલાક દિવસો માટે અલાહાબાદ બહાર જવાનું થયું. જણાવ્યા વગર શાસ્ત્રીજીના એક મિત્રએ, સરકારી અધિકારી સાથે મળી, પોતાના માટે અને શાસ્ત્રીજી માટે એક-એક પ્લૉટ ખરીદવાની અનુમતિ પ્રાપ્ત કરી લીધી. સરકારી નિયમ અનુસાર ટ્રસ્ટના સદસ્ય પ્લૉટ ખરીદવા તથા લિલામીમાં ભાગ લેવા માટે હકદાર નથી હોતા. પરંતુ મિત્રએ પ્લૉટ ખરીદી લીધો તથા તેમના અને શાસ્ત્રીજીના પૈસા પણ જમા કરાવી દીધા.

બહારગામથી પરત આવવા પર શાસ્ત્રીજીને બધી વાત માલૂમ પડી. એમને અત્યંત દુઃખ થયું. એમના મિત્રએ શાસ્ત્રીજીએ અનેક પ્રકારે સમજાવવાની કોશિશ કરી કે કોઈ પણ ગેર-કાનૂની કામ નથી થયું અને કમિશનની અનુમતિ પણ નિયમ અનુસાર જ લેવામાં આવી છે. પરંતુ શાસ્ત્રીજી જેવાં નિર્લોભી અને ઉદાત્ત વિચારો વાળા વ્યક્તિ આ પ્રકારની ગેરરીતિ દ્વારા ભલા કઈ રીતે સંતુષ્ટ થવાના હતાતેમણે એમના મિત્રને સ્પષ્ટ કહી દીધું કે આ કાર્ય સર્વથા અનુચિત છે. એટલું જ નહીં, તેમણે એમના મિત્રને બન્ને પ્લૉટ ટ્રસ્ટને પરત કરવા બાધ્ય કરી દીધા. મિત્રને ઘણી આનાકાની કર્યા બાદ શાસ્ત્રીજીની વાત એણે માનવી પડી.

ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટની બેઠક થઈ. એમાં સદસ્યોએ શાસ્ત્રીજીને ફરી અનુરોધ કર્યો કે તેઓ પ્લૉટ લઈ શકે છે. શાસ્ત્રીજીએ ઘણી દ્રઢતાથી ઉત્તર આપ્યો કે -
"પહેલી વાત તો એ કે આ ટ્રસ્ટના સદસ્ય હોવાને કારણે કોઈ પણ - સીધી કે આડકતરી - રીતે આમ લાભ લેવો હું અનૈતિક માનું છું. બીજી વાત એ કે સાર્વજનિક કાર્યકર્તાની ઉપાધિથી મારે કોઈ પણ પ્રકારની સંપત્તિ નહીં બનાવવી જોઈએ. ત્રીજી વાત એ કે મેં મહાત્મા ગાંધીની સંમુખ આ વચન આપ્યું હતું કે હું કોઈ પણ પ્રકારનું સ્વ અર્થ માટે ઘર કે સંપત્તિ નહીં બનાવીશ અને ઈશ્વર પર દ્રઢ આસ્થા રાખી જીવન વીમો પણ નહીં કરાવીશ. આ દેશમાં અગણિત અનાથ પરિવાર છે. જો મારું પરિવાર પણ મારા મૃત્યુ બાદ એ ગણતરીમાં આવી જાય તો પણ એનાથી મારી આત્માને સંતોષ જ પહોંચશે. હું સાંસારિક સુખ-સુવિધાની અપેક્ષા જીવનની શુદ્ધતા અને પવિત્રતાના પાલનને અધિક શ્રેયસ્કર સમઝું છું.

શાસ્ત્રીજીએ સંપૂર્ણ જીવન આ સિદ્ધાંતોનું પાલન કર્યું. દેશના પ્રધાન મંત્રીના આસન પર બેસીને પણ એમનું જીવન તદ્દન સરળ અને સાદું રહ્યું. એમણે કોઈ ધન કે સંપત્તિ જમા નહિ કરી. વળી પોતાની ઓળખથી એમના સંતાનને અનુચિત રૂપથી કોઈ નોકરી કે વ્યાપાર ધંધામાં સહાય કરવાની પણ કોશિશ ન કરી.       (લાલબહાદુર શાસ્ત્રી ..........૦૨.૧૦.૧૯૦૪-૧૦.૦૧.૧૯૬૬)

સનાતન જાગૃતિ બ્લોગ માંથી સાભાર ...........

Sunday, October 2, 2011

संकीर्ण न मन हो, माथा रहे यह ऊंचा...


01.10.2011
આજ ની પોસ્ટ  http://kotakkeyur.blogspot.com/ માંથી આભાર સહ .............
THURSDAY, SEPTEMBER 29, 2011

संकीर्ण न मन हो, माथा रहे यह ऊंचा...



हे नाथ, निवेदन यही एक है मेरा,
दुख-सुख को सहने का तुम मुझको बल दो,
दो मुझे शक्ति इतनी कि सफल हो सेवा,
मैं किसी अकिंचन को न कभी सताऊं,
बलशाली के आगे न कभी डर जाऊं,
संकीर्ण न मन हो, माथा रहे यह ऊंचा,
मैं तेरे ही चरणो में शीश नवाऊं,
बस रहे सदा ही मुझे भरोसा तेरा.

रवींद्रनाथ ठाकुर
 કેયૂર કોટક   
Original Source: http://kotakkeyur.blogspot.com/



Saturday, October 1, 2011

ગરબડીઓ કોરાવો


૩૦.૦૯.૨૦૧૧
............એક જમાનો હતો કે જયારે નાની બાળાઓ દીપ પ્રગટાવેલો માટી નો ગરબો લઇ શેરીએ શેરીએ ઘુમવા જતી.....આ દ્રશ્ય આજે તો અદૃશ્ય થઇ ગયું છે.તે જમાનામાં ભમવા જતી બાળાઓ જે ગરબાઓ ગાતી  તેમાનો એક ........ આજે પ્રસ્તુત છે.........



ગરબો શબ્દનું મુળ ગર્ભદીપશબ્દમાં રહેલું મનાય છે. જેના ગર્ભમાં દીવડો છે તે ગર્ભદીપ આગળ જતાં ગરબો કહેવાયો તે વાત સાવ અજાણી નથી. ગરબો નોરતાં સાથે સીધો સંકળાયેલો છે. નોરતાંના નવ દીવસ આ ગરબાને વચ્ચે મુકીને બહેનો હવે તો ભાઈઓ પણ – ‘ગરબાગાય છે.
ગરબડીઓ કોરાવો ,ગરબે જાળીડા મેલાવો જો,
હું રે પનોતી ,મારે વહાલા ભાઈ છે વીરા જો,
વહાલા ભાઈનાં લાડકડા વહુ શેરડીયું શણગાર જો ,
શેર મોતી- લાડવાને ખારેકડી ખજુર જો,
ભાઈ બેઠો જમવા ,ભોજાઇ એ ઓઢ્યા ચિર જો,
ચિર ઉપર ચુંદડી,ને ચોખલિયાળી ભાત જો,
ભાતે,ભાતે ઘૂઘરીયું,કાંઈ વહેલ દડુકી  જાય જો,,
વહેલ મા બેઠો વાણીયો ને કાંઈ કાગળ લખતો જાય જો,
કાગળ મા બે પૂતાળિયું,કાંઈ હસતી –રમતી જાય જો,
વાંકાનેરનો વાણીયો કાંઈ શેર હીંગળોક  તોળે જો,
બેનીબા ચાલ્યા સાસરે કાંઈટીલી ચોઢી લલાટ જો,
આછી ટીલડી ઝગમગે ,મારે ટોડલે ટહુકે મોર જો,
માને વધાવ્યાં મોતીડે , ઈઢોણી રમતી મેલજો ,
રમતી હોય તો રમવા દેજો ,ટીપું તેલ પડવા દેજો.