Monday, July 3, 2017

(૪૨)..પ્રેમ...Love...

૦૩/૦૭/૨૦૧૭...(૪૨)..પ્રેમ...Love...









સંકલિત......                              ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....


(૧)                                    પ્રેમ
કોલેજમાં સાથે અભ્યાસ કરતા એક છોકરા અને છોકરી વચ્ચે સારી મૈત્રી હતી.કોલેજ
પછીનો ઘણો સમય બંને સાથે જ ગાળતા હતા. આ મૈત્રી ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થઇ. બંને એકબીજા વગર રહી શકતા ન હતા.
કોલેજ પુરી થયા બાદ બંને એ પોતપોતાના ઘરે આ બાબતમાં વાત કરી. શરુઆતમાં થોડી આનાકાની બાદ બંનેના પરિવાર લગ્ન માટે રાજી થયા. છોકરાને હજુ વધુ અભ્યાસ માટે વિદેશ જવુ હતુ અને આ માટે સ્કોલરશીપ પણ મળી હતી. હાલ પુરતી બંનેની સગાઇ કરવાનું નક્કી થયુ. સગાઇ થયા બાદ છોકરો વિદેશ ભણવા માટે જતો રહ્યો પણ રોજ રાત્રે થોડીવાર ફોન પર પોતાની ભાવી પત્નિ સાથે વાત કરી લે.
એકદિવસ છોકરીને એક અકસ્માત નડ્યો. એનો જીવ તો બચી ગયો પણ જીભ ચાલી ગઇ. ડોકટરે કહ્યુ , " આ છોકરી હવે એની જીંદગીમાં ક્યારેય નહી બોલી શકે." તે દિવસે રાત્રે પેલા છોકરાના અસંખ્ય કોલ આવ્યા પણ જવાબ કોણ આપે ? છોકરાએ જુદી જુદી રીતે સંપર્ક કરવાનો ખુબ પ્રયાસ કર્યો પણ કોઇ રીતે સંપર્ક થયો નહી.
છોકરીએ પોતાના પિતાને લખીને સમજાવ્યુ કે એ હવે છોકરાનું જીવન બરબાદ કરવા નથી માંગતી કારણકે છોકરો ખુબ બોલકો છે અને હું એની સાથે વાત કરી શકુ તેમ જ નથી તો જીવન કેમ પસાર થાય ?
છોકરીના કહેવાથી એના પિતાને શહેર પણ બદલી નાંખ્યુ અને એક બીજા શહેરમાં રહેવા માટે જતા રહ્યા. છોકરીએ પોતાની બહેનપણી દ્વારા ફોન
કરાવીને છોકરાને કહેવડાવી દીધુ કે એ કોઇ બીજી છોકરી શોધી લે.
થોડા દિવસ છોકરાના ખુબ કોલ આવ્યા પણ પછી કોલ આવતા બંધ થઇ ગયા. છોકરીને લાગ્યુ કે એ હવે મને ભૂલી ગયો હશે. છોકરી એ છોકરાને યાદ કરીને રોજ રડ્યા કરતી. એકાદ વર્ષ કરતા વધુ સમય થઇ ગયો.
એકદિવસ છોકરીની બહેનપણી એના ઘરે આવી અને કહ્યુ , " પેલો છોકરો લગ્ન કરી રહ્યો છે એના લગ્નની કંકોત્રી મને મળી છે. છોકરીની આંખમાં આંસુ આવી ગયા. મને
સાવ ભૂલી ગયો એ હવે! એને એક પણ વખત મને મળવાનો વિચાર ન આવ્યો ? શું
પ્રેમ આવો હોય ? આવું વિચારતા વિચારતા એણે કંકોત્રી હાથમાં લીધી અને એ
છોકરાની સાથે પોતાનું નામ વાંચીને આશ્વર્યથી આંખો પહોળી થઇ ગઇ.
હજુ કંઇ બોલે એ પહેલા જ છોકરો એની નજર સામે પ્રગટ થયો અને છોકરીને બોલીને નહી પરંતું સાંકેતીક ભાષામાં કહ્યુ, " મેં લગ્ન માટે તને આપેલુ વચન મને યાદ છે. મને માફ કરજે આ એક વર્ષ જેટલો લાંબો સમય લેવા બદલ કારણકે આ સમય દરમ્યાન હું સાંકેતિક ભાષા શીખી રહ્યો હતો. હવે હું તારો પતિ જ નહી તારો અવાજ પણ બનીશ."
મિત્રો,તમે જેને દિલથી ચાહો છો એના પર વિશ્વાસ પણ રાખજો. કેટલીકવાર પ્રિયજન
તરફથી કોઇ પ્રતિઉતર ન મળે ત્યારે તમે જેવું વિચારો છો એના કરતા વસ્તવિકતા કંઇક
જુદી પણ હોઇ શકે.....
સંકલિત
(૨)... Rain
It was a busy 
morning, about 8:30, when an elderly gentleman in his 80's arrived to have 
stitches removed from his thumb. He said he was in a hurry as he had an 
appointment at 9:00 am.
  I took his vital 
signs and had him take a seat, knowing it would be over an hour before someone 
would to able to see him. I saw him looking at his watch and decided, since I 
was not busy with another patient, I would evaluate his wound. On exam, it was 
well healed, so I talked to one of the doctors, got the needed supplies to 
remove his sutures and redress his wound.
While taking care of 
his wound, I asked him if he had another doctor's appointment this morning, as 
he was in such a hurry.
The gentleman told me no, that he needed to go to 
the nursing home to eat breakfast with his wife. I inquired as to her 
health. 
He told me that   she had been there 
for a while and that she was a victim of Alzheimer's Disease.
As we 
talked, I asked if she would be upset if he was a bit late. 
He 
replied that she no longer knew who he was, that she had not recognized him in 
five years now.
I was surprised, and asked him, 'And you still go every 
morning, even though she doesn't know who you are?' 
He smiled as he 
patted my hand and said,
'She doesn't 
know me, but I still know who she is.'
I had to hold back 
tears as he left, I had goose bumps on my arm, and thought,
'That is 
the kind of love I want in my life.' 
True love is 
neither physical, nor romantic.
True love is an 
acceptance of all that is, has been, will be, and will not 
be.
With all the jokes 
and fun that are in e-mails, sometimes there is one that comes along that has an 
important message.. This one I thought I could share with you.
The 
happiest people don't necessarily have the best of everything; they just make 
the best of everything they have.
I hope you share this with someone you 
care about. I just did.
'Life isn't about 
how to survive the storm,
But how to dance in the 
rain.'

  We are all getting 
Older
 Tomorrow may be our turn.
  GOD BLESS!
સંકલિત

 (૦૩).. એક કપલની વાત છે. બન્નેએ લવમેરેજ કર્યા હતા. મેરેજનાં પંદર વર્ષ પછી પત્નીને પૂછવામાં આવ્યું કે તને કોઈ અફસોસ છેે? પત્નીએ કહ્યું કે હા, એક અફસોસ છે. મને એમ થાય છે કે હું વહેલી કેમ આ વ્યક્તિ સાથે ન આવી ગઈ? ઘરના લોકો રાજી ન હતા એમાં મેં એને પાંચ વર્ષ ટટળાવ્યો હતો. રડી રડીને અમે એ પાંચ વર્ષ કાઢયાં હતાં. આજે એવું થાય છે કે અમે મૂરખ હતાં! પ્રેમ અને કરિયર બે એવી બાબતો છે, જે સવાલો અને મૂંઝવણનાં બંડલ લઈને આવે છે. નોકરી કરવા બીજા શહેરમાં જવું કે નહીં? નવી જોબની ઓફર સ્વીકારવી કે નહીં? હા, દરેક નિર્ણય સાચા પડે એ જરૂરી નથી. સાથોસાથ એ પણ એટલી જ સાચી વાત છે કે દરેક ડિસિઝન ખોટા પડે એવું પણ જરૂરી નથી. એટલી વાત યાદ રાખવાની કે કોઈ પણ નિર્ણય લઈ લીધા પછી ક્યારેય એ નિર્ણયનો અફસોસ ન કરવો. ખોટો પડયો તો ખોટો પણ એ મારો નિર્ણય હતો. નિર્ણય લેશો તો એ સાચો પડશે અને કદાચ ખોટો પણ પડશે પણ નિર્ણય ન લેવો એ તો ખોટું જ છે. દરેક વખતે કૂદી પડવાનું અને જોખમ લઈ લેવાનું પણ જરૂરી નથી, ઘણી વખત ન કરવાનો નિર્ણય પણ સાચો હોય છે. મૂંઝવણ વધી જાય ત્યારે છેલ્લે દિલને પૂછી લેવાનું અને દિલ જે કહે એ વાત માની લેવાની.
 સંકલિત
 (૦૪).. મોરારિબાપુ: પ્રેમ દેવો ભવ:
Source: Manasdarshan, Moraribapu    

નરસિંહ મહેતાના હૃદયમાં શામળિયા માટે પ્રેમ હતો એટલે એ ગરીબીનું તપ કરી શક્યા, મીરાંના હૃદયમાં મોહન માટે પ્રેમ હતો એટલે એણે મેવાડની મહારાણીનું પદ છોડીને કૃષ્ણભક્તિનાં પદ લખ્યાં. 

શ્રીમદ્ ભાગવતના અગિયારમા સ્કંધમાં ભગવાન સાથેની પ્રશ્નોત્તરીનો પ્રસંગ આવે છે. અહીં ભગવાનને દસ જેટલા પ્રશ્નો પૂછવામાં આવે છે અને ખુદ ભગવાન એના જવાબો આપે છે. પહેલો પ્રશ્ન છે: સૌથી મોટું દાન કોને કહેવાય? જેનો જવાબ છે કે ક્ષમા સૌથી મોટું દાન છે, કારણ કોઇ વ્યક્તિએ તમારું ખૂબ અહિત કર્યું હોય છતાં તમે ઉદાર દિલ રાખીને એને ક્ષમા આપો ત્યારે ક્ષમા તમારું આભૂષણ બની જશે.

કોઇ વ્યક્તિને અપરાધ બદલ સજા મળવાને બદલે ક્ષમા મળે ત્યારે ગુનેગારને પોતાના કૃત્યનો પસ્તાવો થશે અને એ પસ્તાવો આંખનાં અશ્રુઓના વિપુલ ઝરણામાં એના પાપને બાળી નાખશે. માત્ર સજાથી પાપ બળે છે એવું નથી પરંતુ ક્ષમાથી પણ પાપ બળે છે અને કોઇના પાપને બાળવાથી મોટું પુણ્ય બીજું શું હોઇ શકે? એ અર્થમાં ભગવાને ક્ષમાદાનને સૌથી શ્રેષ્ઠ દાન કહ્યું છે તે યથાર્થ લાગે છે.

ત્યારબાદ બીજો સવાલ પૂછવામાં આવ્યો કે સૌથી મોટું તપ શું છે? ભગવાને કહ્યું કે તમામ કામનાઓનો ત્યાગ એ સૌથી મોટું તપ છે કારણ કે જેટલી ઇચ્છાઓ ઓછી એટલું તપ વધે છે અને તમામ પ્રકારની ચાહનાઓનો ત્યાગ કરી ચૂકેલો માણસ સંસારમાં રહેવા છતાં સંન્યાસીનો દરજજો મેળવી શકે તેવો હોય છે માટે તમામ કામનાઓનો ત્યાગ એ સૌથી મોટું તપ છે અને તમામ પ્રકારની કામનાઓનો ત્યાગ કરવો એ અત્યંત કિઠન કાર્ય છે એ અર્થમાં પણ આ જવાબ સચોટ લાગે છે.

ત્રીજો સવાલ એવો હતો કે સૌથી શ્રેષ્ઠ શૌર્ય શું છે? જેનો જવાબ મળે છે કે પોતાના સ્વભાવને જીતવો એ સૌથી મોટું પરાક્રમ છે, કારણ કે માણસ આખી દુનિયાને જીતી શકે છે પણ પોતાના સ્વભાવને જીતી શકતો નથી. ત્યારબાદ ચોથો સવાલ એવો હતો કે સૌથી શ્રેષ્ઠ સત્ય શું છે? જેના જવાબમાં ભગવાને કહ્યું કે તમામ જીવોમાં પરમાત્માનું દર્શન કરવું એ સૌથી મોટું સત્ય છે.

ભાગવતના એકાદશ સ્કંધમાં ભગવાનને પુછાયેલો પાંચમો સવાલ હતો કે સૌથી શ્રેષ્ઠ ઋતુ કઇ છે? જેનો જવાબ મળ્યો કે માણસના મુખમાંથી દિવ્ય વાણી નીકળે તે ઉત્તમ પ્રકારની ઋતુ છે, કારણ વસંતઋતુમાં પણ કોઇ વ્યક્તિના મુખેથી કટુવચન સાંભળવા મળે તો ઋતુનું સૌંદર્ય રાજી કરી શકતું નથી પણ પાનખરમાં પણ જો દિવ્યવાણી કાને પડે તો મનની વનરાઇ સોળે કળાએ ખીલી ઊઠતી હોય છે.

છઠ્ઠો સવાલ હતો કે સૌથી શ્રેષ્ઠ સંન્યાસ કોને કહેવાય? અને હરિનો જવાબ હતો કે ત્યાગ સૌથી શ્રેષ્ઠ સંન્યાસ છે, કારણ કે સંસાર, સત્તા અને સંપત્તિ સાથે સંઘર્ષ અને સગવડનો પણ ત્યાગ કરવો એ સંન્યાસ છે. માત્ર સંસારનો ત્યાગ કરવામાં આવે પરંતુ સત્તા, સંપત્તિ, સગવડ અને સંઘર્ષનો ત્યાગ કરવામાં ન આવે તો એ ઉત્તમ પ્રકારનો સંન્યાસ સિદ્ધ થતો નથી. સાતમો સવાલ હતો કે સૌથી શ્રેષ્ઠ ધન કોને કહેવાય? જેનો જવાબ છે કે ધર્મ સૌથી શ્રેષ્ઠ ધન છે, કારણ ધર્મ માનવીની બહુ મોટી સંપદા છે જેનાથી મૂલ્યવાન બીજું કંઇ જ નથી.

આઠમો સવાલ પૂછવામાં આવ્યો હતો કે સૌથી ઉત્તમ પ્રકારનો યજ્ઞ કોને કહેવાય? જેનો જવાબ છે કે ઇશ્વર ખુદ ઉત્તમ પ્રકારનો યજ્ઞ છે, કારણ કે પરમાત્માએ કહ્યું છે કે હું સ્વયં યજ્ઞ છું અને નવમો સવાલ હતો કે સૌથી મોટી દક્ષિણા શું છે? જેના જવાબમાં ભગવાને કહ્યું કે કોઇને જ્ઞાનનો સંદેશ આપવો એ સૌથી મોટી દક્ષિણા છે, કારણ કે રૂપિયા કે બીજી કોઇ સ્થૂળ દક્ષિણા ચોરાઇ જશે અથવા વપરાઇ જશે જ્યારે જ્ઞાન જેમ વપરાશે તેમ વધશે અને વિદ્યાની માફક ચોર ચોરી ન શકે અને ભાઇઓ ભાગ પડાવી ન શકે તેથી જ્ઞાન શ્રેષ્ઠ દક્ષિણા છે.

દસમો અને છેલ્લો સવાલ હતો કે સૌથી મોટું બળ શું છે? અને જવાબ મળ્યો કે પ્રાણાયામ સૌથી મોટું બળ છે. ઉપરના જવાબો ખુદ ભગવાને આપ્યા છે તેથી એની સત્યતા વિશે વિચાર પણ કરવાનો હોય નહીં, પરંતુ પચાસ વરસથી આખી દુનિયામાં આ પોથી લઇને ફર્યો છું એટલે વિચાર આવ્યો કે આ દસે-દસ સવાલોનો એક જવાબ આપવો હોય તો પ્રેમ નામનો અઢી અક્ષરનો શબ્દ આ તમામ સવાલોનો વધુ એક સાચો જવાબ છે. આપણે ઉપરના બધા સવાલોને પ્રેમદ્રષ્ટિથી મૂલવવાનો વિનમ્ર પ્રયાસ કરીએ.

પહેલો જવાબ છે કે ક્ષમા એ સૌથી શ્રેષ્ઠ દાન છે, પરંતુ માણસ ક્ષમા ત્યારે જ આપી શકે જ્યારે તેના હૃદયમાં પ્રેમ હોય. મહાવીરના કાનમાં શૂળો ભોંકવામાં આવી, ઇસુને વધસ્તંભ ઉપર ખીલાઓથી જડી દેવામાં આવ્યા છતાં મહાવીર અને ઇસુએ ક્ષમા આપી એનું કારણ એ હતું કે પ્રાણી માત્ર પ્રત્યે એ બંનેના હૃદયમાં પ્રેમ હતો. કરુણા હતી અને તેથી શ્રેષ્ઠ દાન પ્રેમ છે તેમ પણ કહી શકાય.

ત્યારબાદ બીજો જવાબ હતો કે તમામ પ્રકારની કામનાઓનો ત્યાગ કરવો એ ઉત્તમ પ્રકારનું તપ છે, પરંતુ તપ એ જ કરી શકે જેના હૃદયમાં પ્રેમ હોય. કામનાઓનો ત્યાગ એ જ કરી શકે જે પ્રેમથી છલોછલ હોય. નરસિંહ મહેતાના હૃદયમાં શામળિયા માટે પ્રેમ હતો એટલે એ ગરીબીનું તપ કરી શક્યા, મીરાંના હૃદયમાં મોહન માટે પ્રેમ હતો એટલે એણે મેવાડની મહારાણીનું પદ છોડીને કૃષ્ણભક્તિનાં પદ લખ્યાં. રાજપાટ છોડીને રઝળપાટ પસંદ કર્યો. લોકનિંદાનું તપ એટલે થઇ શક્યું કારણ હૃદયમાં પ્રેમ હતો. હજારો વર્ષ તપ કરનાર ઋષિમુનિઓના હૃદયમાં પણ ઇશ્વર પ્રત્યે પ્રેમ હોય છે ત્યારે તો તપ થઇ શકે છે તેથી પ્રેમને ઉત્તમ પ્રકારનું તપ કહેવામાં વાંધો નથી.

ત્રીજો જવાબ હતો કે પોતાના સ્વભાવને જીતવો એ સૌથી મોટું પરાક્રમ છે. નરસિંહ નાગર હોવા છતાં હરજિનવાસમાં જઇને ભજન ગાય તે એ જમાનામાં બહુ મોટી હિંમતની વાત ગણાય. મીરાં મેવાડનાં મહારાણી હોવા છતાં હાથમાં રામસાગર લઇને નાચે અને સાધુ-સંતોની સાથે ભજન ગાય તે એ જમાનામાં બહુ મોટા પરાક્રમની વાત હતી. આમ પ્રેમમાં બહુ મોટી છલાંગ મારવી પડે છે અને ડરપોક માણસો ક્યારેય સાચા હૃદયથી કોઇને ચાહી શકતા નથી, માટે પોતાના સ્વભાવને જીતવો એ સૌથી મોટું શૌર્ય છે એમ પ્રેમ પણ સૌથી મોટું શૌર્ય ગણી શકાય.

ચોથો જવાબ હતો કે તમામ જીવોમાં ઇશ્વરનું દર્શન કરવું એ સૌથી મોટું સત્ય છે. દરેક જીવમાં ઇશ્વર છે એ વિશ્વનું સૌથી મોટું સત્ય છે તે બરાબર છે પણ એવું સમદર્શન ત્યારે જ શક્ય બનશે જ્યારે હૃદયમાં પ્રેમ હશે. જો હૃદય પ્રેમથી છલોછલ ન હોય તો પ્રત્યેક જીવમાં જગદીશનું દર્શન શક્ય બનતું નથી. વિશ્વમાં કોઇપણ વ્યક્તિ સાથે જ્યારે વેર ન હોય ત્યારે આ પ્રકારનું દર્શન શક્ય બને છે. જો વેર હોય તો તે વ્યક્તિમાં દેવના સ્થાને દાનવનું દર્શન થશે માટે મિત્ર અને શત્રુ બંનેના જીવમાં શિવ દેખાય તે માટે અનિવાર્ય લક્ષણ પ્રેમ છે તેથી પ્રેમ સૌથી મોટું સત્ય છે.

પાંચમો જવાબ હતો કે દિવ્યવાણી અથવા પ્રિયવાણી સૌથી સુંદર ઋતુ છે, પરંતુ માણસના મુખમાંથી દિવ્યવાણી ત્યારે જ નીકળી શકે છે જ્યારે એના હૃદયમાં પ્રેમની હાજરી હોય છે. દિલમાં જો નફરત હોય તો પ્રિયવાણી ક્યારેય નીકળી શકતી નથી તેથી સૌથી શ્રેષ્ઠ ઋતુ પ્રેમ છે અને છઠ્ઠો જવાબ હતો કે ત્યાગ સૌથી શ્રેષ્ઠ સંન્યાસ છે પરંતુ માણસને ત્યાગનો વિચાર ત્યારે જ આવે જ્યારે અન્યનું ભલું કરવાની ભાવનારૂપી પ્રેમ હાજર હોય છે.

સંન્યાસી સર્વના ભલા માટે સ્વનો વિચાર કરતો નથી અને પરિણામે સર્વસ્વનો ત્યાગ કરે છે. જે લોકોએ માત્ર પોતાનો વિચાર કર્યો છે તે ત્યાગ કરી શક્યા નથી તેથી ત્યાગના પાયામાં ઇશ્વર પ્રત્યેનો, ધર્મ પ્રત્યેનો, સમગ્ર વિશ્વ પ્રત્યેનો પ્રેમ પડેલો હોય છે તેથી સૌથી શ્રેષ્ઠ ત્યાગ પ્રેમ છે. આ વાતને સમજવા માટે એક બીજો દાખલો આપું તો માતા પોતાના પુત્રને પ્રેમ કરે છે તેથી તેના માટે તે બધું છોડવા તૈયાર છે. ત્યાં સુધી કે પોતાના પુત્રના જન્મ સમયે તે મોત સાથે બાથ ભીડે છે એનો અર્થ એ જીવન પણ છોડવા તૈયાર છે માટે ત્યાગના પાયામાં પ્રેમ હોય છે તે સિદ્ધ થાય છે અને એટલે સૌથી શ્રેષ્ઠ સંન્યાસ પ્રેમ છે.

સાતમો જવાબ હતો કે ધર્મ સૌથી શ્રેષ્ઠ ધન છે. જો પ્રેમ ન હોય તો ધર્મ ટકી શકે ખરો? જગતમાં કોઇપણ ધર્મનો પાયો પ્રેમ છે અને જે ધર્મમાં પ્રાણી માત્ર પ્રત્યેનો પ્રેમ નથી તે ધર્મ સિવાય બીજું ગમે તે હોઇ શકે પણ ધર્મ નથી માટે સ્નેહ સૌથી મોટી સંપદા છે. આઠમો જવાબ હતો કે ઇશ્વર સૌથી ઉત્તમ યજ્ઞ છે. મારી દ્રષ્ટિએ અશ્વમેધ યજ્ઞ કરવો સહેલો છે પણ પ્રેમયજ્ઞ કરવો અઘરો છે, કારણ કે બીજા યજ્ઞમાં જવ, તલ અને ઘીની આહુતિ આપવામાં આવે છે.

જ્યારે પ્રેમયજ્ઞમાં ખુદની જાતની આહુતિ આપવી પડે છે. પ્રેમ-યજ્ઞમાં ખુદના અહંકારને હોમવો પડે છે. અશ્રુની આહુતિ આપવી પડે છે. જે રીતે અન્ય યજ્ઞમાં ઘી નાખો અને અગ્નિ પ્રજવલિત થાય છે તેમ પ્રેમયજ્ઞમાં અશ્રુઓની આહુતિથી પ્રેમાગ્નિ જોર પકડે છે એ અર્થમાં પ્રેમ સૌથી મોટો યજ્ઞ છે. ઇશ્વર સ્નેહનો સમંદર છે એ અર્થમાં પણ પ્રેમ યજ્ઞ છે.

નવમો જવાબ હતો કે જ્ઞાન સૌથી શ્રેષ્ઠ દક્ષિણા છે. તમારા ઘરે કોઇ અતિથિ આવે અને વેદાંતના જ્ઞાનની વાતો કરો પણ એના માટે તમારા હૃદયમાં જરાપણ પ્રેમ નહીં હોય તો એ જ્ઞાન શુષ્ક માહિતી બનીને રહી જશે. તમે કોઇ સાધુસંતને દક્ષિણામાં લાખ રૂપિયા આપો પણ મોઢું ચડાવીને આપો, એ સાધુ માટે તમારા હૃદયમાં જરાપણ આદર ન હોય તો એ દક્ષિણા નિરર્થક છે માટે યાદ રાખવા જેવું એ છે કે જ્ઞાન કે સંપત્તિ પ્રેમ કરતાં મહાન નથી.

તમારી પાસે જ્ઞાન પણ નથી અને સંપત્તિ પણ અને આંગણે આવેલા કોઇ અતિથિના પગમાં બેસી બે હાથ જોડીને સજળ નયને એમ કહો કે માફ કરજો આપને આપી શકાય એવું મારી પાસે કંઇ જ નથી તો હું એવું માનું છું કે અતિથિ પ્રત્યેનો અણમોલ આદર સૌથી મોટી દક્ષિણા બની જશે માટે પ્રેમ શ્રેષ્ઠ દક્ષિણા છે.

છેલ્લો જવાબ એ હતો કે પ્રાણાયામ સૌથી મોટું બળ છે. પ્રાણાયામ કરવાથી શ્વાસોશ્વાસમાં જે પરિવર્તન આવે છે તે પરિવર્તન પ્રેમમાં પણ જોવા મળે છે. પ્રભુનાં દર્શન માટે જીવ તલપાપડ બને છે. ધબકારા વધે, શ્વાસોશ્વાસમાં ફરક પડી જાય તે તમામ લક્ષણો પ્રાણાયામનાં છે માટે પ્રેમ સૌથી મોટું બળ છે. તુલસીદાસ શબને હોડી અને નાગને દોરડું માનીને રત્નાવલીને મળવા દોડી ગયા. આ બળ ક્યાંથી આવ્યું? જો દુન્યવી પ્રેમમાં આટલું બળ મળે તો ઇશ્વરના પ્રેમમાં કેટલું બધું બળ મળતું હશે?

છેલ્લે એટલું જ કહેવાનું કે પ્રેમ અખિલ બ્રહ્નાંડનું સર્વશ્રેષ્ઠ તત્વ છે જેના વગરનું માનવહૃદય હૃદય મટીને મશીન બની જતું હોય છે માટે માતૃ દેવો ભવ:, પિતૃ દેવો ભવ:, આચાર્ય દેવો ભવ: અને અતિથિ દેવો ભવ: સાથે પાંચમું સૂત્ર એ ઉમેરવું જોઇએ: પ્રેમ દેવો ભવ:

(
સંકલન : જગદીશ ત્રિવેદી)

માનસદર્શન, મોરારિબાપુ
 સંકલિત
Subject: USED Vs. LOVED
While a man was polishing his new car, his 4 yr old son picked up stone
and scratched lines on the side of the car. In anger, the man
took the child’s hand and hit it many times; not realizing he was using
a wrench.
At the hospital, the child lost all his fingers due to multiple
fractures. When the child saw his father…..with painful eyes he asked,
‘Dad when
will my fingers grow back?’ The man was so hurt and speechless;
he went back to his car and kicked it a lot of times.
Devastated by his own actions…….sitting in front of that car he
looked at the scratches; the child had written ‘LOVE YOU DAD’.
The next day that man committed suicide. . .
Anger and Love have no limits; choose the latter to have a beautiful,
lovely life…..
Things are to be used and people are to be loved,
But the problem in today’s world is that, People are used and things are
loved…
During this year, let’s be careful to keep this
thought in mind: Things are to be used, but People are to be
loved … Be yourself….This is the only day we HAVE.
 સંકલિત

No comments: