Sunday, August 20, 2017

ગુરુજી ની કલમે..(૧૩)..એક આદર્શજિંદગી

૧૩/૦૮/૨૦૧૭...ગુરુજી ની કલમે..(૧૩)..એક આદર્શ/સંપૂર્ણ જીવન/જિંદગી 




                                           
ગુરુજી ની કલમે.....
                           ધી ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ મા પસિદ્ધ થયેલ પ્રવચનો નો સંગ્રહ
                          ૧૦ મી સપ્ટેમ્બર ૨૦૦૬ સુધી સંકલિત......
             અનુવાદક: નિરુપમ ભાસ્કરલાલ અવાશિયા.
                                                             બી.ઈ.(ઈલેક્ટ્રીકલ)

૧૯ ઓક્ટોબર ૨૦૦૩
અજ્ઞાન ની અવસ્થામા અપૂર્ણતાએ સ્વાભાવિક હોય છે, અને પૂર્ણતાએ પ્રયાસ માંગીલે છે.(માટે પ્રયાસો કરવા પડે છે.)શાણપણ અથવા જ્ઞાનની અવસ્થામા અપૂર્ણતાએ પ્રયાસ છે,પૂર્ણતાએ ફરિજયાત અને અનિવાર્ય છે.!! પૂર્ણતા સંપૂર્ણ જવાબદારી સ્વીકારે છે,અને સંપૂર્ણ જવાબદારીનો મતલબ એજ કે સમગ્ર વિશ્વમા તમે એકલાં જ જવાબદાર છો.જયારે તમે સંપૂર્ણ વૈરાગ્ય(વિરક્ત)મા હોવ,ત્યારે તમે તુચ્છ અને અર્થહીન વસ્તુઓ ની પણ કાળજી લઇ પૂર્ણતા થી લઇ શકોછો. પરફેક્શન/સંપૂર્ણતા એ એક પ્રબુદ્ધ વ્યક્તિની પ્રકૃતિ છે.
જુદી-જુદી ચેતનાઓના સ્તરોમા જ્ઞાન અલગ-અલગ હશે.ચોક્કસ સ્તરે તમે ‘અનાસુય’(દોષ શોધવાથી વંચિત આંખવાળા)થઇ જશો.મન-મગજ ની એક એવી માનસિકતા હોય છે કે જે-શ્રેષ્ટ સ્થિતિમા પણ દોષોજ જુએ છે.સર્વ શ્રેષ્ઠ સાથીમા,અથવા ખૂબજ સુંદર ચિત્ર મા,પણ કેટલાક લોકો કોઈ ને કોઈ દોષ નિહાળશે જ. આપ્રકારની મનોસ્થિતિ/માનસિકતાઓં પાસે પવિત્ર જ્ઞાન હોતું નથી. 
જેટલો ભક્ત નબળો હોય તેટલો વધારે શુદ્ધ ગુરુ જરૂરી છે.અરે કૃષ્ણ અર્જુન ને કહે છે કે તે અર્જુનને એક રોયલ રહસ્ય આપે છે,કારણ કેતે અનાસુયા છે.તેજ રીતે હનુમાને રામ મા કદી પણ દોષ નિહાળ્યો નહી.દુરથી ખાડો જોઈ શકાય નહી.સરળ/લીસી સપાટી પર પણ હોલ હોઈ છે.
જો તમોને  છીંડા/છિદ્રોમાંજ રસ હોય,તમે વસ્તુઓની ભવ્યતા નહી જોઈ શકો.જો તમે અનાસુયામા નાહોવ તો તમારામા જ્ઞાન ખીલી શકતું નથી.તો પછી જ્ઞાન આપવાનો કોઈ હેતુ સરતો નથી.જો તમે અપૂર્ણતાઓજ શોધશો,તો તમને રામ અને કૃષ્ણ માપણ અપૂર્ણતા જ દેખાશે.જો કૃષ્ણ કદાચ અત્યારે જીવતા હોત ,તો તેની સામે કદાચ જુઠ્ઠું બોલવાના,ચોરી ઈત્યાદીના ઘણાજ  કોર્ટ કેસો દાખલ થયા હોત!!.બુદ્ધના જીવનમા તમે કોઈ પણ અપૂર્ણતા નહી જૂઓ.બુદ્ધ પોતામાંતે નહી પરંતુ દુનિયા માટે,ભક્તો માટે પવિત્ર જીવન જીવ્યા.
કોઈ એક પ્રબુદ્ધ વ્યક્તિ માટે,કોઈ દારૂ પીવે કે સ્મોકિંગ કરે,તેની સભાનતામા કોઈ ફરક નહી પડે.આ સ્થિતિમા તમે જેકઈ ઈચ્છો છો તે આ પૃથ્વી પરના સર્વ નિવાસી ઓના સારા માટે,કલ્યાણ માટેઅને આનંદ માટેજ હોય છે.   
આ પૂર્ણ  વિશ્વમા માનવ શામાટે અપૂર્ણ છે? એટલે  તમે વધારે પૂર્ણ બની  શકો.અપૂર્ણતાની ઓળખ તમોને પૂર્ણતા તરફ લઇ જવામા મદદ કરે છે.આ ખૂબજ નાજુક/સંવેદનશીલ મુદ્દો છે.જો અપૂર્ણતાની ઓળખ/સ્વીકાર થીતમે તેનાથી ચિંતિત હોવ છો,-અરે! હું અપૂર્ણ છું... અપૂર્ણ છું... અને અપૂર્ણ છું... તમારા માની અપૂર્ણતાને ઓળખો અને વધારે પૂર્ણતા જોઈ અપૂર્ણતા ને દુર કરો.
તમે અગાઉ સાંભળેલું જ હશે કે બધુંજ ઈશ્વર અને પ્રેમનો અંશજ છે.તો પછી આ જીવન નો હેતુ શો છે?જો બધુંજ ઈશ્વર મય છે,તો જીવન કઈ તરફ દોરી જાય છે?જીવન પૂર્ણતા ભણી દોરી જાય છે.ખરું કે નહી?આપણે પૂર્ણતા ઈચ્છીએ છીએ.પૂર્ણતાઓ ના ૩પ્રકારો છે:કામ/કાર્ય/ક્રિયામા પૂર્ણતા,વાણી/વચનમા પૂર્ણતા,લાગણી/હેતુ/ભાવમા પૂર્ણતા.કેટલાક લોકો પોતાનાં કાર્યમા કુશળ હોય છે,પરંતુ અંદર ખાનેથી ચીડચીડીયા અને ક્રોધી હોય છે.
કેટલાક જુઠ્ઠા હોય છે-પોતાનું કામ બરાબર કરતાં હોય પરંતુ વાણી/વચનના પાકા હોતા નથી.અથવા તે પોતે સાચાં છે તેમ માનતા હોય છે.
કોઈ ડોકટર દર્દીને કહેતો હોય કે-ચિંતા નાકરો તમારા રોગનો ઈલાજ થઇ જાશે.પરંતુ તે સત્ય હોયજ તેવું હોતું નથી.
કેટલીક વાર જુઠ્ઠ પાછળનો હેતુ સારો હોય છે.દાખલા તરીકે-બાળક તેની માતાને પુછે કે મારો નાનો ભાઈ ક્યાં થી આવ્યો?માતા જવાબ આપશે તેને ખરીદી કરીને લાવી.માતાનો આ જૂઠ્ઠાણા પાછળનો હેતુ સારો છે.જો કોઈ ઈરાદાપૂર્વક જુઠ્ઠું બોલે તો તેની ભાવનાઓ અપૂર્ણ/અયોગ્ય છે,વાણી અયોગ્ય છે,અને કાર્ય મા પણ તેની અસર દેખાશે.
જો કોઈ ભૂલ કરે અને તમને તે જૂઓ અને તમે ગુસ્સે થાવ છો.ત્યારે તમારામા અને જેને ભૂલ કરી છે તે બન્નેમા ખાસ ફર્ક હોતો નથી.કારણ કે ત્યાં કાર્ય અપૂર્ણ હતું અને તમારા મા ભાવ/લાગણી અયોગ્ય/ અપૂર્ણ છે.કોઈ પણ કાર્ય દોષ વાળું હોય પણ શકે,પરંતુ જયારે ભાવ/લાગણી અયોગ્ય હોય,ત્યારે તેની અસર લાંબા સમય સુધી રહે છે.તમે આંતરિક પૂર્ણતા ગુમાવી બેસો છો.
ઘણાં લોકો માનવ અધિકાર માટે લડતા હોય છે,તે કોઈ એક ખાસ કારણસહ લડતા હોય છે,પરંતુ અંદરથી તેઓ ખુબજ ગુસ્સામા હોય છે.ગુસ્સોએ વાસનાને ઈર્ષ્યા જેટલોજ ખરાબ છે.આ બધી જ ૬ અપૂર્ણતાઓ (વાસણા,ગુસ્સો,લોભ,ગુચવણ,અજ્ઞાન,અને ઈર્ષ્યા)માંની કોઈ પણ હિતાવહ/સારી નથી.
સાધના તમોને સ્વકેન્દ્રિતતા જાળવી રાખવામા મદદ કરે છે.અને નાની નાની વાતો તમને ડગાવી શકતી નથી.તમારી સામે કોઈ બરાડા પડે,તોતેની વાણી અયોગ્ય છે,પરંતુ એવું માનીના લોકે –તેની લાગણી/ભાવ પણ દુષિત છે.બીજા લોકોની ભૂલો પાછળનો ઈરાદો નાજૂઓ,કારણ કે તેનાંથી,મન/મગજમા વઘારે મલીનતા આવે છે.
તે પણ વિકાર છે,-વિકૃતિ છે,પ્રકૃતિ,અને વિકૃતિ,આખું વિશ્વ /સર્જન સ્વભાવ અને સ્વભાવ ની વિકૃતિનું બનેલું છે.ગુસ્સોકે ઈર્ષ્યાએ આપણો સ્વભાવ નથી,તે આપણા સ્વભાવની વિકૃતિ છે.તેઆ સર્જનનો એક ભાગ છે,પરંતુ તોપણ આપણે તેને વિકૃતિ કહીએ છીએ,કારણકે-તેઓ સ્વ/આત્માને પૂર્ણ રીતે ઉજાગર કરવામા/ચમકાવવામા અડચણ રૂપ છે.અને તેવુંજ પાપનું છે,પાપ તમારા સ્વભાવમા નથી.અને તમારું સર્જનએ કોઈ પાપ નથી,પાપએ કપડાની કરચલી/સળ જેવું હોય છે,જેને યોગ્ય ઈસ્ત્રી  કરવાની જરૂર હોય છે.
લાલસાને પાપ ગણવામા આવે છે,કારણ કે-તેમાં તમે બીજી વ્યક્તિને એક સાધન તરીકેજ જૂઓ છો.પરંતુ પ્રેમમા તમે તેને ઉચ્ચ ગણો છો.ગુસ્સોએ પાપ છે,કારણ કે,જયારે તમે ગુસ્સામા હોવ છો,ત્યારે તમે પોતીકાપણું ગુમાવી દો છો,તમો સ્વની દ્રષ્ટિ ગુમાવી બેસો છો.અપરાધમા તમે તમારા મગજ/મનને માર્યાદિત કરી નાખો છો.
તમારામા જે ગુણો પ્રદાન/નવાજવા મા આવ્યા છે,તે તમારાતો બનાવેલા /મુકેલા નથી,તેથી હંમેશા આભારી/કૃતજ્ઞ રહો.અને આગુણો તમારેજેરોલ ભજવવાનો છે તેનાં પર આધાર રાખે છે.જયારે તમને આપાયાનું સત્ય સમજાશે,ત્યારે તમારી આંતરિક પૂર્ણતા સ્થિરતા પ્રપ્ત કરશે.કોઈ એક મનોવૈજ્ઞાનિકે કહ્યું છે કે-તમારા ઊંડાણમા ભય,અપરાધ અને ગુસ્સો હોય છે.મનોવૈજ્ઞાનિકો મન,મગજ અને ચેતના/સભાનતા અંગે કશુંજ જાણતા હોતા નથી.હું તો કહું છું કે તમારા ઊંડાણમા ચેતના નો ફુવારો,ચેતના નું ઝરણું,આનંદ નું ઝરણું છે.!!!
ઈશુ બે વખતજ ગુસ્સે થયા હતા.તેણે ગુસ્સામાં બરાડા પાડી ને લોકોને ચર્ચ ની બહાર હાંકી કાઢયા હતા.કૃષ્ણ એપોતાનું વચન એકવાર તોડ્યું હતું.તને વચન આપ્યું હતું કે મહાભારતના  યુદ્ધ દરમ્યાન પોતે શસ્ત્ર ધારણ નહી કરે /હાથમા નહી લે.પરંતુ જયારે ભિષ્મ ને મહાત કરવા નું અશક્ય હતું ત્યારે,તેને પોતાનું શસ્ત્ર સુદર્શન ચક્ર  હાથમા લીધું હતું.   
લાગણીઓના,ઉત્તેજનાના આવેગોની ટોચ તમારા આંતરિક મનને ખીલવવા તરફ દોરી જાય છે.માત્ર કાર્યમાજ પૂર્ણતાનો આગ્રહ નરાખો.તમે મને કોઈ પણ કાર્ય બતાવો,અને હું તમોને તેકાર્યમા ખામી બતાવી શકું છે.તમે દાન,ધર્માદો કરો છો તેમાંપણ,તે મેળવનારના આત્મસન્માનને નીચું કરો છો.પરંતુ ભાવનાઓ/લાગણીઓમા પૂર્ણતા શક્ય છે. વાણીમા પૂર્ણતા ઘણાં અંશે શક્ય છે,અને કાર્યમા પૂર્ણતા તેનાથી પણ વધારે અંશે શક્ય છે.
જો તમારા માર્ગમા વિકૃતિઓ આવેતો પણ તમે તેને  વધારે મહત્વ આપતા નથી,કારણકેતે કપડાં માની સળ જેવી હોય છે.જો તમે કોઈના ગુસ્સા,લોભ અથવા લાલસાને મહત્વ આપો તો તે માત્ર તેનાં માંજ છે તેમ નહી પરંતુ તેતે સમયે તમારા મન -મગજમા પણ કાયમી સ્થાન લઇ લે છે.,.દાખલા તરીકે:-પ્રાણીઓ સેક્સ/સંભોગ કરે છે,ત્યાર પછી તેઓ તે અંગે ફરી આવતી મોસમ સુધી વિચારતા નથી.પરંતુ માણસજ પોતાનાં મગજમા વિચારવાનું ચાલુ રાખે છે.કૃષ્ણએ ગીતામા ઘણાજ પ્રસંગો એ આજ કહ્યું છે-તમારા મન-મગજ ને શું થયું છે?જો તમે તમારી અંદર વિકારોને પોષણ આપ્યા જ કરશો જ,તો તમારી અંદર એક પછી એક અશુધ્ધિઓ બદલાતી રહેશે અને વધતીજ રહેશે.શાંત ચિત્ત બનો અને સમજોકે તમે કર્તા નથી.

આ સમગ્ર બાબત ને એક નાટક તરીકે નિહાળો.તમારા સ્વ/આત્મામા સ્થિર રહેવા માટ નો તે એકજમાર્ગ છે.

Buddha

A very poor man came to Buddha & asked: - Why am I so poor.?
Buddha answered:
- U r poor bcoz u don’t practice "Generosity.." U don’t practice "Charity.."
- But how can I practice charity if I don’t have anything to give.?
- U have "Five Treasures" that I can share with others..
First, you have your Face..
You can share your smiles with others.. It's free.. And awesome.. And has an amazing impact on others..
Second, you have your Eyes..
You can look at others with eyes full of love and care.. Genuinely you can impact millions.. Make them feel so good..
Third, you have your Mouth..
With this mouth you can say nice things to others.. Talk good.. Make them feel valued.. Spread joy & positivity..
Fourth, you have a Heart..
With ur loving heart u can wish happiness to others.. Make others feel a bundle of emotions.. Touch their lives..
Last treasure that you possess is your Body..
With this body you can do many good things to others.. Help the people who need.. Help is not money.. A small caring gesture can light up lives..
Do these.. & U WILL BE RICH..

No comments: